The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 35

ભાજપ ધારાસભ્યને માત્ર ચપરાસી તરીકે રાખે છે.. બોલ્યા ઈસુદાન ગઢવી

– ઈસુદાન હજી બચ્ચું, ચૈતર એક નંબરનો ગદ્દાર અને પોપટ કહ્યું મનસુખ વસાવા

લોકસભાની ચૂંટણીને લઈ હવે ગુજરાતમાં આદિવાસી દેડિયાપાડા તાલુકાથી રાજકીય ખેલ તેમજ આક્ષેપ પ્રતિ આક્ષેપો શરૂ થઈ ગયા છે.આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આજે રવિવારે નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આગામી ચૂંટણીઓને લઈ કાર્યકરો સાથે બેઠક અને જાહેરસભા યોજી હતી.

બેઠકમાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાને ભાજપ માત્ર ધારાસભ્યોને ચપરાસી તરીકે રાખે છે નો ગંભીર આક્ષેપ કર્યો હતો. ભાજપના 156 ધારાસભ્યો અને અન્ય 3 ને બોલવાનો, પ્રશ્ન પૂછવાનો કોઈ અધિકાર નથી. 27વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ હોય તંત્ર પણ કઠપૂતળી બની ગઈ હોવાની કેફિયત વ્યક્ત કરી હતી.

બેઠકમાં ચૈતર વસાવાએ ભાજપના ભરૂચના સાંસદ 6 ટર્મથી સાંસદ હોવા છતાં વિકાસ થયો ન હોય. ઉધોગોમાં સ્થાનિકોને 85 ટકા રોજગારી મળી નથી. તેમજ નર્મદા, ઉકાઈ અને કરજણ ડેમનું સિંચાઈનું પાણી આદિવાસીઓને નહિ મળ્યું હોવાના આક્ષેપ કર્યા હતા. તેઓએ વધુમાં લોકો અને પક્ષ ઈચ્છશે તો ભરૂચ લોકસભાની બેઠક પરથી તેઓ ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ કરી દીધી છે. સાથે જ અત્યારથી જ દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ અને બારડોલી બેઠક અત્યારથી જ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

જયારે દેડિયાપાડામાં આપની બંધ બારણે બેઠક અને જાહેરસભામાં કરાયેલા નિવેદનો સામે ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ તેજ તરાર પ્રતિક્રિયા આપી છે. ભરૂચના સાંસદ મનસુખભાઈએ ઈસુદાનને હજી બચ્ચું ગણાવ્યું છે. ઇસુદાન અને ચૈતરને બોલવામાં મર્યાદા રાખવા સાવધાન કર્યા છે. બન્ને સંસદીય ભાષામાં વાત કરે તેમ કહી, રાહુલ ગાંધીને પૂછી આવે. સભ્યપદ રદ થયું. શાનમાં સમજી જાય તેવો હુંકાર કર્યો છે.વધુમાં BJP સાંસદે કહ્યું છે કે, ભાજપનો સાંસદ, ધારાસભ્ય કે નેતા ક્યારેય ચપરાસી નથી નું જણાવી, ચૈતર વસાવાને બોલતો પોપટ અને એક નંબરનો ગદ્દાર ગણાવ્યો છે. જેને BTP અને છોટુભાઈ વસાવાને જ પીઠ પાછળ ખંજર ભોક્યું છે. જ્યારે ઈસુદાન ગઢવી મીડિયા છોડી નેતાગીરી અને રાજનીતિ કરવા નીકળ્યો છે ત્યારે આ તેની પા પા પગલી ગણાવી હતી. સાથે જ ઈસુદાન ગઢવી વિધાનસભામાં મોટી ડંફાસ મારતો હતો શુ હાલ થયા તે જગ જાહેર હોવાનું જણાવ્યું હતું.

ભરૂચ કોર્ટમાં જુબાની આપવા આવેલ યુવાનને ફોટા પાડવું પડયું ભારે!

