The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 43

મને રૂપિયા કે સત્તાનો નથી મોહ, હું AAP માં જ છું ને AAP માં જ રહીશ: ધારાસભ્ય ચૈતર વસાવા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 બેઠકો જીતીને શુભ શરૂઆત કરી છે. આમ તો AAP ની આ શરૂઆત સારી છે,  જ્યારે વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતેલા AAP નાં ધારાસભ્ય ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપમાં જોડાવાના સમાચાર વહેતા થયા હતા. પરંતુ તેમણે મીડિયા સમક્ષ ઇન્કાર કરી દીધો હતો.

જ્યારે ડેડીયાપાડા સીટ પર થી આમ આદમી પાર્ટી ના ધારસભ્ય ચૈતર વસાવા એ કહ્યું કે મને રૂપિયા કે સત્તાનો નથી મોહ,  હું જનતા ની સાથે જ છું,તેમજ  દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલે  જે મારા પર મૂકેલા વિશ્વાસને તોડીશ નહિ,અને આપ માં છું  ને આપ માં જ રહીશ અન્ય પાર્ટી માં જોડાઇશ નહિ તેમ જણાવ્યું હતુ.

ડેડીયાપાડા વિધાનસભા માં ચૈતર વસાવા એક લાખ કરતા વધારે મતો મેળવી ભાજપ, કોંગ્રેસ અને બીટીપી નાં ઉમેદવાર કરતાં ૪૦ હજાર ની લીડ મેળવી નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આદિવાસીઓની સેવા માટે પોતે અને તેમની બંને પત્નીઓએ નોકરી છોડી જનસેવા કેન્દ્ર ખોલી જાતે ફોર્મ ભરી સરકારી લાભો અપાવતા 1,03,433 મતોનો એક રેકોર્ડ અને 39,255ની લીડ થી ચૈતર વસાવા ના નામે બે રેકોર્ડ નોંધાયા છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝ લાઇન, દેડીયાપાડા

જાણો કેમ ..ભરૂચના ઝાડેશ્વરની સર્વનમન વિદ્યામંદિર રેસિડેન્સીલ સ્કૂલમાં સર્જાયા કરૂણ દ્રષ્યો !

ભરૂચના ઝાડેશ્વર સ્થિત હરિધામ સોખડા સંચાલિત સર્વનમન વિદ્યામંદિરમાં બુધવારે સવારે સાધ્વી બહેનોનો સ્ટાફને બદલવા સામે સ્થાનિક વાલીઓએ હંગામો મચાવ્યો હતો.

જે બાદ રેસિડેન્સીયલ સ્કૂલમાં અભ્યાસ કરતી 450 દીકરીઓએ એક બાદ એક રડતા રડતા તેમના માતા પિતાને ફોન કરતા રાજ્યભરમાંથી પોતાની દીકરીઓને લઈ જવા વાલીઓ સ્કૂલ ખાતે ઉમટવાના શરૂ થઈ ગયા હતા.

માતા પિતા સ્કૂલના કેમ્પસમાં પોહચતા જ દીકરીઓ તેમને જોઈને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. દીકરીઓની વેદના અને આ કરૂણ દ્રષ્યો જોઈ માતા પિતાની આંખોમાંથી પણ આંસુ છલકાવવાના શરૂ થઈ ગયા હતા.કેમ્પસ રડતી દીકરીઓ અને તેમના વાલીઓથી ગમગીન બની ગયું હતું. જ્યાં જુઓ ત્યાં માબાપને ભેટીને રડતી દીકરીઓ જ જોવા મળતી હતી. સ્થિતિ વનસતા અને બીજી તરફ મેનેજમેન્ટ સામે વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

આ લખાય છે ત્યારે રાતે પણ સ્કૂલ ઉપર માતા-પિતાને રડતા રડતા ફોન કરી દીકરીઓ બોલાવતી જોવા મળતી હતી. ટ્રસ્ટીઓએ પણ દોડી આવવું પડ્યું હતું. વણસેલી સ્થિતિને જોઈ સી ડિવિઝન પોલીસે પણ બીજી વખત સ્કૂલ ખાતે આવવું પડ્યું હતું.વિધાર્થીઓ સોખડાથી મુકાયેલ નવી સાધ્વી બહેનોના સ્ટાફ સાથે રહેવા અને શિક્ષણ મેળવવા તૈયાર નથી ત્યારે આ વિવાદમાં હજી પણ ટ્રસ્ટીઓ દ્વારા કોઈ ફોડ પડાયો નથી. તેઓએ ફક્ત મેનેજમેન્ટે વધારાની ભગવા બહેનોને સેવામાં સ્ટાફમાં મૂકી હોય અને 17 વર્ષ જુના સ્ટાફને બદલવામાં નહિ આવેનો રાગ આલાપ્યો છે.

