The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 29

અંકલેશ્વરમાં સરકારી શાળામાં ધોરણ 8 માં ભણતી આદિવાસી છાત્રાની છેડતી

અંકલેશ્વર તાલુકાની એક સરકારી શાળામાં નવા શૈક્ષણિક સત્રના આરંભે જ ધોરણ 8 માં અભ્યાસ કરતી આદિવાસી છાત્રા સાથે લંપટ આચાર્યે શારીરિક અડપલાં કર્યા હોવાની હીન ઘટના પ્રકાશમાં આવી છે.

અંકલેશ્વર તાલુકાના એક ગામની આદિવાસી 13 વર્ષની દીકરી છેલ્લા 2 દિવસથી શાળાએ જતી ન હતી. સ્કૂલે નહિ જવા તે ઘરે એક યા બીજું બહાનું બતાવી દેતી હતી.આખરે માતાએ દીકરીને પૂછ્યું હતું કેમ બેટા સ્કૂલે નથી જવું. કઈ થયું છે. દીકરીએ આખરે રડતા રડતા માતાને શાળામાં તેની સાથે ઘટેલી ઘટના કહેતા માતા પણ સ્તબ્ધ બની ગઈ હતી.સરકારી શાળાના આચાર્યએ જ ધોરણ 8મા અભ્યાસ કરતી બાળકીની છેડતી કરી હતી. ચાલુ શાળાએ ઓફિસની સાફ-સફાઈ કરવાના બહાને આચાર્યએ બોલાવી શારીરિક અડપલા કર્યા હતા.

ગભરાયેલી બાળકી આચાર્યથી પોતાને છોડાવી ઓફિસની બહાર ભાગી આવી હતી. જે બાદ તે શાળાએ જવા જ માંગતી ન હતી.બે દિવસ શાળાએ નહી જતા માતા-પિતાએ બાળકીની પુછપરછ કરતા સમગ્ર ઘટના બહાર આવી છે.પરિવારજનોએ તાત્કાલિક પોલીસ મથકે દોડી આવી આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. જોકે લંપટ આચાર્ય હવે તેના આ શિક્ષણ જગતને લાંછન લગાવનાર કરતુત, પોલીસ ફરિયાદ થતા પોતાની શાખના ધજાગરા અને નોકરીમાં પણ લટકતી તલવારને લઈ હાથ જોડતા દોડતો થઈ ગયો હતો.

ગામનો સરપંચ પણ વચ્ચે પડતા આચાર્યે પોતે બદલી કરાવી બીજે જતા રહેવાની અને માફીપત્ર લખી આપવાની કાકલૂદી ચાલુ કરી દીધી હતી. હવે પછી આવી હીન હરક્ત નહિ કરું નું માફીપત્ર લખી આપતા આ બનાવમાં આચાર્ય પોલીસ ફરિયાદથી બચી ગયો છે.

ભરૂચના ઝનોર માર્ગ પર થયેલ લૂંટ મામલે 6 લૂટારૂ ઝડપાયા

ભરૂચના ઝનોર-નબીપુર રોડ પર શુક્રવારે બપોરે કારમાં પસાર થઇ રહેલાં અમદાવાદના સોનીને આંતરી બંદુક તથા ચપ્પુની અણીએ 2 કિલો સોનું તથા રોકડ મળી 1 કરોડની લૂંટ ચલાવી બે કારમાં આવેલાં 6 લૂંટારૂ ફરાર થઇ ગયાં હતાં. લૂંટને પગલે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં નાકાબંધી કરી દેવાઇ હતી.

અમદાવાદના માણેકચોકના ત્રિલોકચંદ સોનીની કાર આંતરી ભરૂચના નબીપુર-ઝનોર રોડ ઉપર 2 કારમા આવેલા લૂંટારુંઓએ 219 તોલા સોનુ સહિત રોકડા મળી કુલ રૂ.1.21 કરોડની ચલાવેલી લૂંટમાં 6 લૂંટારુંઓને પકડી લેવાયા છે.

