ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય મેવાણીની અટકાયતના વિરોધમાં ધરણા પ્રદર્શન

0
69

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની અટકાયતના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજાયું હતું. વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા કરવામાં આવેલ ધરપકડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

કોંગ્રેસ દ્વારા પ્રતીક ધરણા પ્રદર્શન યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ધરણા પ્રદર્શન યોજાયું હતું અને ખોટા કેસો બંધ કરોના સૂત્રોચ્ચાર કરી જીજ્ઞેશ મેવાણીને નિર્દોષ છોડવા માંગ કરી છે.

આ ધરણા પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, સમસાદ અલી સૈયદ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here