ભરૂચ જિલ્લા અંધજન મંડળના 7 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં લેશે ભાગ

ભરૂચ જિલ્લા અંધજન મંડળના 7 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા દિલ્હી જવા રવાના થયા હતા. ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા દર બે વર્ષે યોજાતી રાષ્ટ્રીય એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ ખિલાડીઓ ભાગ લઇ શકે તે માટે દિલ્હી ઇન્ડિયન બલાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશનમાં રજીસ્ટ્રેશન કરાયું હતું.

જેમાં પ્રથમવાર ભરૂચ જિલ્લાના 7 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ 100 મીટર , 200 મીટર , 400 મીટર , 1000 મીટર દોડ, ગોળાફેક , લાંબીકુદ , બરછીફેક વગેરે જેવી રમતો રમવા જઈ રહ્યા છે. જિલ્લા પ્રમુખ ખુમાનસિંહ વાસીયા સહિતે આજે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન મારફતે ભરૂચ થી દિલ્હી રવાના થયેલા પ્રજ્ઞાચક્ષુ 4 ભાઈઓ અને 3 બહેનોને શુભેચ્છા પાઠવી હતી.

સામાન્ય બસમાં ‘કમલમ’ પહોચ્યા ભાજપ ઉમેદવાર- જાણો કોણ?

ગઈકાલે કમલમ ખાતે રાજ્યના મુખ્યમંત્રીના નામની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે અંતર્ગત દરેક ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી. ગુજરાતના ખૂણે ખૂણેથી 156 ઉમેદવારોને બેઠકમાં હાજર રહેવા સવારના 10:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. દરેક ભાજપના હોદ્દેદારો તેની મોંઘી દાટ ગાડીઓ લઈને કમલમ આવવા લાગ્યા હતા, તેઓ વચ્ચે એક હોદ્દેદાર એવા હતા જેવો પોતે બસમાં મુસાફરી કરી કમલમ પહોંચ્યા હતા.

કડી વિધાનસભા પર કરસન સોલંકીએ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી. આમ તો જન પ્રતિનિધિ તરીકે તેમની પાસે ઘણી બધી સુવિધાઓ છે. છતાં સામાન્ય માણસની જેમ રહેવાનું વધારે પસંદ કરે છે. કોઈપણ જગ્યાએ જવું હોય તો બસ અથવા ચાલતા જવાનું પસંદ કરે છે.

એક બાજુ 155 ઉમેદવારો પોતાની મોંઘી દાટ ગાડીઓ સાથે કમલમ પહોંચ્યા હતા, ત્યારે 65 વર્ષીય કરસનભાઈ સોલંકી બસમાં મુસાફરી કરી કમલમ પહોંચ્યા હતા. કમલમ ચાલીને આવનારા કરસન સોલંકી ખૂબ જ સાદા પહેરવેશમાં હતા. પહેલી નજરે કોઈ પણ ન કહી શકે કે આ વિજેતા ઉમેદવાર હશે. પરંતુ કરસનભાઈની સાદગીએ દરેક ગુજરાતીઓના દિલ જીતી લીધા છે.

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ફ્રી આઇ ચેકઅપ કેમ્પ યોજાયો

ભરૂચ તાલુકાના જુના તવરા  ગામે ધ્યાની ધામ આશ્રમ નિકોરા તથા સમસ્ત જુના તવરા ગામ જનો દ્વારા આયોજિત આંખોનો ફ્રી કેમ્પ યોજાયો હતો.

જુના તવરા ગામે ઝેડ .જે. પટેલ સરસ્વતી વિદ્યાલય હાઇસ્કુલ માં તારીખ 11 ડિસેમ્બરને રવિવારના રોજ આંખોના કેમ્પનું આયોજન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મોતિયા ઝામર પાંપણના રોગો ચશ્માના નંબર કીકીના રોગો પડદાના રોગો કે તેની તપાસ કરી આપવામાં આવી હતી.

કેમ્પમાં તવરા ગામના 300 થી પણ વધુ લોકોએ લાભ લીધો હતો તથા જેમાં 50થી વધારે મોતિયાના દર્દીઓ અને 20 જેટલા વેલના રોગોના દર્દીઓ, આમ કુલ મળી 70 જેટલા દર્દીઓને ઓપરેશનમાં આનંદી આશ્રમ દ્વારા તેઓનું ઓપરેશન નિકોરા આનંદિ માં મેડિકલ સેન્ટ્રરમાં ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં તવરા ગામના ગામ લોકોના અથાક પ્રયાસોથી લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો.

