અંકલેશ્વરના સાંળગપુર નજીક આવેલ મંગલદીપ સોસાયટીમાં પતિએ ગળે ફાંસો લગાવી આપઘાત કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
મૂળ ભાગલપુર બિહારના મોહિદ્પુરના રહેવાસી અને હાલ અંકલેશ્વરના સાંળગપુર નજીક આવેલ મંગલદીપ સોસાયટી-૧માં રહેતા નિરંજન આમીર તાતીને પત્ની રાનીદેવી સાથે મોબાઇલ માંગતા થયેલ ઝઘડાનું માઠું લાગી આવતા પતિ નિરંજન તાતીએ ઘરમાં પંખા સાથે ફાંસો લગાવી આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાની જાણ જી.આઇ.ડી.સી પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથધરી છે.
અંકલેશ્વર: પતિ પત્ની વચ્ચે નજીવા ઝઘડામાં પતિએ કરી આત્મહત્યા
ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર તરીકે પંકજભાઈ ભુવાની નિમણુંક
કાગવડ ખાતે ખોડલધામ ટ્રસ્ટની બેઠક મળી હતી,જેમાં ૨૦૨૧/૨૨ માટે સંગઠન બનાવવામાં આવ્યુ હતુ. બેઠકમાં રાજ્યના જિલ્લાઓના કન્વીનરોની નિમણુંક પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જીલ્લાઓના કન્વીનર અને મહિલા કન્વીનરોની નિમણુંક કરવામાં આવી હતી. દરેક જિલ્લાના કન્વીનર ભાઇઓ અને મહિલા કન્વીનરોની યાદી જાહેર કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર પદે પંકજભાઈ ભુવાની નિમણુંક કરવામાં આવી, જ્યારે મહીલા કન્વીનર તરીકે હેમાંગીબેન કેવડિયાની નિમણુંક કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના સંગઠનમાં નવા નિમાયેલ કન્વીનર તથા મહિલા કન્વીનરની નિમણુંકને કમીટી દ્વારા આવકારીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી
ઝઘડીયા: રાયસીંગપુરા ગામ નજીક ટ્રક એંગલ તોડી પડી નાળામાં!
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામ નજીક એક ટ્રક નાળામાં પડતા રુ.દસ લાખ જેટલુ નુકશાન થયુ હતું.
ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે રહેતો આકાશભાઇ અજીતભાઇ પાટણવાડીયા ગામના એક ટ્રક માલિકને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગત તા.૩૦ મીના રોજ આકાશ રાતના બે વાગ્યાના અરસામાં ગોવાલીથી હાઇવા ટ્રક લઇને એકલો ચાંણોદ ખાતે ઓરસંગ નદીમાં રેતી ભરવા જવા નીકળ્યો હતો.દરમિયાન રાતના સાડા ત્રણ વાગ્યાના સમયે ટ્રક ઉમલ્લા અને રાયસીંગપુરા ગામ વચ્ચેથી પસાર થતી હતી. ત્યારે સામેથી એક ફોર વ્હિલ ગાડી આવતી હોવાથી આ ટ્રક ચાલકે તેની ટ્રક નાળાની બાજુમાં લીધી હતી.
નાળા પર લોખંડની એંગલ મારેલી હોવા છતા ટ્રક ચાલકે તે જોઇ નહિ,પરિણામે પુર ઝડપથી આવતી હાઇવા ટ્રક લોખંડની એંગલ તોડીને નાળામાં પડી હતી.સદભાગ્યે ટ્રક ચાલકને કોઇ ઇજા થઇ નહતી.નાળા પર લોખંડની એંગલ મારેલી હોવા છતા ટ્રક નાળામાં પડતા ટ્રક ચાલકની બેદરકારી સામે આવી હતી.
આ ઘટના બાદ ટ્રક ચાલક આકાશે ટ્રકની કેબિનમાંથી બહાર આવીને ટ્રક માલિકને ફોનથી જાણ કરતા ટ્રક માલિક સવારના છ વાગ્યાના અરસામાં ઘટના સ્થળે આવ્યો હતો.આ અકસ્માતમાં ટ્રકને રૂપિયા દસ લાખ જેટલુ નુકશાન થયુ હોવાનુ જણાયું હતું.
