ઉત્થાન પ્રોજેક્ટથી પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે ૨૮૦૦ જેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે
દહેજ અદાણી ફાઉન્ડેશન દ્ધારા પ્રાથમિક શિક્ષણમાં નબળા છાત્રો માટે ઉત્થાન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.વાગરા તાલુકાના ૧૨ ગામોની ૧૪ પ્રાથમિક શાળાઓને ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ આવરી લઈ કામગીરી હાથ ધરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.
દહેજ અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક શિક્ષણમાં નબળા વિધાર્થીઓ,જેને ઉત્થાન પ્રોજેક્ટમાં “પ્રિય વિધાર્થી” તરીકે સંબોધવામા આવે છે.તેના ઉપર વિશેષ ધ્યાન આપવા વાગરા તાલુકાના ૧૨ ગામોની કુલ ૧૪ પ્રાથમિક શાળાઓમા ઉત્થાન પ્રોજેક્ટ ની શરૂઆત કરવામા આવી રહી છે.આ પ્રોજેક્ટનો શુભારંભ તાજેતરમાં જ લખીગામ પ્રાથમિક શાળામાં યોજાએલ કાર્યક્રમ થી કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here