The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચ સક્રિય પત્રકાર સંધ દ્વારા સપરિવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

કોરોનાના લાંબા સમય બાદ ભરૂચ શહેર અને જિલ્લાના પત્રકારોના પરિવાર માટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સપરિવાર નગર પાલિકા પાસે આવેલ સી.એમ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ શહેર-જિલ્લાના પત્રકારો પોતાના પરિવાર સાથે મિલનમાં જોડાયા હતા.કાર્યક્રમમાં હાલમાં જ યોજાયેલી પંચાયતોની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા બાજા પરિવારના સભ્ય એવા પત્રકારોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.

ભરૂચ સક્રિય પત્રકાર સંઘના વર્ષ દરમ્યાન યોજાયેલ કાર્યક્રમોની માહિતી મહામંત્રી જીતુ રાણાએ આપી હતી. ત્યારબાદ વર્ષ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર પત્રકાર મિત્રોનું સન્માન કરાયું હતું સાથે એક સાંસ્કૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો.જેમાં એસોસિયેશનના સભ્યો જગદીશ સેડાલા,હરીશ પુરોહિત,અનીલ અગ્નિહોત્રિ અને આમંત્રીત કલ્પેશ બેરાવાલાએ કરાઉ કે ના તાલે સુંદર ગીતો લલકારી તાળીયોની દાદ મેળવી હતી.તો પરિવારની જ દિકરી અને પૌત્રી દ્વારા સુંદર નૃત્ય પણ રજૂ કરાયું હતું.

ભરૂચ સક્રિય પત્રકાર સંધ ના સી એમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ સ્નેહ મિલન સમારોહ માં સંઘના પ્રમુખ ઈંદ્રિશ કાઉજી, કારોબારી અધ્યક્ષ નવીન પટેલ, પૂર્વ પ્રમુખો,વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરનાર કન્વીનર પત્રકાર સચિન પટેલનું પુષ્પગુચ્છ આપી બહુમાન કરવા સાથે સ્નેહ મિલન સમારોહમાં સહયોગ આપનાર તમામ મિત્રોનું પણ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!