અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સિડ્સ કન્સલ્ટીંગ એન્ડ એન્જિનિયરિંગ યુનિટમાં રૂપિયા ૧.૧૧ લાખથી વધુના પાઇપ,પ્લેટ સહિતની ચોરી થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સિડ્સ કન્સલ્ટીંગ એન્ડ એન્જિનિયરિંગ યુનિટને તસ્કરો નિશાન બનાવી એસ.એસના પાઇપ, પ્લેટ સહિતનો સામાન મળી કુલ રૂપિયા 1.11 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. મૂળ કેરળના અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી વૈકુંઠ રેસિડેન્સીમાં રહેતા વિનોદ બાલક્રિષ્ના નાયર જીઆઈડીસીના પ્લોટ નંબર 5154 પર સિડ્સ કન્સલ્ટીંગ એન્ડ એન્જિનિયરિંગ યુનિટ ચલાવે છે. જેમની કંપનીને ગત તારીખ 27મી ઓક્ટોબરના રોજ રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ કંપનીની દીવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો અને કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી યુનિટના પતરાંના શેડ નીચે મૂકી એસ.એસ.ની પાઇપ નંગ-6, પ્લેટ નંગ-8 અને એમ.એસ.ની પ્લેટ નંગ-2 મળી કુલ રૂપિયા 1.11 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Home Uncategorized અંકલેશ્વર : સિડ્સ કન્સલ્ટીંગ એન્ડ એન્જિનિયરિંગ યુનિટમાં રૂપિયા 1.11 લાખથી વધુના મુદ્દામાલની...