The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચના વગુસણા ગામે બોગસ દસ્તાવેજ ઉભા કરનાર શખ્સ વિરૂદ્ધ નોંધાયો ગુનો

ભરૂચ તાલુકાના વગુસણા ગામે સર્વે નંબર 420ની જમીનના મુળ માલિક મોનચેસ્ટ ઇલેક્ટ્રોનિક પ્રા.લી કંપનીના ડાયરેક્ટર ભરત છગન પટેલ રહે. નહેરૂ પાર્કસ સોસાયટી, જૂના પાદરા રોડ, વડોદરાએ ધંધાકિય કામ અર્થે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ પાસેથી લોન લઇ કંપની ગિરવે મુકી હતી. જોકે, રૂપિયા નહીં ચુકવી શકતાં મિલકતની હરાજી થઇ હતી. જેમાં મુળ આગ્રાના અને હાલ ભાવનગર રહેતાં અંજય મહાવીરપ્રસાદ જૈને વિદ્યારામ ગ્રેસીસના ભાગીદાર તરીકે તેમના ભાઇએ વર્ષ 1995માં લીધી હતી.

દરમિયાનમાં અમદાવાદના પરાગ ગિરધર ગણાત્રાએ તેના મળતીયાઓ સાથે વર્ષ 2016માં આ મિલકતમાં પ્રવેશી સિક્યુરિટી ગાર્ડને આ મિલકત મારી છે તેમ કહીં ધમકાવી મિલકત ખાલી કરાવી હતી. જેના પગલે અંજન જૈને પરાગ ગણાત્રાના દસ્તાવેજી પુરાવા તપાસતાં તેણે સરકારી દસ્તાવેજો ઉભા કરવા કંપનીના માલિક અને ડાયરેક્ટર ભરત છગન પટેલનું વર્ષ 2016નું પાવર ઓફ એટર્ની રજૂ કર્યું હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગેની તપાસ કરતાં ભરત પટેલના પુત્ર અનિશે જણાવ્યું હતું કે, તેના પિતાનું મૃત્યુ 2013માં થયું હતું. તેણે તેના પિતાનું બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કર્યું હતું. નબીપુર પોલીસમાં આ મુદ્દે ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!