ભરૂચમાં સમસ્ત હિંદુ સમાજ માટે વૈદિક પદ્ધતિથી સમૂહ લગ્નોત્સવ યોજાયો

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર દર વર્ષની જેમ સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સમસ્ત હિંદુ સમાજ માટે વૈદિક પદ્ધતિથી સમૂહ લગ્નોત્સવ રવિવારે યોજાયો હતો.

સમસ્ત હિંદુ સમાજના સમૂહ લગ્નોત્સવમાં 15 નવયુગલોએ વૈદિક પદ્ધતિથી સંતો, મહંતો તેમજ દરેક સમાજના મહાનુભવોની ઉપસ્થતિમાં લગ્નગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં પાડયા હતા.

જેમાં ઉપસ્થિત સૌ કોઈએ સમસ્ત હિન્દૂ સમાજ માટે મોંઘવારીમાં સામાજિક સંદેશ સમાન આ સમૂહ લગ્નોત્સવને આવકારી નવયુગલોને આશીર્વાદ સાથે દાતાઓ તરફથી કન્યા દાનની સરવાણી પણ કરાઈ હતી.

આ સમૂહ લગ્નોત્સવમાં ટ્રસ્ટના મુકતાનંદ સ્વામી, દીપિકાબેન શાહ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, દુષ્યંત પટેલ, મારૂતિસિંહ અટોદરિયા, નિરલ પટેલ, ભરતસિંહ પરમાર, દિવ્યેશ પટેલ, શંકર ગાંધી, લોકેશાનંદજી, રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહા, કૌશલ પટેલ સહિતના મહાનુભવો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ભરૂચ નર્મદા બ્રિજ નીચેથી ૮ જુગારી ઝડપાયા

ભરૂચના નર્મદા બ્રિજ નીચેથી સ્ટેટ મોનિટરીંગ સેલે જુગાર રમતા 8 જુગારીયાઓ ઝડપી પાડ્યા હતા. સાથે પોલીસે સ્થળ પરથી જ રોકડા 29 હજાર અને 2 વાહનો તેમજ 8 ફોન મળી કુલ 1.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન જુગાર અને ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, ભરૂચના નર્મદા બ્રિજ નીચે ખુલ્લામાં લીમડી ચોક કુંભારિયા ઢોળાવમાં રહેતો જુગારી ફિરોઝખાન કાસમખાન પઠાણ અન્ય માણસો રાખી વરલી મટકાનો જુગારધામ ચલાવે છે. તે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા 29 હજાર અને 2 વાહનો તેમજ 8 ફોન મળી કુલ 1.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સુત્રધાર ફિરોઝ પઠાણ, સમીર યાસીન દિવાન, હિનલકુમાર લલિત પટેલ અને શહેઝાદ અકીલ પઠાણ, અનિલ વસાવા સહિત આઠ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

સીનીયર સીટીઝન સાથે થયેલ ઓનલાઇન છેતરપીંડીમાં નાણાં પરત અપાવતી ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસ

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. લીના પાટીલ તથા નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ સાહેબ ભરૂચ ડીવીઝન ભરૂચ નાઓના માર્ગદર્શન તથા સુચના અનુસંધાને ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા નાણાકીય છેતરપીંડીના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ.મહેરીયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ એ.ટી.એમ. ફ્રોડ, લોન-લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફ્રોડ, આર્મીના નામે OLX/ફેસબુક એડ માંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમા ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પો.સ્ટે. હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે.

આ બનાવોમાં એકલા રહેતા સીનીયર સીટીઝન અરજદારના બેંક ખાતામાં પોતાના જીવન નિર્વાહ માટે મળતા પેન્શનની રકમમાંથી કૂલ રૂ. ૩,૭૭,૦૦૦/- ઓનલાઇન ટ્રાન્સ્કર થઇ ગયેલ હતા. જેમા અરજદાર દ્વારા તાત્કાલીક ભરૂચ સાયબર પો.સ્ટે.નો સંપર્ક કરતા સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ આ બનાવમાં ભોગ બનનારને મદદરૂપ થઇ તાત્કાલીક એક્શન લઇ ટેકનીકલ એનાલીસીસ કરી ઓનલાઇન નાણાંકીય છેતરપીંડીનો ભોગ બનનાર અરજદારના કૂલ રૂ. ૩,૨૯,૦૦૦/- બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપતા અરજદારનાઓએ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ કામગીરીથી સંતોષ અનુભવી ધન્યવાદ આપ્યા હતા.