ભરૂચ કોર્ટમાં ચેક રીટર્ન કેસમાં ફરિયાદી એવો દેરોલનો યુવાન કોર્ટની મહિલા વકીલો સહિત મહિલા પોલીસના પોતાના મોબાઈલમાં 20 ડઝન ફોટા પાડતા આરોપી બની ગયો હતો.
ભરૂચ કોર્ટમાં દેરોલનો શાહિદ સલીમ પટેલ નામનો યુવાન 138 ના કેસમાં ફરિયાદી હોય જુબાની આપવા આવ્યો હતો. દહેજમાં નોકરી કરતો આ યુવાન કોર્ટ નંબર 35 બહાર ઉભો હતો.
આ યુવાન મહિલા વકીલો અને મહિલા પોલીસના ફોટા પાડી રહ્યો હોવાની જાણ અન્ય વકીલો અને ખુદ મહિલા વકીલને થતા કોર્ટમાં રહેલા તમામ વકીલો હચમચી ઉઠ્યા હતા.બાર એસોસિએશનના પ્રમુખ પદ્યુમનસિંહ સિંધા અને અન્ય સિનિયર વકીલોએ યુવાન પાસે આવી તેનો મોબાઈલ ચેક કરતા તમામ વકીલ આલમ તેમજ કોર્ટમાં રહેલા મહિલા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
યુવાને એક ડઝન મહિલા વકીલોના પાડેલા 20 ડઝન ફોટામાં મહિલા વકીલોની સુરક્ષા અને તેમની પ્રાઇવસી ધ્યાને રાખી શાહિદને તાત્કાલિક એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયો હતો. જ્યાં બાર એસોસિએશનના પ્રમુખ સહિત અન્ય વકીલોએ યુવાન વિરુદ્ધ મહિલા વકીલો અને મહિલા પોલીસના કોર્ટમાં ફોટા પાડવા બદલ ફરિયાદ નોંધાવી હતી. સંવેદનશીલ આ કિસ્સામાં એ ડિવિઝન પી.આઈ. વાઘેલાએ ગુનો દાખલ કરી શાહિદ સલીમ પટેલની ધરપકડ કરવા સાથે તેની તપાસ અર્થે પૂછપરછ કરવા કવાયત હાથ ધરી છે.
કોર્ટમાં મહિલા વકીલો અને મહિલા પોલીસના ક્યાં કારણોસર યુવાન અધધ ફોટા પાડી રહ્યો હતો. ફોટા પાડવા પાછળ કારણ શું હતી સહિતની વિગતો તેની પૂછપરછ બાદ જ બહાર આવશે. હાલ તો તેનો મોબાઈલ પણ કબ્જે લઈ પોલીસ તેને પણ તપાસી રહી છે.

કમોસમી વરસાદને પગલે ભરૂચ જિલ્લાના ખેડૂતો બન્યા ચિંતાતુર!

આ વર્ષે થોડા દિવસ પહેલા આવેલા વરસાદી ઝાપટાના કારણે કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. તેમજ ઠંડીનું પ્રમાણ વધ-ઘટ થતાં સમગ્ર ગુજરાત પંથકનાં આંબાઓ પર વિષમ પ્રકારની સીઝનથી આંબા પર 2 થી 3 તબકકે મોર આવેલ છે.

શરૂના તબક્કે પાંખા મોર આવ્યા અને ત્યાર બાદ મોડે મોડે ફેબ્રુઆરી મહિનાના પ્રારંભ પછી ઠંડીની અસર હેઠળ બીજા તબક્કામાં આંબા પર ભરપૂર મોર આવેલ હતા. પરંતુ કમોસમી વરસાદ અને મીની વાવાઝોડું ફુકાતા તાજેતરમાં જ ભારે પવન અને ભેજને કારણે પ્રથમ તબક્કાનો ફાલ સંપૂર્ણપણે ખરી જતા કેરીનુ ઉત્પાદન અનિયમિત અને મોડું સર્જાય તેવી સ્થિતિ દેખાઇ રહી છે.

સામાન્ય રીતે માર્ચ મહિનાના પ્રારંભે સામાન્ય રીતે આગોત્રી કેરીનો ફાલ આવવાનો શરૂ થઈ જાય છે. પરંતુ આ વખતે આગોતરો ફાલ નિષ્ફ્ળ થઈ જતા સમગ્ર વિસ્તારમાં કેસર કેરીનો બીજા તબક્કાનો ફાલ મોડો આવે તેવી શક્યતા વર્તાતા હવે ગુજરાતના પ્રગતિશિલ બાગાયતકારો માટે સ્થિતિ પડકાર રૂપ ગણાવાઇ રહી છે.

