તા.૧૬ / ૦૩ / ૨૦૨૨ ને બુધવારના રોજ ડેકન કંપની ‘ અને ‘ બ્લાઈન્ડ પીપલ્સ એસોસિયેશન અમદાવાદ, વસ્ત્રાપુરના સહયોગથી તેમજ ” નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડ, ભરૂચ જીલ્લા શાખા ના સંયુક્ત ઉપક્રમે ભરૂચ અને નર્મદા જીલ્લાના ૧૫૦ અંધ લાભાર્થીને અનાજકીટ અને સેન્સર્સ સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય મહેમાન તરીકે અંધજન મંડળ ભરૂચના પ્રમુખ ખુમાનસિહજી વાંસીયા સહિત એન.એ.બી ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થાના પ્રમુખના હસ્તે અનાજકીટ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં તેલ, ખાંડ, ઘઉં નો લોટ, ચોખા, ચણાની દાળ વગેરે જેવી જીવન જરૂરિયાત વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here