ઉલ્લેખનીય છે કે ટ્રકને ક્રેઇન મંગાવીને ટોચણ કરીને શો રૂમ પર રિપેરિંગ માટે લઇ જવામાં આવી હતી. બાદમાં વિમા માટે પોલીસ ફરિયાદની જરૂર પડતા અકસમાતના ત્રણેક દિવસ બાદ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.
ઉમલ્લા પોલીસે અકસ્માતની આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ધોરીમાર્ગ પર આડેધડ દોડતા વાહનોને કારણે અવારનવાર નાનામોટા અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે.ટ્રક નાળામાં પડવાની આ ઘટનાથી અકસ્માતની વણથંભી પરંપરા યથાવત રહેવા પામી હતી.
•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી
જંબુસર: નિશાચરો બન્યા બેફામ,ઓમકાર નગરમાં ૪ લાખ ઉપરાંતની ચોરી કરી થયા ફરાર
જંબુસર નગરના ઓમકારનગર સોસાયટીના રહેણાંક મકાનમાંથી ૪,૧૨,૮૦૦/-ની મત્તાની ચોરી કરીકોઇ ચોર ઈસમો નાસી છુટ્યા જે અંગે જંબુસર પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો હતો.
જંબુસર નગરમાં દિન પ્રતિદિન ચોરીના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. જંબુસર પોલીસ અત્યાર સુધીના ચોરીની ઘટનામાં કાંઈ ઉકાળી શકી નથી અને નિશાચરો પોલીસ પકડથી જોજનો દૂર છે તેમ લાગી રહ્યું છે.ચોરીની ઘટનાઓ અવારનવાર બનતી હોય પોલીસ ઘોર નિંદ્રામાં હોય તેમ જનતામાં ચર્ચાઇ રહ્યું છે.
હમણાં વધુ એક ચોરીની ઘટના જંબુસર પોલીસ ચોપડે નોંધાઈ છે.જેમાં મૂળ ગજેરાના ઘનશ્યામભાઈ ઉર્ફે બકો જશભાઈ પટેલ હાલ રહે ઓમકાર નગર સોસાયટી જેઓ દિવાળી તહેવાર નિમિત્તે પોતાના માદરે વતન મકાન બંધ કરી ગત તારીખ ૪/૧૧/૨૧ થી ૬/૧૧/૨૧ સુધી ગજેરા ગયાં હતાં તે સમય દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમો બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરી ઘરની લાકડાની તિજોરી તથા પેટી પલંગમાં મુકેલો સામાન વેરવિખેર કરી પેટી પલંગમાં મુકેલા થેલાંમાંથી સોનાની બુટ્ટી ચાર જોડ, સોનાનું ડોકિયું એક નંગ, સોનાની ચેન એક નંગ ,કડી એક જોડ, સોનાની જળો સોળ નંગ, સોનાની લકી એક નંગ ,રુદ્રાક્ષની લકી એક નંગ, મંગળસૂત્ર એક નંગ, વીંટી બે નંગ, ચાંદીની પાયલ એક જોડ તેમજ રોકડ રૃપિયા ૪૫૦૦૦/- મળી કુલ ૪,૧૨,૮૦૦/- ની મત્તાની ચોરી કરી કોઈ ચોર ઈસમ નાસી છૂટ્યા હતા.
આ બનાવની જાણ ઘનશ્યામભાઇ પટેલ પરત જંબુસર આવ્યા ત્યારે ઘરના દરવાજાનો નકૂચો તૂટેલો અને દરવાજા ખુલ્લા જોયા ત્યારે થઈ હતી.આ બનાવ અંગે જંબુસર પોલીસને જાણ કરતા જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી અને ડોગ સ્ક્વોડની મદદ લઈ ચોર ઈસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બનાવ અંગે વધુ તપાસ જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. બારિયા ચલાવી રહ્યાં છે.
