The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 42

ભરૂચ ઝાડેશ્વર ચોકડી નજીક ચરસ અને રૂપિયા ૩ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ. એ.એ.ચૌધરી નાઓએ પોતાની ટીમ કાર્યરત કરતા

મળેલ બાતમી આધારે ઝાડેશ્વર ચોકડી નજીક વોચમાં રહી બે ઇસમો ભાવેશ ઉર્ફે કાલુ રમેશભાઇ વસાવા, રહે.વડવાળુ ફળીયુ, ઝાડેશ્વર ગ્રામ પંચાયત પાસે, ઝાડેશ્વર, ભૌમિકભાઈ ઉર્ફે એલીયન પરેશભાઈ શાહ રહે-અમીન ડેલો, ઝાડેશ્વર ગ્રામ પંચાયત પાસે, ઝાડેશ્વરને ગેરકાયદેસર ચરસનો કુલ જથ્થો ૧ કિલો ૦૩૯ ગ્રામ_કિંમત રૂપિયા ૧,૫૫,૮૫૦/- ના મુદ્દામાલ સાથે ફુલ મળી રૂ.૩,૧૭,૮૫૦/- મુદામાલ કબજે કરી આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ભરૂચ શહેર “સી” ડીવી. પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

પાલેજની સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં તસ્કરો 10 લાખનો મુદ્દામાલ ઉઠાવી તસ્કરો ફરાર

ભરૂચના પાલેજ પાસે આવેલ સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી એસ.એસ.,બેરીંગો સહિત 10 લાખના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાતા તપાસ હાથ ધરવામાં આવી છે.

ભરૂચના પાલેજ પાસે આવેલ સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપની આવેલ છે જે કંપનીમાં સ્ટીલની સીટો બનાવે છે. જે કંપનીને ગત તારીખ-12-11-22થી 25-11-22 સુધી તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ કંપનીના સ્ટોર રૂમના પાછળના ભાગે બાકોરું પાડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્ટોર રૂમના કબાટમાં મુકેલ 235 પ્રકારના બેરીંગો,બુશ-આર્મ અને એસ.એસ.નો સામાન તેમજ કેબલ,સ્પેર મળી કુલ 10 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર રાજેશ વિષ્ણુ પ્રસાદ રાવલે પાલેજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.

ભરૂચના ડૉ. ભગુભાઈ પ્રજાપતિને ઇન્ડોનેશિયાના બાલી ખાતે એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ એનાયત

શૈક્ષણિક ક્ષેત્રે ભરૂચ ઉપરાંત ગુજરાતમાં એક આગવું નામ ધરાવતા ભરૂચની નારાયણ વિદ્યાલયના ડાયરેકટર ડૉ. ભગુભાઈ પ્રજાપતિએ ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે ઇન્ડો બાલીનેસ એચિવર એવોર્ડ ફોર એજ્યુકેશન એક્સેલન્સ પ્રાપ્ત કરી ભરૂચ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

ડૉ. ભગુભાઈ પ્રજાપતિ શિક્ષણના ક્ષેત્રે એક આગવી ઓળખ ધરાવે છે. ૧૩ વર્ષ શિક્ષક અને 22 વર્ષ આચાર્ય તરીકેનો બહોળો અનુભવ ધરાવતા ડૉ. ભગુભાઈ પ્રજાપતિ હાલ ભરૂચની નારાયણ વિદ્યાલયમાં ડાયરેકટર તરીકે સેવા આપે છે. શૈક્ષણિક ક્ષેત્રે નવતર પ્રયોગો કરી વિદ્યાર્થીઓના શિક્ષણમાં પ્રાણ ફૂંકવાના તેમણે પ્રયાસો કર્યા છે. શૈક્ષણિક હેતુસર તેમણે અત્યાર સુધીમાં ૧૬ જેટલા દેશોનો પ્રવાસ કર્યો છે. અનેક દેશોએ એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડથી તેમને સન્માનિત કર્યા છે.