૧૯૬૨ની કરૂણા એમ્બ્યુલન્સની સારવાર થકી ગાયને મળ્યું નવું જીવન

ગત તારીખ 6-12-22 ના રોજ સમય બપોરે 1:15 વાગે અંકલેશ્વર ના ભડકોદ્રા ગામ નૉ કેસ હતો જેમાં એક ગાય માતા નૉ પ્રોલેપ્સ (દેહ ખસી જવું) એવુ કહેવાય, ગામ ના લોકો એ ગાય ને પોતાના ઘર પાસે આસરો આપી અને 1962 ને કોલ કર્યો.

1962 એનિમલ એમ્બ્યુલન્સ વાયુ વેગે ભડકોદ્રા ગામમાં પોંહચી જઈ ઘટના સ્થળે પશુ ચિકિત્સક ર્ડો નીરવ પટેલ સાથે પાયલોટ હિંમતસિંહ ચૌહાણ ની મેહનત રંગ લાવી.જેમાં ર્ડો નીરવ પટેલ ની સૂઝ બુઝ ને કારણે ગાયનો દેહ પાછો તેના માં મૂકી દીધી અને ગાય નૉ અમૂલ્ય જીવ બચાવી ને નવું જીવનદાન આપ્યું હતું.કરૂણા એમ્બ્યુલન્સને કારણે અત્યાર સુધી માં 10021 થી પણ વધુ પશુ-પક્ષી ઓના જીવ બચાવ્યા.

ભરૂચમાં નવાદહેરા સ્થીત દત્તમંદિર ખાતે દત્તજયંતિ ઉજવાઇ

જૂના ભરૂચમાં નવાદહેરા સ્થીત દત્તમંદિર ખાતે ભરૂચ દત્તોપાસક પરિવાર દ્વારા દબદબાભેર દત્તજયંતિની ઉજવણી વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી કરવામાં આવી.

ગુજરાતી પંચાંગ અનુસાર માગશર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતી ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ 7 ડિસેમ્બર, બુધવારના રોજ છે. માન્યતા અનુસાર તે માગશર સુદ પૂનમનો જ દિવસ હતો કે જ્યારે ત્રિદેવે દત્તાત્રેય સ્વરૂપે, ઋષિ અત્રિ અને અનસૂયાને ત્યાં અવતરણ કર્યું હતું. અને એટલે જ આ દિવસે પ્રભુ દત્તાત્રેયનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. એટલું જ નહીં, આ દિવસે એ પ્રભુ દત્તની કૃપાને પ્રાપ્ત કરવા માટે પણ શ્રેષ્ઠતમ મનાય છે.ગુરુ દત્તની પૂજા કરવાથી વ્યક્તિ આંતરિક અને બાહ્ય, બંન્ને રીતે હકારાત્મક ઊર્જાની અનુભૂતિ કરે છે. તેના પર કોઇપણ પ્રકારની નકારાત્મક ઊર્જા અસર કરી જ નથી શકતી

સમગ્ર દેશમાં દત્ત જયંતિનું ઘણું મહત્વ છે, પરંતુ દક્ષિણ ભારતમાં તેનું મહત્વ ઘણું વધારે છે કારણ કે ત્યાં ઘણા લોકો દત્ત સંપ્રદાય સાથે જોડાયેલા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન દત્તાત્રેયની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ, વૈભવ વગેરેની પ્રાપ્તિ થાય છે. ભગવાન દત્તાત્રેય વિશે એવું કહેવામાં આવે છે કે જો તેમના ભક્તો સંકટની ઘડીમાં તેમને દિલથી યાદ કરે છે, તો તેઓ ચોક્કસપણે તેમની મદદ માટે પહોંચી જાય છે.એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય ગંગા સ્નાન માટે આવે છે તેથી ગંગા મૈયાના તટ પર દત્ત પાદુકાની પૂજા કરવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયની પૂજા મહારાષ્ટ્રમાં ધૂમધામથી કરવામાં આવે છે. તેમને ગુરૂના રૂપમાં પૂજવામાં આવે છે.દત્તાત્રેયને ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દત્તાત્રેયે 24 ગુરુઓ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. દત્તાત્રેયના નામે દત્ત સંપ્રદાયનો ઉદભવ થયો.

error: Content is protected !!