The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચની કે.જે પોલીટેકનીક કોલેજમાં પાણીની અસુવિધાને લઈ NSUI મેદાનમાં

ભાવી ઇજનેરોને ભર ઉનાળે તરસે મરવાનો વારો

ભરૂચમાં એવા કેટલાય જાહેર સ્થળો છે, જ્યાં પાણીની પરબો અને કુલરો છે પણ તેની જાણવણી ન થવાના કારણે હાલ બંધ અવસ્થામાં જોવા મળી રહ્યા છે.આજ પ્રકારના હાલ ભરૂચની કે.જે પોલીટેકનીક કોલેજના છે. આજકાલ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે, પરંતુ કે.જે પોલિટેક્નિક કોલેજ ખાતે આવેલ ઠંડા પાણીની પરબો અને કુલરો બંધ અવસ્થામાં છે, જે જગ્યા ઉપર ગંદકીનું સામ્રાજ્ય જામી ગયું છે, ત્યારે આટલા આકળા તાપમાં વિદ્યાર્થીઓએ કોલેજમાં પાણી વગર વલખા મારવા પડી રહ્યા છે અને ના છૂટકે વેચાતુ પાણી લાવી પોતાની તરસ છીપાવવી પડી રહી છે.

કોલેજમાં પાણીની અસુવિધાને લઈ NSUI મેદાનમાં આવ્યું છે અને કોલેજના તંત્રને રજૂઆત કરી આ પરબો અને કુલરો ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે સાથે જો આ પરબો અને કુલરો રાબેતા મુજબ ચાલુ નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં કોલેજ ખાતે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, ત્યારે આશા રાખીએ કે સારા પરિણામો લઈને સત્તા સુધી પહોંચેલા નેતાઓ કોલેજ સત્તાધીશોનું ઘ્યાન કેન્દ્રીત કરી હજારો વિદ્યાર્થીઓની તરસની તલબનો અંત લાવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!