અમદાવાદના માણેકચોકના મુકેશ ત્રિલોકચંદ સોનીની કાર આંતરી શુક્રવારે બપોરે નબીપુરથી ઝનોર જવાના માર્ગે 2 કારમાં આવેલા લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો.બંદૂકની અણીએ જવેલર્સ અને તેના કર્મચારી પાસે રહેલા 2 કિલો 193 ગ્રામ સોનાના દાગીના, રોકડા 2.81 લાખ, બે મોબાઈલ ફોન મળી લૂંટારુઓ રૂ.2.21 કરોડની મત્તા લૂંટી ફરાર થઇ ગયા હતા.

ભર બપોરે સવા કરોડની લૂંટને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે LCB, SOG સાથે જિલ્લા અને નર્મદા, વડોદરા તેમજ સુરત પોલીસને પણ એલર્ટ કરી દીધી હતી.ભરૂચ LCB PI ઉત્સવ બારોટ, SOG PI આનંદ ચૌધરી સહિતે 15 થી વધુ ટીમો બનાવી કવિક એક્શન લઈ લૂંટારુંઓની બે કારનું ટ્રેસિંગ અને ટ્રેકિંગ હાથ ધર્યું હતું.સુરત અને વડોદરા તરફના હાઇવે પર હોટલો, ધાબા, નાકા ખાતે પણ એલર્ટ જારી કરી CCTV સાથે નાકાબંધી કરી વાહન ચેકીંગ હાથ ધરાયુ હતું.ભરૂચ ઉપરાંત નર્મદા, વડોદરા જિલ્લાનું ક્રાઈમ બ્રાન્ચ પણ લૂંટારુંઓના ભાળ મેળવવામાં જોતરાઈ ગયું હતું.પોલીસ ટીમોએ રાતે શિનોરથી મહેસાણા અને નાસિકના 3 લૂંટારુંઓ સંદીપ પટેલ, કરણ પટેલ અને પ્રવીણ વાઘને ઝડપી પાડ્યા હતા.

 

અંકલેશ્વર GRP કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કંપની પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા હોવાની ફરિયાદ

અંકલેશ્વરની GRP કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કાચોમાલ મોકલતા વેન્ડર સાથે મળી એક વર્ષમાં કંપની પાસેથી રૂપિયા 35.33 લાખ ખંખેરી લીધા હોવાની ફરિયાદ જનરલ મેનેજરે નોંધાવી છે.

અંકલેશ્વર GIDC માં આવેલી GRP કંપની રિકલેમ રબર શીટ બનાવે છે. જે માટેનો કાચો માલ રબર વેસ્ટ વિવિધ વેન્ડરો પાસેથી મેળવે છે.ભડકોદ્રા આઝાદનગરમાં રહેતા હિના ટાયર્સના બરકતુલ્લાહ અસગરઅલી ખાન પણ કંપનીમાં કાચો માલ મોકલતા હતા..કંપનીના આસિસ્ટન્ટ મેનેજર મેહુલ ઠાકોર પટેલે કંપનીમાં 12 વર્ષ નોકરી કરી, ગત 22 જૂન 2022 માં સ્વૈચ્છીક રાજીનામુ અપયી4 હતું. જે બાદ તે 4 મહિના પછી રિજોઇનિંગ થયો હતો.આસિસ્ટન્ટ મેનેજર મેહુલ પટેલે વેન્ડર બરકતુલ્લાહ સાથે મળી કંપનીમાં એક વર્ષમાં આવેલા કાચા માલની 12 ગાડીઓના વજનમાં ભારે ઘાલમેલ કરી હતી.વજન કાંટાની સ્લીપોની આગળ કે પાછળ એક આંકડો ઉમેરી ખોટી વજન સ્લીપ, પરચેઝ ઓર્ડર અને ટેક્ષ ઇનવોઇસ સાથે રજિસ્ટર્ડમાં છેડછાડ કરી 3100 કિલોનો કાચો માલ 31,000 કિલો કરી દીધો હતો. જેમાં વેન્ડરને ચુકવવાના થતા લાખ સામે 44.42 લાખનું ચુકવણું કરવું પડ્યું હતું.

એક વર્ષના તમામ રેકોર્ડ ચેક કરતા આસિસ્ટન્ટ મેનેજર અને વેન્ડરે રૂ.35.33 લાખની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ભેજાબાજ મેહુલને 18 લાખ મળ્યા હતા.કંપની સાથે રૂ.35.33 લાખની ઠગાઈમાં જનરલ મેનેજર રાજુ મોદીએ GIDC પોલીસ મથકે આસિસ્ટન્ટ મેનેજર મેહુલ પટેલ અને વેન્ડર બરકતુલ્લાહ સામે ઉચાપતનો ગુનો નોંધાવ્યો છે.

