અંકલેશ્વરની વાસુદેવ કેમિકલ્સ કંપની સ્ટોર રૂમમાં એક કામદારે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના બનવા પામી છે. જેમાં મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ વાસુદેવ કંપની માં રહેતા 27 વર્ષીય કામદારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી.
અંકલેશ્વર જીઆઇડીસી માં વાસુદેવ કેમિકલ કંપની માં રહી કંપનીમાં ફરજ બજાવતા મૂળ ઉત્તર પ્રદેશના 27 વર્ષીય મહેન્દ્ર લલ્લુ પ્રજાપતિએ કંપની ના સ્ટોર રૂમમાં કોઈ અગમ્ય કારણોસર સીલિંગ ફેન સાથે પ્લાસ્ટિકની લેવલ વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ ઘટના ની જાણ કંપની ના સંચાલકો ને થતા તેઓ દોડી આવ્યા હતા અને આ બનાવ ની જાણ જીઆઇડીસી પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મહેન્દ્ર પ્રજાપતિ ના મૃતદેહ ને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.