ભરૂચ : ઓમકારનાથ કલાભવનની છતનો એક ભાગ ધરાશાયી થતા નાસભાગ

0
241
  • સ્વ. લતાજીને શ્રદ્ધાંજલી કાર્યક્ર પૂર્વે છત થઈ ધરાશાયી
  • સદ્નસીબે કોઇ જાનહાની ન થતાં હાશકારો

ભરૂચ શક્તિનાથ સ્થીત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનના પ્રવેશદ્વારની ડાબી તરફ ની સીલીંગનો એક ભાગ અચાનક ધરાશાયી બનતા એક તબક્કે નાસભાગ મચી જવા પામી હતી.

આજે મોડી સાંજે પંડિત ઓમકારનાથ કલાભવન ખાતે એક અગ્રીમ અખબાર દ્વારા આયોજીત સંગીતમય સ્વ. લતાજીને શ્રદ્ધાંજલી અર્પવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હોલમાં કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી દરમિયાન અચાનક મોટો ધડાકો થતાં લોકો હોલની બહાર ભાગ્યા હતા. જ્યાં પંડિત ઓમકારનાથ કલાભવનના પ્રવેશદ્વારની ડાબી બાજુએ સીલીંગનો એક ભાગ અચાનક જ  તૂટી પડ્યો હતો.

હોલના પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ જ્યાં આ ભાગ તુટી પડ્યો હતો ત્યાંજ કાર્યક્રમને શરૂ થવાને વાર હોય કેટલાક છોકરાઓ બાક્ડા ઉપર બેઠા હતા.જ્યાં અચાનક છતનોભાગ તુટી પડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની ન થતાં હાજર સૌએ હાશકારો અનુભવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સરકારી ખાતા દ્વારા આ હોલ લાખોના ખર્ચે રીનોવેશન કર્યા બાદ વહીવટ માટે પાલીકાને સોંપાયો હતો. આ હોલમાં અચાનક છત તુટી પડવાની ઘટના તંત્રના સારા વહીવટની ચાડી ખાઇ રહી છે. ક્યાં તો યોગ્ય માવજત નથી કરાતી અથવા તો સરકારી બાબુઓએ લાખો રૂપિયાનો કાગળે હિસાબ દર્શાવી યોગ્ય ગુણવત્તા જાળવ્યા વિના હોલનું રીનોવેશન પૂર્ણ કરી હાશકારો મેળવ્યાની ચર્ચા ટોઅક ઓફ ધ ટાઉન બનવા પામવા સાથે યોગ્ય ઇજનેરો દ્વારા પુન: ભરૂચના એક માત્ર પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનની યોગ્ય મરામા કરાવાય જેથી કોઇ મોટી દુર્ધટના ના સર્જાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here