The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News યુક્રેનથી પરત આવેલ પુત્રનું અંકલેશ્વર વાલિયા ચોકડી પર ભવ્ય સ્વાગત

યુક્રેનથી પરત આવેલ પુત્રનું અંકલેશ્વર વાલિયા ચોકડી પર ભવ્ય સ્વાગત

0
યુક્રેનથી પરત આવેલ પુત્રનું અંકલેશ્વર વાલિયા ચોકડી પર ભવ્ય સ્વાગત

યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓમાં જીઆઇડીસી ખાતે પરત ફરેલા રોનક મકવાણાનું તિરંગા સાથે વાલિયા ચોકડી ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની સાથે આવેલ અમદાવાદ અને વેરાવળના વિદ્યાર્થીઓનું પણ મીઠાઈ ખવડાવી સ્વાગત કરાયું કર્યું હતું.

પરિવાર દ્વારા વાલિયા ચોકડીથી તિરંગા સાથે રેલી યોજી ઘરે કેક કાપી પ્રવેશ આપ્યો હતો. અંકલેશ્વર શહેરમાં પરત ફરેલા કપિલ અમદાવાદીને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ આવકારી સ્થિતિ ચિતાર મેળવ્યો હતો. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા અંકલેશ્વરના પરત ફરેલા ચારેવ વિદ્યાર્થીઓના ઘરે પહોંચી પરિવાર અને બાળકો સાથે વાતચીત કરી હતી.

અંકલેશ્વરના પાંચ વિદ્યાર્થીઓ હેતેશ્રી ભરત પરમાર, રોનક વાઘજી મકવાણા, જીનલ નવીન માલી, ક્રિષ્ના મયંક પટેલ,અને કપિલ કુમાર સંજય અમદાવાદી યુક્રેનમાં એમબીબીએસના અભ્યાસ અર્થે ગયા હતા. જોકે રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ પગલે તેમના પરિવારજનોમાં ચિંતાનું વાતાવરણ છવાયું છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત વતન લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. ઓપરેશન ગંગા વડે અંકલેશ્વર હેતેશ્રી ભરતભાઈ પરમાર અને ક્રિષ્ન કુમાર મયંકભાઇ પટેલ બે દિવસ પૂર્વે જ ઘર વાપસી થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!