વડોદરા વિભાગના રેલવે સ્ટેશનોનું વાર્ષિક નિરીક્ષણ પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે અંકલેશ્વર, ભરૂચ સ્ટેશન પર પેસેન્જર સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું.

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર કંસલે અકલેશ્વર ખાતે વળાંક અને ભરૂચ ખાતે નેરોગજ કમાન બ્રિજ નંબર 500 A નું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે અંકલેશ્વર ખાતે બનાવવામાં આવેલ ઓપન એર જીમ અને ગાર્ડન લાઈટિંગ અને હાઈ વોલ્યુમલો સ્પીડ (HVLS) પંખાનું પણ ઇ-ઉદ્ઘાટન કર્યું હતું. અને સ્ટેશન બિલ્ડીંગમાં સ્થાપિત કરેલ લાઈટિંગ ઇ-ઉદ્ઘાટન કર્યું હતું છે.

જનરલ મેનેજર કંસલે ભરૂચ સ્ટેશન પર વિવિધ વિભાગો દ્વારા મુકવામાં આવેલ પ્રદર્શનને રસપ્રદ રીતે નિહાળ્યું અને સોલાર વોટર કુલર, ડીજી સેટ, નેરોગજ બાજુએ બી.જી. કોલોની ખાતે રિનોવેટેડ ચિલ્ડ્રન પાર્ક, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મિયાવાકી ફોરેસ્ટ રિનોવેટેડ રેલ્વે ઇન્સ્ટિટ્યુટ અને વોલીબોલ ગ્રાઉન્ડ, ઇન સિટુ રિપ્લેસમેન્ટ અને એનર્જી કન્ઝમ્પશન એન્ડ રિજનરેશનના વિશ્લેષણ માટે કાર્યક્રમ, TRO ઇ-બુકના વિકાસનું પણ ઇ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કંસલે ભરૂચમાં રેલ્વે કોલોની અને સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું અને કોલોનીના રહેવાસીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણી હતી. નિરીક્ષણ દરમિયાન, કંસલે જન પ્રતિનિધિઓ, મહાનુભાવો, પ્રાદેશિક સલાહકાર સમિતિ અને મંડળ સલાહકાર સમિતિના સભ્યો, માન્ય ટ્રેડ યુનિયનો અને સંગઠનોના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી પણ બે કલાક ઉપરાંત રાહ જોવડાવ્યા બાદ પ્રેસ અને મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.

આ નિરીક્ષણ દરમિયાન, જનરલ મેનેજર કંસલ સાથે, વિવિધ વિભાગોના મુખ્ય વડાઓ અને વડોદરા વિભાગના ડીઆરએમ અમિત ગુપ્તા, વરિષ્ઠ શાખા અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here