The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

દેવુ વધી જતાં હાંસોટના બાલોટા ગામના ખેડૂતોએ ઉચ્ચારી આત્મ વિલોપન કરવાની ચીમકી

હાંસોટ તાલુકાના બાલોટા ગામ ના 31 જેટલા મત્સ્ય ખેડૂતો પોતાના ઝીગા તળાવ છીનવતા હાલ કાનૂની લડત હાઇકોર્ટ માં ચલાવી રહ્યા છે. 2019 માં સરકારે માસ્ટર મેપિંગ કરી મેપ તૈયાર કરી કીમ ખાડી થી 200 થી 1200 મીટર દૂર તળાવ ફાળવણી કરી હતી. સર્વે નંબર 1043 નવો સર્વે નંબર 973 માં રી સર્વેમાં ભૂલને કારણે ખોટી માપણી શીટ તૈયાર થતા સમસ્યા સર્જાઇ છે.

બ્રેકીશ વોટર રિસર્ચ સેન્ટર 2020 માં ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા હાઇકોર્ટ પિટિશન દાખલ થતા કીમ ખાડી ના અવરોધો દૂર કરવાનો હુકમ કર્યો હતો. રી સર્વે માં મેપિંગ ભૂલ થી ઝીંગા તળાવ કીમ નદી ના વહેણ માં દર્શાવતા આવ્યા હતા જેને લઇ 2019 માં ફાળવેલ તળાવ પરત લેવાનો હુકમ તંત્ર એ કર્યો હતો અને તળાવ સી.આર.ઝેડ ઝોનમાં આવી રહ્યા હોવાનું તંત્ર એ જણાવ્યું હતું જે અંગે ખેડૂતો હાઈકોર્ટમાં જતા હાઇકોર્ટ દ્વારા જિલ્લા કલેક્ટર ખેડૂતો સાથે રાખી સ્થળ તપાસ કરી 10 દિવસમાં રિપોર્ટ કરવા હુકમ કર્યો હતો.

જેમાં નાયબ કલેકટર અને ડી.આઈ.આર.એલ., જીપીસીબી સહીત સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા રી સર્વે ના મંજૂરી સાચા ની ખરાઈ સ્થળ તપાસ કર્યા વગર કે ખેડૂતો ને સાથે રાખ્યા વગર કરી હતી જેને લઇ હવે ખેડૂતો આજીવિકા પ્રશ્ન ઉભો થયો હોવાનો અને તંત્ર ની ભૂલ ને લઇ આ સમસ્યા સર્જાઈ છે. તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું. વધુ માં જીપીસીબી દ્વારા સેટેલાઇટ અને બોઈસેગ દ્વારા સુપર ઇમ્પોજ કર્યું હતું. બાયસેગ દ્વારા જોતા જે વિસ્તાર સી.આર.ઝેડ માં આવેલ હોવાનું દર્શાવ્યું છે. સી.આર.ઝેડ આ વિસ્તાર આવ્યો હોવાનું દર્શાવ્યું છે.

જેથી સર્વે ની ભૂલ સુધારવા માટે સુધારો કરી પુનઃ સ્થળ તપાસ કરવા ખેડૂતો દ્વારા ગત સપ્તાહે પુનઃ જિલ્લા કલેક્ટર ભરૂચ ને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. અને 35 થી 45 લાખ રૂપિયા ના ખર્ચે તળાવ કર્યા બાદ હવે પાક ના લઇ શકતા દેવું વધી ગયું છે. જેને લઇ હવે તેની પાસે આપઘાત કરવાનો વારો આવ્યો છે.

જે અપધાત ખેડૂતો કરશે તો તેના પાછળ ના કારણો માં તેવો દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓ જેમને ભૂલ કરી છે. તેને જવાબદાર ગણવા તેવી ચીમકી ઉચ્ચારી હતી. એટલું જ નહિ વહેલી તકે સંબંધિત વિભાગ ના અધિકારીઓ રી સર્વે કરવામાં આવે તેમજ થયેલી ભૂલો સુધારવામાં આવે તેવી માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!