અંક્લેશ્વરમાં બે સગી બહેનો રેલવે ટ્રેક પર મૃત હાલતમાં મળી

અંકલેશ્વરમાં શ્રીધર સોસાયટી રહેતી બે બહેનો ગૂમ થયેલી બંનેવ બહેનોએ ગુરૂવારના રોજ વિરાટનગર પાછળ આવેલા રેલવે ટ્રેક પર લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

અંક્લેશ્વરના સુરવાડી બ્રિજ પાસે આવેલી શ્રીધર સોસાયટીમાં રહેતાં અને મુળ બિહારના નાલંદાના વતની રાકેશ વિનોદ પ્રસાદ કોહલર કંપનીમાં ફરજ બજાવતાં હતાં. વર્ષ 2017થી રોજગારાર્થે અંક્લેશ્વર આવેલાં વિનોદના બે વર્ષ પહેલાં બિહારમાં જ સુરૂચીકુમારી નામની યુવતી સાથે લગ્ન થયાં હતાં. દાંપત્ય જીવનમાં તેમને એક સંતાનનું સુખ મળ્યું હતું. છેલ્લાં છ મહિનાથી તેમની સાળી સીમા પણ તેમની સાથે જ રહેતી હતી. દરમિયાન સાંજે દંપતિ વચ્ચે બાળકની બિમારીને લઇને તકરાર થતાં સુરૂચીને લાગી આવતાં તે ગુસ્સે ભરાઇને ઘરેથી નિકળી ગઇ હતી.

તેની પાછળ તેને સમજાવવા અને મનાવવા માટે તેની નાની બહેન સિમા પણ તેની પાછળ જ નિકળી હતી. જ્યારે વિનોદ તેમના એક વર્ષના સંતાનને લઇને બેઠાં હતાં. મોડે સુધી બન્ને ઘરે પરત નહીં આવતાં વિનોદ પ્રસાદે તેમને શોધવાનો પ્રયાસ કર્યો હતો. તેમના સગડ નહીં મળતાં આખરે તેમણે અંક્લેશ્વર એ-ડિવિઝન પોલીસમાં પણ તે બાબતે મૌખિક જાણ કરી હતી. દરમિયાન મધ્યરાત્રિએ બન્નેવ બહેનોએ ઓએનજીસી બ્રિજ પાસે આવેલાં વિરાટનગર નજીક ટ્રેન નીચે પડતું મુક્યું હોવાની જાણ થતાં તેઓ તેમના પરીચિતો સાથે સ્થળ પર દોડી ગયાં હતાં. બનાવને પગલે ભરૂચ રેલવેના અંક્લેશ્વર બીટની પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં આગ

અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં ભયાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ છે. આગની જાણ અંકલેશ્વરના ફાયર ફાયટરોને કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.

અંકલેશ્વરમાં અનેક આગ લાગવાના બનાવો બનતા રહે છે. ત્યારે આજે સવારે વધુ એક આગ લાગવાનો બનાવ બન્યો છે. અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે કંપનીમાં કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે, આગના ધૂમાડા દૂર દૂર સુધી નજરે પડતા હતાં. આગની જાણ અંકલેશ્વર ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ લાશ્કરો સાથે સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. આ આગા એટલી વોકરાળ હતી કએ લગભગ ૭ જેટલા ફાયર ફાઈટરની મદદ વડે આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધરાયા હતા.આ આગની જાણ થતાં જ ફેકટરી અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં. જોકે કંપની બંધ હોય માત્ર તેમાં અમુક જ કર્મી હોય કોઇ જાન હાની ન થતા હાશકારો અનુભવાયો હતો,પરંતુ હજુ આ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.

ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર બે બસોના અકસ્માતમાં મુસાફરોના જીવ તાળવે..!

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ ઉપર પુનઃ એક વખત બે એસટી બસને અકસ્માત નડ્યો છે. જેના નાના વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. એસટી વિભાગે બસના ચાલકોને 40 કિમીની ઝડપે બસ ચલાવવા સૂચના આપેલી છે છતાંય અકસ્માત સર્જાયો હતો.