છેલ્લા 10 દિવસમાં બે વખત વાતારવણના પલટા અને માવઠાના કારણે ધરતી પુત્રો ચિંતા માં મુકાયા છે. ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં કમોસમી વરસાદને કારણે ચિંતાની લાગણી જોવા મળી રહી છે. આંબાના ઝાડ  પર આવતા મોર અને રીના પાકને ખુબજ નુકસાન થઇ રહ્યું છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ભરૂચ સહિત જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો. અનેક વિસ્તારમાં પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે વરસાદ સાથે જોવા મળ્યો હતો. ખેડૂતો જણાવી રહ્યાં છે કે, આ વર્ષે કેરીના પાક સામાન્ય છે.  માવઠામાં મોટા પ્રમાણમાં કેરી પડી જતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. ખેડૂતના હાલ પડતા પર પાટુ જેવી સ્થીતી થઈ છે.

ભારતિય રિવાજોનું મહત્વ વિદેશીઓમાં પણ છવાયું : મેક્સિકન કપલે ભરૂચમાં પાડયા પ્રભુતામાં પગલા

-ભારતિય પરંપરાથી પ્રેરાઇ એક યુગલે મેક્સીકોથી ભરૂચ આવી પ્રભુતામાં પગલા પાડયા

મુંબઇ સ્થીત સિદ્ધિ વિનાયક મંદિર જેટલું જ મહાત્મય ધરાવતું ભરૂચનું મકતમપુર સ્થીત સિદ્ધિ વિનાયક મંદિર મેક્સિકન યુગલના લગ્નનું સાક્ષી બન્યું છે.

ભારતીય રીતરીવાજો અને સંસ્કૃતિથી પ્રેરાઇ પેડ્રો અને એરિકા ખાસ લગ્ન કરવા માટે જ ભારત અને તે પણ ભરૂચ ખાતે આવ્યા હતા. જેમના લગ્નનું સાક્ષી ભરૂચ સ્થીત સિદ્ધિવિનાયક મંદિર આજે બન્યું છે.

મેક્સિકો સિટીના એક યુગલ પેડ્રો અને એરિકાએ ભરૂચ આવી સિદ્ધિવિનાયક મંદિરના પટાંગણમાં મંત્રોચ્ચાર વચ્ચે અગ્નીના સાત ફેરા લઈ હિંદુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા. ભરૂચના રોટરી કલબ નર્મદાનો પરિવાર સહિત ખાસ લગ્ન માટે મેક્સિકોથી ભારત અને ભરૂચ પધારેલા યુગલના સ્નેહીજનો અને મિત્રો પણ જોડાયા હતા.

લગ્ન ભારતમાં કેમ વિષે યુગલને પુછતા તેમણે જણાવ્યું કે તેઓ પહેલેથી જ ભારત અને તેના રિત રિવાજો થી અભિભુત બન્યા છે, એટલું જ નહીં પણ પહેલેથી જ ભાષા ન જાણતા હોવા છતાં વરરાજા બનેલ પ્રેડ્રોએ પોતાના હાથે જય ગુરૂદેવનું ટેંટુ પણ કરાવી પોતાનો ભારતિય સંસ્કૃતિ અને રિતરિવાજો પ્રેમ અભિવ્યક્ત કર્યો હતો.

જે.એસ.એસ. અને બી.ડી.એમ.એ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ભવ્ય ઉજવણી કરાઈ

ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિયેશન અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝૈનુલ સૈયદે આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશે બહેનોને માહિતગાર કરી આ વર્ષની થીમ ડિજિટ-ઓલ : ઈનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન્ડર ઈકવાલીટી ઉપર માહિતી આપી હતી. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા થઈ રહેલ કાર્યોની વિગતો રજુ કરી હતી. મહાનુભાવોના સ્વાગત અને દિપ પ્રાગટય પછી કાર્યક્રમ આગળ ધપાવતા બીડીએમએના સી.ઇ.ઓ. જયેશભાઇ ત્રિવેદીએ પ્રાસંગિક પ્રવચન કરતાં બીડીએમએ વુમન ફોરમ દ્વારા ચાલતી પ્રવૃતિઓની માહિતી આપી મહિલા સશક્તિકરણ અંગે વિગતો જણાવી હતી.