તાજેતરમાં ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે એક એવોર્ડ સમારોહમાં એસોસિએશન ફોર ઇકોનોમિક ગ્રોથ ઘ્વારા ભારતના વિવિધ ક્ષેત્રના ૧૬ જેટલા તજજ્ઞોને સન્માનિત કરાયા હતા. જેમાં બાલીના અધ્યક્ષ વાય.એન.સુકર્તા, પૂર્વ ડિપ્લોમેટ એમ્બેસેડર ડૉ. વી.બી.સોની અને ઓફીસ ઓફ કાઉન્સિલેટ જનરલ ઓફ ઇન્ડિયા ટુ બાલી વાઇસ ચાન્સેલર લૌકેશ કુમારની હાજરીમાં ડૉ. ભગુભાઈ પ્રજાપતિને ઇન્ડો બાલીનેસ એચિવર એવોર્ડ ફોર એજ્યુકેશન એક્સેલન્સનો એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા.

ડૉ. ભગુભાઈ પ્રજાપતિએ બાલી ટાપુ અંગે જણાવ્યું હતું કે અખંડ ભારતના ૧૫ જેટલા વિભાજન થયા હતા. તેમનો એક ભાગ એટલે બાલી છે. બાલીમાં ૮૦ ટકા હિન્દૂ ધર્મ સાથે જોડાયેલા લોકો છે. બાલી ટાપુ ચારે તરફ અફાટ સમુદ્રની વચ્ચે અપાર કુદરતી સંપત્તિ ધરાવે છે. ભગવાન બુદ્ધ સહિત વિવિધ દેવ દેવીઓના અનેક વિશાળ મંદિરો અહીં જોવા મળે છે.લોકો શાંત અને શ્રધ્ધાળુ છે. બાલીમાં મોટા ભાગે હનુમાનજીની મૂર્તિઓ છે. જે જોતા રામાયણ કાળ સાથે બાલીનું જોડાણ હોય તેમ લાગે છે.

ભરૂચની શ્રવણ વિદ્યાધામ ખાતે યોજાઇ જી.કે. ક્વિઝ ની સ્પર્ધા

ભરૂચ લીંક રોડ સ્થીત શ્રવણ વિદ્યાધામ ખાતે શાળામાં હાઉસ એક્ટિવિટીના ભાગરૂપે જી.કે. ક્વિઝ ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. તેમાં કુલ ચાર હાઉસમાંથી 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, સ્પર્ધામાં કુલ ત્રણ રાઉન્ડ રાખવામાં આવ્યા દરેક રાઉન્ડમાં પાંચ- પાંચ પ્રશ્નોની પ્રશ્નોત્તરી કરવામાં આવી. જેમાં સામાજિક ક્ષેત્ર, સાંસ્કૃતિક ક્ષેત્ર,અભ્યાસ આધારિત પ્રશ્નો તથા વિદ્યાર્થીઓની વયકક્ષાને ધ્યાનમાં લઈને પ્રશ્નોત્તરી કરવામાં આવી વિદ્યાર્થીઓએ પોતાની આવડત અને ઉત્સાહપૂર્વક જવાબો આપ્યા.

આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં વિચાર શક્તિ, ત્વરિત નિર્ણયશક્તિ, શ્રવણશક્તિ, નવું નવું જાણવું તથા એકબીજાના વિચારોની આપ- લે કરવી વગેરે જેવા ગુણોનો વિકાસ થાય છે તથા ભવિષ્યમાં વિદ્યાર્થી તેના જીવન વ્યવહારમાં પોતાની જ્ઞાન શક્તિનો ઉપયોગ કરતા શીખે છે.

આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકા બેલાબેન પટેલ પ્રિયંકાબેન પટેલ અને સહાયક તરીકે વૈશાલીબેન ગજ્જર તથા હર્નીશભાઈ પટેલે કામગીરી બજાવી. સ્પર્ધામાં ગાર્ગી હાઉસ વિજેતા રહ્યું.

વિદ્યાર્થીઓને આચાર્ય, ટ્રસ્ટીગણ તથા શિક્ષકો તરફથી પ્રોત્સાહિત કરી શુભેચ્છા પાઠવવામાં આવી.

દેડિયાપાડા નજીક હાઈવે પર ઝાડ સાથે મોટરસાયકલ ભટકાતાં બે યુવાનોના કમકમાટીભર્યા મોત

દેડિયાપાડા તાલુકાના ગડી ગામના બે યુવકો ગતરાત્રે લગભગ દોઢ વાગ્યાનાં સુમારે પોતાના ગામ ગડી પરત ફરતા હતા, ત્યારે દેડિયાપાડા અને બેસણા ગામ વચ્ચે ઢાળમાં મોટરસાયકલ ગુલ મહોરના ઝાડ સાથે ભટકાતાં એકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે બીજાને ૧૦૮ એમ્બ્યુલન્સ માં સારવાર માટે દેડિયાપાડા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા રસ્તામાં જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બે યુવકોના એક સાથે મોત નિપજતાં ગડી ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.

