અંકલેશ્વરમાં 23થી 26 નવેમ્બર દરમિયાન 4 દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે 15 હજારથી વધુ ભક્તોએ ભાગ લીધો હતો. પ્રેરક પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ની પ્રેરણા થી હાંસોટ રોડ ખાતે ભવ્ય નૂતન બી.એ. પી.એસ સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. જે સ્વામિનારાયણ મંદિરના નિર્માણનો શિલાન્યાસ મહોત્સવ સંપન્ન કરાયો છે.

અંકલેશ્વર શહેર માં સૌ પ્રથમ વખત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ની પ્રેરણા થી ભવ્ય નૂતન બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરની નિર્માણ કરવામાં આવશે. એશિયાડ નગર ખાતે નિર્માણ પામનાર મંદિર શિલાન્યાસ મહોત્સવ સંપન્ન કરાયો છે. આગામી 23થી 26 નવેમ્બર દરમિયાન 4 દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિલાન્યાસ વિધિ, મહાપુજા, પ્રાસંગીક સભા, સ્વ હસ્તે શીલા સ્થાપન, મહા પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 હજારથી વધુ ભક્તો એ વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી આગામી વર્ષો અંકલેશ્વર ભવ્ય નૂતન બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here