જેએસએસ અને બીડીએમએ તરફથી પાંચ પ્રશિક્ષકોને કૌશલચાર્ય એવોર્ડ અર્પણ કરાયા તથા ત્રણ સભ્યોને વિશેષ પ્રશસ્તી પત્ર અને ટ્રોફી અર્પણ કરાયા. આ કાર્યકમમાં જેએસએસ તરફથી ભરૂચના ફેશન આઈકોન અને બિઝનેસ એન્ટરપ્રિનીયોર કું. હિમાની ઝામબ્રેનું ટ્રોફી અને પ્રશસ્તી પત્રથી સન્માન કરાયું. રિસોર્સ પર્સન બહેનોને કૌશલાચાર્ય એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરાયા જેમાં શ્રીમતી આશાબેન ચૌહાણ, શ્રીમતી વિભાબેન લાડોલા, શ્રીમતી મનીષાબેન પટેલ, શ્રીમતી પ્રિયંકાબેન પ્રજાપતિ, શ્રીમતી નયનાબેન પટેલનો સમાવેશ થાય છે.જ્યારે જેએસએસ તરફથી કામગીરી કરતા ટીમના સભ્યો શ્રીમતી ક્રીષ્નાબેન કઠોલીયા, શ્રીમતી જેતલબેન દેસાઈ, શ્રીમતી હેતલબેન પટેલનાઓને તેમના દ્વારા થયેલ સંતોષકારક સેવા કાર્યોની નોંધ લઈ પ્રમાણપત્ર અને ટ્રોફી અર્પણ કરાયા. આ સાથે જેએસએસ દ્વારા સ્કિલ પ્રોગ્રામ હેઠળ જુદા-જુદા કોર્ષીસમાં સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પણ મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરાયા.

ચાલુ માસમાં વિદાય લેતા સંસ્થાના રિસોર્સ પર્સન ગીતાબેન સોલંકીને તેમની કામગીરીની નોંધ લઈ સાલ ઓઢાવી સન્માન કરાયું અને છેલ્લા 22 વર્ષથી સ્કિલ તાલીમ માટે તેમની સેવાઓ અંગે આભાર વ્યકત કરાયો.અતિથીવિશેષ પદેથી મુખ્ય વકતા તરીકે વડોદરાથી પધારેલ જાણીતા ગાયનેકોલોજિસ્ટ અને ઈન્ડિયન મેનોપોઝ સોસાયટીના નેશનલ ચેરપર્સન ડો. બિનલબેન શાહ દ્વારા મહિલાઓને સ્વાસ્થ્ય અંગે રસપ્રદ માહીતી પૂરી પડાઈ હતી.પ્રમુખ સ્થાનેથી પોતાનું વક્તવ્ય આપતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે બંન્ને સંસ્થા દ્વારા આ શિસ્તબધ્ધ કાર્યક્રમ આયોજીત કરાયો છે જે અન્ય સંસ્થાઓ માટે પ્રેરણારૂપ છે અને મહિલાઓના ઉત્કર્ષમાં કાર્યરત બંન્ને સંસ્થાઓની કામગીરીને બિરદાવી હતી. તેમજ કૌશલ્ય તાલીમ પ્રાપ્ત કરેલ બહેનોને તથા સન્માનીત થયેલ બહેનોને આશીર્વાદ સહિત શુભકામનાઓ પાઠવી હતી.

ભરૂચ જિલ્લાના મુસ્લિમ પરિવારે અંગદાન કરી ખુદાની કરી અનોખી ઈબાદત,પ્રસરાવી માનવતાની સુવાસ