ભરૂચ અને અંકલેશ્વરને જોડતો માર્ગ એસટી બસ ચાલકો માટે અકસ્માત ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે. અગાઉના 20 દિવસમાં 11થી વધુ બસને અકસ્માત નડ્યો હતો. જે બાદ એસ.ટી. નિગમ હરકતમાં આવી સરકારી બસોની ગતિ આ માર્ગ પર 40 કિમીની કરી દેવામાં આવી હતી. જો કોઈ ચાલક સ્પીડ લિમિટથી વધારે ઝડપથી બસ ચલાવશે તો તેની સામે કાર્યવાહી કરવાની પણ તૈયારી દાખવી હતી.

એસટી વિભાગે ચાર ટીમો બનાવી મોનીટરીંગ શરૂ કર્યું હતું. એસટી વિભાગે નર્મદા મૈયા બ્રિજ તેમજ માર્ગ પર બસો માટે 40 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદિત દર્શાવતા બેનર લગાવવામાં આવ્યા હતા.પાંચ દિવસ પહેલા જ અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે એસટી બસની 40 કિમીની ગતિ કરી હોવા છતાંય આજે વહેલી સવારે એસટી વિભાગની બે બસોને છાપરા પાટિયા નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં અંકલેશ્વર તરફથી આવતી એક બસને પાછળથી આવતી વોલ્વો બસના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સાઈડમાં એક ઇકોવાન ચાલકને પણ અડફેટમાં લીધી હતી. અકસ્માતમાં બસના મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. મળતી માહિતી મુજબ અકસ્માતમાં એસટી ચાલકને માથાના ભાગે ઇજાઓ પહોંચતા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમીક સારવાર અપાઈ હતી.

જોકે અકસ્માતના કારણે બસ રોડ ઉપર ક્રોસ થઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને અવર-જવર માટે ભારે હાલાકી વેઠવી પડી હતી. અકસ્માતમાં વીજના પોલને પણ નુકસાન થયું હતું. આ અંગે એસટી વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માગ ઉઠી છે.ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર વધુ બે અકસ્માતના બનાવ બન્યા હતા. જેમાં એક ભૂત મામાની ડેરી પાસે સ્વીફ્ટ કાર ચાલકે ઇકો કારને પાછળથી ટક્કર મારતા ઇકો ગાડી બીજી ઇકો ગાડીને અથડાઈ હતી. આ અકસ્માત સમયે પાછળ આવતી અલ્ટો કાર પણ ઘુસી જતાં ચાર વાહનો ભટકાયા હતા. સદનસીબે તેમાં કોઈને જાનહાની થઈ નથી. જ્યારે બીજા બનાવમાં એક વાન ચાલક વરસાદી માહોલમાં બ્રેક મારતા ગાડી સ્લીપ ખાઈને રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વાહન ચાલકોના જણાવ્યા મુજબ વરસાદ પડવાના કારણે રોડ ચીકણો બને છે અને બ્રેક મારતા જ ગાડી રોડ ઉપર ચેહરાવા લાગતી હોય છે. જેના કારણે અકસ્માતના બનાવો નબી રહ્યા હોવાનું લાગી રહ્યું છે.

ઝાડેશ્વર ખાતે જે. બી. મોદી વિધાલયમાં વિશ્વ યોગ દિવસ ૨૦૨૩ ઉજવાયો

જે. બી. મોદી વિધાલય, ઝાડેશ્વરમાં તા. ૨૧-૬-૨૦૨૩ ના રોજ “વિશ્વ યોગ દિવસ” ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી હતી. યોગ એ પ્રાચીન ભારતની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે.

ભારતીય સંસ્કૃતિનો અણમોલ વારસો છે. આ વારસાનું જતન અને સંવર્ધન થાય, વિધાર્થીઓ યોગનું મહત્વ સમજે અને તેનો લાભ મેળવી શકે એ હેતુથી સ્કૂલમાં વિદ્યાર્થીઓને વિવિધ યોગાસનો, પ્રાણાયામ તથા ધ્યાન નિયમિત રીતે દરરોજ કરાવવામાં આવે છે અને દર મહિનાની ૨૧ તારીખે ૧ કલાક યોગાસન કરાવવામાં આવે છે.

