આમોદ:કોઠી – વાતરસામાં હજરત સૈયદ ઇસા પીરની સંદલ શરીફની વિધિ સંપન્ન

0
77

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામમાં આવેલી હજરત સૈયદ ઇસા પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. ગામમાંથી સલાતો સલામના પઠન સાથે સંદલ શરીફ ઝુલુસ સ્વરૂપે નીકળ્યું હતું. ગામમાંથી પ્રસ્થાન થયેલું ઝુલુસ હજરત ઇસા પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર પહોંચ્યું હતું.

દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સૈયદ અહમદ અલી ઉર્ફે પાટણવાળા બાવા સાહેબ તેમજ સ્થાનિક આલીમોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. ત્યારબાદ સલાતો સલામના પઠન તેમજ ફાતેહા ખ્વાની સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here