મૃત્યુ પછી પણ 4 લોકોમાં હંમેશા જીવંત રહેશે બ્રેઈનડેડ યુવક

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક મુસ્લિમ માતાએ પોતાના વ્હાલસોયા પુત્રના લીવર, બે કિડની અને સ્વાદુપિંડનું અંગદાન કરીને ખુદાની અનોખી ઈબાદત કરી નેકીમાં યોગદાન આપ્યું છે. ‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત શહેરમાં ફરીવાર સફળ અંગદાન થયું છે. આ અંગદાન એક મુસ્લિમ પરિવાર દ્વારા થતા ‘સર્વ ધર્મ સમભાવ’ની ભાવનાને બળ મળ્યું છે. ઈસ્લામ ધર્મમાં પણ દાનનો અનોખો મહિમા છે. રમઝાનના દિવસોમાં મુસ્મિલ બિરાદરો ભૂખ્યાને ભોજન, પડોશીને મદદ અનેક પ્રકારે દાન સાથે નેક કાર્ય કરતા હોય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રિક્ષા ચલાવીને પેટીયું રળતા ભરૂચ જિલ્લાનો એક ૨૭ વર્ષીય યુવાન તા.૦૪ ના રોજ વાલિયા ખાતે રાત્રિના સમયે બાઈક સ્લીપ થતા રોડ પર પટકાયો હતો. આ અકસ્માતમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થતા સુરત સિવિલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ત્રણ દિવસની સારવાર બાદ તબીબોની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવારજનોને સર્જરીના એસોસિયેટ સોટો ઓર્ગન ડોનેશનની ટીમ અને તબીબોએ અંગદાન અંગેની જાણકારી આપી. આ પરિવારે સંમતિ આપતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા કરવામાં આવી હતી.

અંગદાન અંગે યુવાનના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમારૂ સ્વજન આ દુનિયામાં નથી રહ્યું, પણ તે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેશે એવા આશયથી અમોએ અંગદાન કર્યું છે. અમારા સ્વજનના અંગો કોઈ પણ ધર્મના વ્યકિતને કામ લાગે તો આનંદ થશે તેમ પરિવારજનોએ જણાવ્યું હતું. આજરોજ વહેલી સવારે અમદાવાદની IKDRC ટીમ દ્વારા સુરત આવીને બ્રેઈનડેડ યુવકની બે કિડની, લીવર તથા સ્વાદુપિંડનું દાન સ્વીકારીને અંગો અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલના નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. આમ સુરત સિવિલમાં ૧૯મું સફળ અંગદાન થયું હતું.

અંદાડા ગામના બાળકે 14 વર્ષીય બાળકે વેસ્ટ મટીરીયલ્સમાંથી બનાવ્યો સ્પાઇડર

અંકલેશ્વરના અંદાડા ગામનો 14 વર્ષીય કિશોર રોબોટ અને સ્પાઇડર બનાવી બાળ વૈજ્ઞાનિક બન્યો છે.સાયકલ રીપેર કરતા મુલતાની પરીવારના 14 વર્ષીય ઈર્શાદે ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવાની ખેવના વ્યકત કરી છે. માત્ર 14 વર્ષની ઉમંરમાં તેણે વેસ્ટ મટીરીયલમાંથી માત્ર 6 ઇંચનો રોબર્ટ અને 4 ઇંચનો ઇલેક્ટ્રોનિક સ્પાઈડર બનાવ્યો હતો. શાળામાં યોજાતા વિજ્ઞાન મેળા નિહાળી પોતાના મનમાં ચાલતા વિચારો ને ઇનોવેશન રૂપે રોબોટ અને સ્પાઇડર ની પ્રતિકૃતિ તૈયાર કરી છે.

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે રહેતા અને સાયકલ રીપેરીંગનોવ્યવસાય કરતા પીર મહંમદ મુલતાની 14 વર્ષીય પુત્ર ઈર્શાદ અભ્યાસ ના સમય બાદ વેસ્ટ મટીરીયલ એકત્ર કરી સ્ટેશનરીમાં મળતી બેટરી અને આઈસ્ક્રીમની ચમચીની મદદથી ટચુકડું ડ્રોન બનાવ્યું હતું જે થોડી ઉડાન ભર્યા તુટી પડયું હતું. જો કે 5 થી 10 ફૂટ ની ઉંચાઈ પર પહોંચ્યા બાદ તૂટી પડેલા આ ડ્રોન ને તેની હિંમત વધારી દીધી હતી.