દેડિયાપાડા તાલુકાના ગડી ગામના બે યુવાનો ચેતન રમેશ વસાવા અને મુકેશ અમરસિંગ વસાવા મોટરસાયકલ નંબર જી.જે. ૨૨ એન.૭૨૪૩ લઈ પાનસર ગામે ગયા હતા. ત્યાં થી  બંને યુવાનો નિવાલદા ગામે લગ્નમાં ગયા હતા. ત્યાંથી  તેઓ પોતાના ગામ ગડી ગામ જવા નીકળ્યા હતા. રાત્રે દોઢ વાગ્યાના સુમારે દેડિયાપાડા અને બેસણાં વચ્ચે હાઈવે રોડ પર તેમની મોટરસાયકલ ગુલ મહોરના ઝાડ સાથે અથડાતાં ચેતન રમેશ વસાવા ઉંમર વર્ષ આશરે ૧૯ રહે. ગડી તા.દેડિયાપાડા જી.નર્મદાનું સ્થળ પર મોત નિપજ્યું હતું.

જ્યારે મુકેશ અમરસિંગ વસાવા ઉંમર વર્ષ આશરે ૨૧ રહે. ગડી તા. દેડિયાપાડા જી. નર્મદાને ૧૦૮  એમ્બ્યુલન્સ માં દેડિયાપાડા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવતા રસ્તામાં તેનું મોત નિપજ્યું હતું. બંને યુવાનો નું સરકારી સિવિલ હોસ્પિટલ દેડિયાપાડા ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. બે યુવાનોના એક સાથે મોત નિપજતાં ગડી ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ભરૂચમાં સમાન કામ સમાન વેતનની માંગ સાથે ભ્રીગુ ફૂડસ કંપનીના 250 કામદારોએ આપ્યું આવેદન

ભરૂચ તાલુકાના વરેડિયા ગામે આવેલી ભ્રીગુ ફૂડસ કંપનીના 250 જેટલા કામદારોને વધારે કલાક કામ અને ઓછું વેતનને લઈ રજુઆત કરતા કામે નહિ આવવા કહી દેતા તેઓ કંપની સામે કલેકટર કચેરીએ રજુઆત કરી હતી.

ભરૂચ તાલુકાના વરેડીયા ગામ પાસે આવેલી ભ્રીગુ ફૂડ્સ કંપનીના ગેટ ઉપર કામદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કામદારોનું કહેવું છે કે, અમારા લોકોનું શોષણ થઈ રહ્યું છે અને અમારા લોકોને 10 કલાક કામ કરાવે છે. જેના પગલે કંપનીના ગેટની બહાર ગઈકાલે કામદારો સમાન કામ સમાન વેતનની માંગ સાથે આંદોલનનું રણસિંગું ફૂંક્યું હતું.

કામદારોએ પગાર વધારાની માંગ ઉઠાવી હતી. બીજા દિવસે કામદારો ફરજ ઉપર જતા તેઓને પરત કાઢ્યા હતા અને પરપ્રાંતીઓની ભરતી કરાઈ હોવાનું રટણ કરતા 250 જેટલા કામદાર ભરૂચ કલેકટર કચેરી ખાતે દોડી આવી લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભ્રીગુ ફૂડ્સ કંપની સામે પગલા ભરવાની માંગ ઉઠાવી છે અને આગામી દિવસોમાં હજુ ફરજ ઉપર લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. સાથે કામદાર મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કંપનીમાં વોશરૂમમાં તાળા મારી રાખવામાં આવે છે.

ભરૂચના અટાલી સ્થીત આશ્રમશાળાને મળશે નવુ બિલ્ડીંગ,કરાયું ખાતમુહૂર્ત

ભરૂચ જિલ્લાના અટાલી ખાતે આદિવાસી બાળકોના અભ્યાસાર્થે વર્ષોથી કાર્યરત આશ્રમશાળાના નવા બિલ્ડીંગનું ખાતમહુર્ત રોજરી કંપની લિમિટેડ તથા યુનિટોપ કંપની જોલવા દ્વારા કરવામાં આવ્યું હતું.