•કલ્પેશ નારીયેળવાલા, ન્યુઝલાઇન,જંબુસર
મુંબઈ: દિવાળીના દીવાઓથી કાંદિવલીમાં એક ઈમારતમાં લાગી ભીષણ આગ, 2ના મોત
મુંબઈના કાંદિવલી વિસ્તારમાં હંસા હેરિટેજ નામની 15 માળની ઈમારતના 14મા માળે ભીષણ આગ લાગી હતી. આગની માહિતી મળતા જ ફાયરની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આગ રાત્રે 8.30 કલાકે લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
આ ઈમારતમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ કોઈક રીતે આગને વધુ ફેલાતી અટકાવી હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
કાંદિવલી પશ્ચિમમાં મથુરાદાસ રોડ પર હંસા હેરિટેજ તરીકે ઓળખાતી આ બિલ્ડિંગના ચૌદમા માળે આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં કુલ 15 માળ છે. દરમિયાન અકસ્માતની માહિતી મળતા જ મુંબઈના મેયર કિશોરી પેડનેકર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ 14મા માળે સંપૂર્ણ રીતે ફેલાઈ ગઈ છે.
જે માહિતી સામે આવી રહી છે તે મુજબ આ આગમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. ઇમારતમાંથી અત્યાર સુધીમાં 8 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં જે માહિતી સામે આવી છે તે મુજબ દિવાળીમાં પ્રગટાવેલા દીવાઓ માંથી ઘરના એક પડદામાં આગ લાગી હતી. આ પછી આગ ઝડપથી આખા ફ્લોર પર ફેલાઈ ગઈ.
જે માહિતી સામે આવી રહી છે તે મુજબ આ આગમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. ઇમારતમાંથી અત્યાર સુધીમાં 8 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં જે માહિતી સામે આવી છે તે મુજબ દિવાળીમાં પ્રગટાવેલા દીવાઓ માંથી ઘરના એક પડદામાં આગ લાગી હતી. આ પછી આગ ઝડપથી આખા ફ્લોર પર ફેલાઈ ગઈ.
બિલ્ડિંગના રહેવાસીઓ દ્વારા આપવામાં આવેલા તથ્યોના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આગ દિવાળી માટે મુકવામાં આવેલા દીવાઓના કારણે ફેલાઈ હતી. મુંબઈ પોલીસ જણાવવામાં આવી રહી છે કે આ ઘટનામાં એક મહિલાનું પણ મોત થયું છે. આ રીતે આગને કારણે મૃત્યુઆંક 2 પર પહોંચી ગયો છે.
દિવાળી પર વેચાયા 9000 ગધેડા, ઔરંગઝેબે પણ અહીંથી જ ખરીદ્યા હતા ખચ્ચર
આપણે બધાએ નાનપણથી ઘણા મેળા જોયા હશે અને તેના વિશે સાંભળ્યું, જોયું અને મુલાકાત લીધી હશે, પરંતુ શું તમે ક્યારેય ગધેડાનો મેળો જોયો છે ? કદાચ તમે આ મેળા વિશે પહેલીવાર સાંભળી રહ્યા છો, પરંતુ ભારતનો એકમાત્ર ગધેડાનો મેળો મધ્ય પ્રદેશ જિલ્લાના સતનાના ધાર્મિક શહેર ચિત્રકૂટમાં યોજાયો હતો.
ભારતનો એકમાત્ર ગધેડાનો મેળો મધ્ય પ્રદેશ જિલ્લાના સતનાના ધાર્મિક શહેર ચિત્રકૂટમાં યોજાયો છે, વિવિધ રાજ્યોના વેપારીઓ ગધેડા અને ખચ્ચર સાથે ચિત્રકૂટ આવે છે. ગધેડા અને ખચ્ચર માટે અહીં બોલી લાગે છે. અહીં મેળો નિહાળનારાઓની સાથે-સાથે ખરીદદારોની પણ ભારે ભીડ જોવા મળે છે.
દિવાળીના બીજા દિવસથી પવિત્ર મંદાકિની નદીના કિનારે ગધેડાનો ઐતિહાસિક મેળો ભરાય છે. પરંતુ આ વખતે આ મેળામાં 15 હજાર જેટલા જ ગધેડા આવ્યા હતા. તે જ સમયે, વિવિધ કદ, રંગ અને જાતિના આ ગધેડાઓની કિંમત 10 હજાર રૂપિયાથી લઈને 1.50 લાખ રૂપિયા સુધીની છે. વેપારીઓએ પોતાની તપાસ કર્યા પછી ગધેડાઓની બોલી લગાવી અને ખરીદે છે. અહેવાલો અનુસાર છેલ્લા 2 દિવસમાં લગભગ 9 હજાર ગધેડા વેચાયા હતા. જેના કારણે આ મેળામાં વેપારીઓને 20 કરોડનો વેપાર થયો હતો.
