• હિન્દુ સંગઠનના આગેવાનો મોટીસંખ્યામાં જોડાયા

અમદાવાદના ધંધુકા ગામમાં કિશનભાઇ શિવાભાઈ  ભરવાડ દ્વારા એક વિડીયો સોશિયલ મિડીયામાં મુકવામાં આવ્યો હતો.જેના લીધે કેટલાક અસામાજીક તત્વો દ્વારા તેને જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.આ કૃત્યને નેત્રંગ તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના વિવિધ સંગઠનો દ્વારા સખત શબ્દોમાં વખોડી મામલતદરને આવેદન પાઠવ્યું હતું.

Netrang Aveden

સાથે આવા તત્વો સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ આવા કૃત્યો ફરીથી ભવિષ્યમાં નહીં બને તે માટે આવા હત્યારાઓને ફાંસીની સજા થવી જોઈએ તેવી રજુઆત સાથે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલવું જોઈએ તેવી વિવિધ માંગણીઓ સાથે નેત્રંગ મામલતદાર જી.આર.હરદાસાણીને તાલુકાના વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here