The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ધંધુકા ખાતે કરપીણ હત્યા બાબતે ન્યાય અપાવવા ભરૂચ કરણી સેનાએ કરી રજૂઆત

ધંધુકા ખાતે કરપીણ હત્યા બાબતે ન્યાય અપાવવા ભરૂચ કરણી સેનાએ કરી રજૂઆત

0
ધંધુકા ખાતે કરપીણ હત્યા બાબતે ન્યાય અપાવવા ભરૂચ કરણી સેનાએ કરી રજૂઆત

ગત તા. ૨૫/૦૧/૨૦૨૨ ના રોજ સ્વ. કિશનભાઈ ભરવાડનું મુસ્લિમ જાતિના લોકોએ જાહેરમાં ગોળી મારીને કરપીણ હત્યા કરી છે અને ભૂતકાળમાં સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ બાબતે બબાલ થતાં કાનૂની કાર્યવાહી અને ત્યારબાદ સમાધાન થયું હોવા છતાં જાતીગત/ધાર્મિક ધ્વેશ રાખીને જાણીજોઈને કાવતરું કરવામાં આવ્યું હતું અને આ રાક્ષસરૂપી નરભક્ષી વ્યક્તિઓને તાત્કાલીક રૂપે ફાંસીની સજા ફટકારવામાં આવે તેમજ આ બાબતે પકડાયેલ વ્યક્તિઓ પાસેથી પૂરતી તપાસ કરવામાં આવે કારણ કે આવું કૃત્ય કરવા પાછળ ઘણા બધા માણસો સામેલ હોઈ શકે છે.

આ ષડયંત્ર કરવામાં તમામ સીધી કે આડકતરી રીતે સાથ આપનાર ગુનેગારોની ધરપકડ કરવામાં આવે સાથે સાથે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે અને તાત્કાલિક તમામ આરોપીઓને ફાંસીએ ચઢાવવામાં આવે જેથી ગુજરાતમાં પણ દાખલો બેસી શકે કે આવું કાર્ય કરવામાં સજા તો મળે જ છે પણ એ ટૂંકા ગાળામાં મળવી જોઈએ અને ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરવાનું વિચાર સુધ્ધા ના કરે એવું ઉદાહરણ આપવામાં આવે એવી અમારી અંતપૂર્વક લાગણી છે, પોલીસ અને સરકારનો આ માધ્યમથી આભાર વ્યક્તિ કરીએ છીએ કે ટૂંકા ગાળામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ સરાહનીય કાર્યવાહી બદલ સમગ્ર ગૃહ વિભાગ તેમજ ગુજરાત પોલીસનો રાષ્ટ્રીય રાજપૂત કરજણીસેનાએ આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!