જેના પરિણામ સ્વરૂપ બધા જ વિધાર્થીઓએ ખુબ જ કુશળતાપૂર્વક વિશ્વ ચોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો. શરીરની સાથે સાથે મન અને મગજને પણ સ્વાસ્થ્ય બક્ષતા યોગના વિવિધ આસનો તથા પ્રાણાયામની રજૂઆતની સાથે જ તેમનું મહત્વ અને ફાયદાની પણ સમજૂતી આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના માનનીય ટ્રસ્ટી શ્રીમતી નિકીબેન મહેતા ઉપસ્થિત રહ્યા કે જેમના માર્ગદર્શન અને પ્રોત્સાહન હેઠળ શાળામાં આવી વિવિધ પ્રવૃત્તિઓ સતત યોજાય છે. આ ઉપરાંત વાલીમિત્રો પણ અમારા સૌ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી માં સંમેલિત થયા. સૌના સંકલન અને સહકારથી આ કાર્યક્રમ સફળ રીતે સંપૂર્ણ થયો.

ભરૂચમાં સંસ્કારી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખના સંસ્કારો ફોટાના માધ્યમથી વાયરલ..!

સંસ્કારી પાર્ટીના અનેક કારનામાઓ સામે આવી રહ્યા છે અને તેમાંય હની ટ્રેપના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે સંસ્કારી પાર્ટીના મહિલા અધ્યક્ષના જ હની ટ્રેપના કારનામાં સાથે તેના સંસ્કારો ફોટાના માધ્યમથી વાયરલ થતા ભરૂચ ભાજપમાં ભૂકંપની સ્થિતિ સાથે મહિલા મોરચામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

ભરૂચ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષના ફોટા વડોદરાના 35 વર્ષના યુવક સાથે અશ્લીલ વાયરલ થયા છે અને હની ટ્રેપમાં યુવકને ફસાવ્યો હોવાની પણ ઘટના હોવાનું માનવામાં આવે છે ત્યારે છેલ્લા બે દિવસથી ભાજપ મહિલા મોરચાના પ્રમુખના ફોટા યુવક સાથે સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. યુવક સાથે હની ટ્રેપની ઘટના ઘટી હોય અને મોટી રકમ પડાવી હોવાના આક્ષેપ સાથે યુવકે ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ આપી હોવાની ઘટના સામે આવી છે અને ફરિયાદની નકલ પર સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

વાઇરલ ફોટામાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ અન્ય યુવક સાથે રંગ રંગ રેલીયા મનાવતા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ તેમજ ફરિયાદમાં પણ યુવક સાથે મહિલા મોરચાના પ્રમુખે શારીરિક સંબંધો રાખ્યા હોય તેવા આક્ષેપ કર્યા છે. યુવકને ધાક ધમકી આપી તેની સાથે રહેવા માટે દબાણ કરવામાં આવતું હોવાના કારણે સમગ્ર ભાંડો સામે આવ્યો છે અને યુવકે પોલીસ ફરિયાદ આપી છે સાથે જ મહિલા મોરચાના પ્રમુખે માંગમાં સિંદૂર અને યુવક સાથે બંનેવે હાર પહેરેલા હોવાના કારણે લગ્ન પણ થયા છે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય થયો છે. જો કે મહિલા પ્રમુખનો પતિ પણ હૈયાત હોવાનું પણ માનવામાં આવે છે.

સોશિયલ મીડિયા ઉપર સતત ફોટા વાયરલ થતા સંસ્કારી પાર્ટીના સંસ્કારોની પોલ ખુલ્લી પડી ગઈ હતી યુવકે ન્યાયની આશાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. હાલ તો સમગ્ર ઘટનામાં ભાજપની છબી ખરડાઈ રહી છે. ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખે પણ આ બાબતે નક્કર પગલાં ભરવા જોઈએ અને ટેલિફોનિક વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે વાયરલ ફોટામાં ભાજપના મહિલા પ્રમુખે રાજીનામું આપ્યું છે.

પાનોલીની શ્રી રાંદલ ઇન્ટર કેમ પ્રાઇવેટ લિમિટેડમાંથી ગેસ ગળતર થતા અફરાતફરી

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી શ્રી રાંદલ ઇન્ટર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ગેસ ગળતરથી અફરાતફરી સર્જાઇ હતી. ગેસ ગળતરના કારણે સંજાલી ગામના રહીશોને ગેસની અસર થતા શ્વાસમાં તકલીફ અને આંખમાં બળતરાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ગેસ ગળતરના કારણે ગ્રામજનોનું ટોળું કંપની પર દોડી આવી ઉગ્ર રજૂઆતો કરી હતી.જયારે ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર,પોલીસ અને GPCB ના અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી હતી.

