•કોલ મળતા જ પ્રાણી બચાવ એમ્બ્યુલન્સમાં પાઇલોટ સાથે તબીબ પહોંચી

•ગંભીર રીતે ઘવાયેલા શ્વાનને ભરૂચ રેલવે સ્ટેશને જ આપાઇ સારવાર

ભરૂચમાં કાર્યરત 1962 એનિમલ એમ્બ્યુલન્સ સેવાને એક કેસ મળ્યો હતો. જેમાં ટ્રેન અડફેટે ગંભીર ઇજાગ્રસ્ત ડોગનો જીવ રેલવે સ્ટેશન પર જ સારવાર આપી બચાવી લેવાયો હતો.

ભરૂચ રેલવે સ્ટેશને એક ડોગ ટ્રેનની અડફેટે આવતા ગંભીર ઇજા પહોંચી હતી. સ્ટેશન ઉપર હાજર મહિલા પ્રવાસી સંગીતાબેન નામની વ્યક્તિએ તુરંત અબોલનો જીવ બચાવવા 1962 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. જોતજોતામાં સાયરન સાથે પ્લેટફોર્મ ઉપર એનિમલ એમ્બ્યુલન્સ સાથે પાયલોટ અને ડોકટર આવી ગયા હતા. સાથે જ સ્ટેશન ઉપર રેલવે પ્રોટેકશન ફોર્સ અને રેલવે પોલીસ પણ હાજર હતી.

સ્ટેશન ઉપર મુસાફરોની ભીડ વચ્ચે ટ્રેન અડફેટે ઇજા પામેલા ડોગને ટ્રેક પરથી ઉઠાવી પ્લેટફોર્મ ઉપર લવાયો હતો. તરત જ એમ્બ્યુલન્સના ડોક્ટર નીરવ તથા પાઇલોટ હિંમતસિંહ ત્યાં પહોંચી ડોગ ને સમયસર સારવાર આપી તેનો જીવ બચાવી લીધો હતો. અબોલા જીવને બચાવવાની આ કામગીરીની ત્યાં હાજર સૌ કોઈએ સરાહના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here