અંદાજિત બે કરોડ ની આસપાસના ખર્ચના આ પ્રોજેક્ટમાં રોજરી કંપની લિમિટેડ તથા યુનિટોપ કંપની જોલવા દ્વારા 1965 ની સાલમાં આશ્રમશાળા ની સ્થાપના થયેલી જર્જરીત બિલ્ડીંગ્ની હાલત જોતા કંપનીના ડાયરેક્ટર ગડકરી, મેનેજર અશોક ચૌહાણ તથા અન્ય અધિકારીગણ સાથેની ટ્રસ્ટીઓ  અને શાળાના પ્રિન્સિપાલની અવારનવાર મીટીંગો દ્વારા સીએસઆર ફંડ હેઠળ નિર્ણય કરી રોજરી કંપની લિમિટેડ તથા યુનિટોપ કંપની જોલવા દ્વારા નવી બિલ્ડીંગ બનાવવાનું ખાતમુહૂર્ત કરાતા આનંદ છવાયો હતો.

આ ખાતમુહૂર્ત પ્રસંગે કંપનીના ડાયરેક્ટર ગડકરી, મેનેજર અશોક ચૌહાણ તથા અન્ય અધિકારીગણ સંસ્થાના ટ્રસ્ટી પદ્માબેન હિંમતસિંહ યાદવ તથા અન્ય ટ્રસ્ટીઓ શાળાના પ્રિન્સિપાલ જશુભાઈ પ્રજાપતિ, સ્ટાફગણ નાના ભૂલકાઓ હાજર રહ્યા. આશ્રમશાળા સંસ્થા દ્વારા બીજી કંપનીઓ પાસે પણ આ મહાયજ્ઞમાં જોડાઇ મદદરૂપ થવા નમ્ર વિનંતી કરાઇ હતી. કાર્યક્રમના અંતે આશ્રમશાળા પરિવાર ને અલ્પાહાર પણ આપવામાં આવ્યો હતો.

દેડીયાપાડાનાં નિવાલ્દા ખાતે સંસ્થા ચલાવી મહિલાઓ સાથે છેતરપિંડી કરનાર ૩ ઝડપાયા

દેડીયાપાડા નાં નિવાલ્દા ખાતે સમાધાન જન કલ્યાણ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવી દેડિયાપાડા તથા અનેક જિલ્લા ની મહિલાઓ ને મહિલા ગ્રુપો બનાવી છેતરપિંડી કરતી ઠગાઈ કરતી ટોળકી પોલીસે ઝડપી પાડી 7 દિવસ નાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા સંસ્થાઓ ઉભી કરી અભણ તેમજ ગરીબ લોકોની પોતાની કમાણીની મહામુડી છેતરી લઈ જઈ પાયમાલ કરનારા ભેજાબાજ આરોપીઓને પકડી  લાવવા જરૂરી સૂચનાઓ આપેલ હોય જે સુચના મુજબ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે દેડીયાપાડાના નિવાલ્દા ગામ ખાતે તપાસ કરતા સમાધાન જન કલ્યાણ ફાઉન્ડેસશન નામની સંસ્થા ચલાવી જેમા દેડીયાપાડા તથા સાગબારા તાલુકાના તથા તાપી તથા છોટાઉદેપુર જિલ્લાની અનેક મહિલાઓ છેતરાઈ હોવાનું અનુમાન બહાર આવ્યું છે.

એક માસ બાદ રૂપિયા ૬૦,૦૦૦/- ની લોનની લાલચે સંખ્યાબંધ બહેનો છેતરાઈ હતી, જે ગુનાના કામમાં ત્રણ આરોપીને ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક સરફરાજ અમીદ અલી ઉંમર વર્ષ 27 મોહમ્મદપુરા તાલુકો જીલ્લો મુરાદાબાદ ઉત્તર પ્રદેશ બીજો મોહમ્મદ મુસ્તફા ઉંમર ઉંમર વર્ષ 21 મોરોદાબાદ સહિત ડેડીયાપાડાના ભરતભાઈ ગુલાબભાઈ વસાવા 54 ડેડીયાપાડા ની પણ ધરપકડ કરીને રિમાન્ડની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવી હતી, જેઓના 7 દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.ડી.પટેલ તથા પોલીસ ની ટીમ ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જઈને તપાસ કરશે અને આ કૌભાંડના માસ્ટર માઇન્ડ ને ઝડપી પાડી જેલને હવાલે કરી ગરીબ બહેનોનોને ન્યાય મળે તેવી કાયૅવાહી કરાશે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

દેડીયાપાડા નાના સુકાઆંબા ખાતે યુવાનને પાડોશીએ ધક્કો મારી પાડી દેતાં નીપજ્યું મોત

દેડીયાપાડાનાં નાના સુકાઆંબા નિશાળ ફળીયા ખાતે નજીવી બાબતે ગાળો બોલવાની નાં પાડતા ઉશ્કેરાઈ જઈ પાડોશીને બે થપ્પડ મારી અને છાતીના ભાગે ધક્કો મારી દેતા રોડ પર પડી જતા મોત નીપજ્તા પોલિસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની અટક કરી છે.

