The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ અને ઈન્દિરા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરાઇ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ અને ઈન્દિરા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરાઇ

0
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ અને ઈન્દિરા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરાઇ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી નીમીત્તે પુષ્પાજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ભારતાના શિલ્પી સ્વ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ તેમજ એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ ઈન્દીરા ગાંધીની પુર્ણય તીથી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાના અધ્યક્ષ સ્થાને યોજાવામાં આવ્યો હતો.જેમાં સ્વ સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ઈન્દીરા ગાંધીની છબીને કોંગ્રેસી કાર્યકરો દ્વારા સુતરની આંટી તેમજ પૂષ્પ માળા અર્પણ કરી એમના કાર્યોને યાદ કર્યા હતા.
આ પ્રસંગે અરવિંદ દોરાવાલા,શહેર પ્રમુખ વિકી શોખી ,વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!