પાનોલી GIDCની શ્રી રાંદલ ઇન્ટર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતરની ઘટના રાત્રીના સમયે બની હતી. આ ગેસ કંપનીની નજીક આવેલા સંજાલી અને પનોલીના ગામમાં પ્રસરી જતાં ગ્રામજનોને શ્વાસ અને આંખમાં બળતરાથી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો..સંજાલી ગામમાં તીવ્ર ગેસની અસર થતા ગામના લોકોમાં ભયના માહોલ સાથે નાસભાગ મચી જવા પામી હતી. ગેસના કારણે લોકો ખરોડ અને અંકલેશ્વર તરફ ભાગ્યા હતાં.આ સમય દરમિયાન તેની આજુબાજુમાં આવેલી કંપનીઓના કામદારો પણ ભાગી નીકળ્યા હતાં.

આ ઘટનાની જાણ થતા અંકલેશ્વર પોલીસ વિભાગ તેમજ તાલુકાનું વહીવટી તંત્ર અને જીપીસીબીની ટીમ તાત્કાલિક સંજાલી ગામ ખાતે દોડી ગયા હતા. અર્ધા કલાક સુધી ચાલેલા ગેસ રિસાવને લઇ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો.જેથી ગ્રામજનો સ્થાનિક આગેવાનો સાથે શ્રી રાંદલ ઇન્ટર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની પર પહોંચી કંપની સામે બળાપો કાઢ્યો હતો.જોકે આ સમયે ત્યાં હાજર પોલીસ અને વહીવટી તંત્રએ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. ઘટનાના પગલે GPCB ની મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હવાની ગુણવત્તાની ચકાસણી કરી કંપનીની  પૂછપરછ આરંભી હતી.

આ ગેસ ગળતરની ફરિયાદ GPCBને મળતા જ ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર શ્રી રાંદલ ઇન્ટર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ગેસ ગળતર થયું હતું જે આધારે કંપની ખાતે પણ તપાસ કરાઈ રહી છે. દોષિત કોઈપણ હશે આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જંબુસરના મદાફર ગામે વીજ લાઈન રીપેર કરવા ગયેલ બે વિજકર્મી દાઝયા

જંબુસર તાલુકા ના મદાફર ગામે બિપોરજોય વાવાઝોડા ના પગલે ક્ષતિગ્રસ્ત થયેલ વીજ લાઈન રીપેર કરવા ગયેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની ના જંબુસર ગ્રામ્ય ના બે હલ્પરો ને વીજ કરંટ લાગવાથી દાઝી જતા સારવાર અર્થે જંબુસર ખાનગી હોસ્પિટલમા લાવ્યા હોવાના અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડયા હોવાના અહેવાલ મળ્યા છે.

આ બનાવમાં જંબુસર તાલુકા ના મદાફર ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપની જંબુસર ગ્રામ્ય ના હેલ્પરો કૌશિકભાઈ લાલાભાઇ વસાવા તથા પરેશભાઈ પી. પટેલ બિપોરજોય વાવાઝોડામાં ક્ષતિગ્રસ્ત થયેલ વીજ લાઈન રીપેર કરવા માટે ગયા હતા.જ્યાં વીજા લાઇન મરામત કરવા વીજ પોલ ઉપર ચઢયા હતા. દરમિયાન તેમને વિજકરંટ લાગતા બંન્નેવ વિજકર્મી દાઝી જવા સાથે નીચે પટકાયા હતા.વિજા કરંટના કારણે દાઝેલ આ બન્નેવ હેલ્પરોને સારવાર અર્થે જંબુસર ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મારફતે ખાનગી હોસ્પિટલ ખાતે લાવવામા આવ્યા હતા. જયાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડયા હતા.આ બનાવ ની જાણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના જંબુસર ગ્રામ્યના ડેપ્યુટી ઈજનેર ડુમસીયા સહિતના અધિકારીઓને થતા તેઓ પણ દોડી આવ્યા હતા.

error: Content is protected !!