પોલીસ સુત્રો મુજબ દેડીયાપાડા તાલુકાનાં નાના સુકાઆંબા, નિશાળ ફળીયાનાં રહીશ   ફુલસિંગભાઇ સુરકીયાભાઇ વસાવા (ઉ.વ.૪૬)નાઓ પોતાના ખેતરેથી આવી પોતાના ઘરના આગણા માંથી પસાર થતા આર.સી.સી. રોડ ઉપર ઉભા હતા તે વખતે ગામના જ આરોપી નરપતભાઇ મગનભાઇ વસાવા  મોટરસાયકલ લઈ ઘરના આંગણા માંથી પસાર થયેલ અને તેની મોટરસાયકલ ઘરે મુકી આવી ફૂલસિંગભાઈ જ્યા ઉભા હતા ત્યાં આવી તેમને માં-બહેનની ગાળો આપી.

આરોપીને ગાળો બોલવાની ના પાડતા આરોપી નરપત એકદમ ઉશ્કેરાઈ જઈને ફુલસીંગભાઈ ને બે થપ્પડો મારી છાતીના ભાગે ધક્કો મારીને આર.સી.સી. રોડ ઉપર પાડી દઈ માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોચાડી મોતને ઘાટ ઉતારતા તે બાબતે ફૂલસિંગ નાં પરીવારનાં પ્રિયંકાબેન તે આશિષભાઇ ફુલસિંગભાઇ વસાવાએ પોલીસ ફરીયાદના આધારે પોલીસે આઈ.પી.સી.કલમ-૩૦૨, ૫૦૪ મુજબ ગુનો દાખલ કરી આરોપી નરપત વસાવા ની અટક કરી છે, જે બાબતે પીએસઆઈ સી.ડી.પટેલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ડેડીયાપાડાના મંડાળા થી લીલાં ગાંજા સાથે ઝડપાયેલ આરોપીને ૧૦ વર્ષની કેદ અને ૫૦ હજારનો દંડ

ખેતરમાં ગાંજાની વાવણી કરવી કે જેનું સેવન કરવું વેચાણ કરવું મોટો ગુનો બને છે તાજેતર માં આવા કેશમાં રાજપીપળાની એડી.ડિસ્ટિક એન્ડ સેસન્સ કોર્ટે ગાંજાની વાવણી કરનાર ને 10 વર્ષની કેદ અને 50 હજાર દંડ ફટકારતા ફાફળાટ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલેલ એન.ડી.પી.એસ. કેસ માં ડેડીયાપાડા ના મંડાળા ગામના ટેકરા ફળીયા માં રહેતા કાંતી સોનજી વસાવા પોતાના કબજા ભોગવટાના મંડાળા ગામની સીમમાં મહુડી વાળા ખેતરમાં વેચાણ કરવાના આશયથી ગાંજાનું વાવેતર કર્યું હતું. જે બાબત ની નર્મદા પોલીસ ને ખબર પડતા પોલીસે તપાસ કરી ત્યારે જ્યાથી 4,520 નંગ ગાંજાના છોડ જેનું વજન 71.960 ગ્રામ હતું અને જેની કિમંત 15,880 રૂપિયા જેટલી થતી હતી.

આ નશીલા પદાર્થ ગાંજોના તાજા છોડના જથ્થા સાથે પકડાઈ ગયો હતો. અને પોલીસે રાજપીપળાની કોર્ટમાં કેશ દાખલ કર્યો જે કેશ આજે રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ.સીદ્દીકી સાહેબની કોર્ટમાં ચાલતા ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહીલ નાઓએ ફરીયાદ પક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી એન.ડી.પી.એસ.એકટની કલમ 20(એ) ગુના સબબ તકસીરવાન ઠેરવી 10 વર્ષની કેદની સજા અને 50 હજાર નો દંડની સજાનો હુકમ કર્યો છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા
error: Content is protected !!