ત્યાર બાદ ઈર્શાદ એ વેસ્ટ સ્ટ્રો , બોટલ ઢાંકણ અને આઈસ્ક્રીમ ની ચમચી અને સ્ટેશનરી માંથી બેટરી લઇ આવી તેના વડે ગમ ગન ની રોબોટનિર્માણ કર્યું હતું. 6 ઇંચ નારોબોટને જેવો જ સેલ સાથે જોડાણકરતા જ તે ફટાફટ ચાલવા લાગ્યો હતો. જે 6 ઇંચ નારોબોટની પ્રતિકૃતિ એ તેના ઇનોવેશનને પ્રથમ સફળતા આપવી અને તેને પ્રેરણા એટલીમળી કે ત્વરિત અસર થી તાર અને બેટરી ની મદદ થી માત્ર 4 ઇંચ નું સ્પાઈડર બનાવી દીધું હતું અને તે પણ તાર નું જોડાણ કરતા જ દોડવા લાવ્યો હતો.

દહેજમાં પ્રદૂષિત પાણીથી વિદેશી પક્ષીઓના મોત

ભરૂચ જિલ્લાના દહેજમાં કંપનીઓ દ્વારા કેમિકલયુકત પાણીનો જાહેરમાં નિકાલ કરી દેવામાં આવતો હોવાથી પશુ-પક્ષીઓના મોતની ઘટના સામે આવી છે. હાલમાં જ કિંગફિશર સહિતના વિદેશી પક્ષીઓ મોતને ભેટયાં હોવાથી જાગૃત નાગરિકોએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. દહેજ જીઆઇડીસીમાં 300થી વધારે ઉદ્યોગો ધમધમી રહયાં છે અને મોટાભાગના ઉદ્યોગોનું પાણી ટ્રીટમેન્ટ થયા વિના સીધું દરિયામાં ભળી રહયું હોવાની ફરિયાદ મુખ્યમંત્રીને કરવામાં આવી છે. કંપનીઓ દ્વારા છોડવામાં આવતાં કેમિકલયુકત પાણીના કારણે ઠેર ઠેર નાના જળાશયો પણ બની ગયાં છે.

આ જળાશયોમાં પાણી પીવા આવતાં પશુ અને પક્ષીઓ મોતને ભેટી રહયાં છે. હાલમાં જ દહેજમાં વિદેશી પક્ષીઓના મોતની ઘટના સામે આવી છે. કંપનીઓના દુષિત પાણીના કારણે નર્મદા નદીના નીર પણ પ્રદુષિત બની જવાથી નદીમાં પણ જળચરોના મોત થતાં માછીમારોની હાલત કફોડી બની છે. દરિયા તથા નદીમાં છોડવામાં આવતું કેમિકલવાળુ પાણી રોકવામાં આવે તે માટે જીપીસીબીને આદેશ કરવામાં આવે તેમ જાગૃત નાગરિકોએ જણાવ્યું છે.

ભરૂચના છેવાડાના ગામની દિકરી ડોમેસ્ટિક ઈન્ટરસ્ટેટ કિકેટમાં ઝળકી

ભારતના બોર્ડ ઓફ ક્રિકેટ કંન્ટ્રોલ ઓફ ઈન્ડિયા(BCCI) દ્વારા ભારતના સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોનલ કક્ષાએ ઈન્ટર સ્ટેટ ક્રિકેટની ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. આ ટુર્નામેન્ટ  ભારતમાં પાંચ ઝોન નોર્થ, ઈસ્ટ,વેસ્ટ સાઉથ તથા સેન્ટલ ઝોનની ટીમો વચ્ચે ઈન્ટર સ્ટેટ કિક્રેટની ટુર્નામેન્ટ યોજાય છે.

BCCIએ ઉત્કૃષ્ટ પ્રર્દશન કરતાં ડોમેસ્ટીક બેસ્ટ બોલર અને બેટીંગ કરતા કિક્રેટ પ્લેયરોની યાદી બહાર પાડી હતી. આ ટોપ ૧૦ ખેલાડીઓની યાદીમાં ગુજરાતના ભરૂચ જિલ્લાની મુસ્કાન વસાવાને સ્થાન મળતા ડોમેસ્ટિક ક્રિકેટરોની યાદીમાં નવું નામ ઉમેરાયું છે.

