અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી અંતર્ગત સરદાર પટેલ ગ્રુપ દ્વારા ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ પાછળ આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.ત્યારબાદ સેવાશ્રમ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું, સરદાર પટેલના જન્મ જ્યંતી ની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં સરદારના રાષ્ટ્રભકત ચાહકોએ હાજર રહી લોહપુરુષ સરદાર વલ્લભાઈ પટેલને નમન કર્યા હતા.
આજરોજ ભરૂચના સમસ્ત પાટીદાર સમાજ ,ઝાડેશ્વર ગ્રુપ દ્વારા સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે ભરૂચના સોનેરી મહેલ ,સ્ટેચ્યુ પાકૅ ,સેવાશ્રમમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને ફુલ-હાર પહેરાવીને સરદાર પટેલ અમર રહો ના નારાલગાવીને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કયૉ હતા, આ પ્રસંગે ઝાડેશ્ચરના આગેવાન કૌશિક પટેલ,એસ.પી.જી ગ્રુપ,તથા ખોડલધામની યુવા ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here