તાજેતરમાં ભારતના હૈદરાબાદ ખાતે રમાયેલ ઈન્ટર સ્ટેટ“સિનિયર વુમન ઈન્ટર ઝોનલ એક દિવસીય કિક્રેટ ટુર્નામેન્ટ” રમાઈ હતી.આ સમગ્ર ઈનીંગ દરમ્યાન વેસ્ટ ઝોનમાં બોલર તરીકે ભરૂચના ઝઘડિયાની મુસ્કાન વસાવાએ શ્રેષ્ડ ગોલંદાજીનું પ્રદર્શન કર્યું હતું. આ ઈનીંગમાં તેણીએ ૨૧ રન આપીને ૬ વિકેટ મેળવી હતી.

આ ઉમદા પ્રદર્શનને કારણે ઝઘડિયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવાના કિક્રેટની સરાહના કરતાં ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ ૧૦માં સમાવેશ કરવામાં આવ્યો હતો.

મુસ્કાન વસાવા અંડર ૧૬થી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી આવી છે. આ પહેલા વેસ્ટ ઝોન સિનિયર  વુમન  ટી- ૨૦ માં સિલેક્શન થયું હતું. ત્યાં પણ સારું પ્રદર્શન કરી ઉત્કૃષ્ટ પ્રતિભા દેખાડી હતી. ત્યારબાદ ઈન્ટર સ્ટેટની ઈનીંગની મેચમાં ફોર્મ જાળવી રાખી શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટરની યાદીમાં નામના મેળવી છે.

મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાન્ત વસાવાએ તેની માતાની યાદમાં તથા દિકરીની ક્રિકેટ પ્રત્યેના સમર્પણ અને હુનર  જોઈને પિતૃવાત્સલ્યનો ભાવ દર્શાવીને પોતાના ખેતરને જ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધું હતું. હાલમાં સ્વ.મધુબેન ફતેસિંહના બેનર હેઠળ બલેશ્વર સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઝગડીયા, નેત્રંગ તાલુકાના ૨૦ થી પણ વધુ  મેન- વુમન ખેલાડીઓ મફત કોચિંગ પ્રાપ્ત કરી રહ્યા છે.

અંકલેશ્વરના બકરા ચોરી ગેંગના બે આરોપીઓ અમદાવાદના વટવાથી ઝડપાયા

ગત તા.૧૭/૨/૨૩ના રોજ અંકલેશ્વર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળીયામાં આવેલ એક મકાનની બાજુમાં આવેલ બંધ ઓરડાના લોખંડના દરવાજાની ગ્રીલ કાપી,તાળુ તોડી બકરા ચોરી ગેંગ દ્વારા ઓરડામાં રહેલ નાના-મોટા બકરાઓની ચોરી થયાની એક ફરીયાદ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવા પામી હતી.

જે અન્વયે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી સર્વેન્સ અને સી.સી.ટીવીના આધારે તપાસ હાથ ધરતા ગુનામાં વપાયેલ ગ્રે કલરની બ્રિઝા કાર અમદાવાદ ખાતે વટવામાં રહેતા પપ્પુ ગુલાબા ચુનારાની હોવાનું બહાર આવતા સ્થાનીક પોલીસની મદદ વડે ગાડી માલીક પપ્પુ ગુલાબ ચુનારા તથા દિપક નામના અન્ય આરોપીની અટકાયત કરી ગુનામાં વપરાયેલ ગાડી સાથે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરી હતી. આ પુછપરછ દરમ્યાન અટક કરાયેલ ગાડી માલીક સહિતના આરોપીઓએ બકરા ચોરીના ગુનાની કબુલાત કરી હતી.

જેથી પોલીસે ગાડી માલીક પપ્પુ ગુલાબ ચુનારા ઉ.વર્ષ ૨૩, રહે.૩૦૭, ગણેશપાર્ક સોસાયટી,બચુભાઇના કુવા આસે વટવા,અમદાવાદ અને દિપક રાજકુમાર પટેલ ઉ.વર્ષ ૧૯, રહે.૩૫ ગણેશપાર્ક સોસાયટી,બચુભાઇના કુવા આસે વટવા,અમદાવાદની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ ગુનાના અન્ય એક આરોપી ઇમરાન ઉર્ફે કાબરો રહે. મલાવ તળાવ પાસે,ધોળકા,જી. અમદાવાને વોન્ટેડ જાહેર કરી તેની શોધ આરંભી છે.

error: Content is protected !!