અત્રે એ નોંધનીય છે કે આ મેળાની શરૂઆત મુગલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી આજદિન સુધી આ મેળો પરંપરાગત રીતે ભરાય છે. આ મેળો 3 દિવસ સુધી ચાલે છે. જ્યાં મુઘલ શાસક ઔરંગઝેબની સેનામાં શસ્ત્રો અને લોજિસ્ટિક્સની અછત હતી, ત્યારે આખા વિસ્તારમાંથી ગધેડા, ખચ્ચર એકઠા કરવામાં આવતા હતા અને તેમના ગધેડા આ ક્ષેત્રમાં ખરીદવામાં આવતા હતા. ત્યારથી, દર વર્ષે વ્યવસાયની આ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવે છે.
દેશના આ અનોખા મેળાને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે, દિવાળીના બીજા દિવસથી ચિત્રકૂટની પવિત્ર મંદાકિની નદીના કિનારે આ 3 દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, દૂર-દૂરથી આવતા લોકોની ભીડ જામે છે. તેઓ તેમના ગધેડા ખચ્ચર સાથે લાવે છે અને ખરીદી અને વેચાણ કરે છે સાથે જ 3 દિવસીય મેળામાં લાખોનો વેપાર થાય છે.
ઉલ્લેખનીય છે કે આથી આ મેળાનું ઐતિહાસિક મહત્વ પણ છે. ચિત્રકૂટ નગર પંચાયત દ્વારા દર વર્ષે દીપાવલી નિમિત્તે મંદાકિની નદીના કિનારે આવેલા મેદાનમાં ગધેડા મેળાનું આયોજન કરવામાં આવે છે, જેના બદલામાં ગધેડાના વેપારીઓ પાસેથી આવક વસૂલવામાં આવે છે. આ સાથે જ મેળાના સંચાલકો કહે છે કે આધુનિક યુગમાં ટ્રાન્સપોર્ટેશનનું સ્થાન મશીનોએ લીધું છે જેના કારણે ગધેડા અને ખચ્ચરના ભાવ અને નફામાં ઘટાડો થયો છે.
કોરોના કાળના કારણે અહીં 2 વર્ષ બાદ આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જો કે મેળામાં દરરોજ હજારોની સંખ્યામાં ગધેડા આવતા હતા, પરંતુ આ વખતે ઓછી સંખ્યામાં જ વેપાર થયો છે, કોરોના અને મોંઘવારીના કારણે અહી 2 વર્ષ બાદ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગધેડાનો ધંધો ઘટી રહ્યો છે.
વાલિયા-અંકલેશ્વર માર્ગ પર શેરડી ભરેલી ટ્રોલી પાછળ બાઈકની ટક્કરમાં બે યુવાનના મોત
વાલિયા-અંકલેશ્વર માર્ગ પર નલધરી ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. નલધરી ગામ નજીક આવેલા મહાદેવ મંદિર પાસે શેરડી ભરેલી ટ્રોલી સાથે બાઈક સવારો ભટકાતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્યને ઇજા પહોંચતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત થયું હતું. આ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાલિયા તાલુકાના કોંઢ ગામના તળાવ ફળીયામાં રહેતો સુનિલ રાજુભાઇ વસાવા તેના મિત્ર સાથે બાઈક લઈ વાલિયા ખાતેથી પરત ફરતી વખતે તેમને અકસ્માત નડ્યો હતો. વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામ નજીક આવેલા મહાદેવ મંદિર પાસે કોઈપણ જાતના દિશા સૂચક બોર્ડ લગાવ્યાં વિના શેરડી ભરેલી ટ્રોલી પાછળ બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં સુનિલ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને 108 સેવાની મદદ વડે પ્રથમ વાલિયા અને વધુ સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નાગરિકોની સુવિધા માટે ભરૂચ સિવિલ હોસ્પીટલના તબીબ સહિતના સ્ટાફે ફરજ પર જ મનાવી દિવાળી
Covid-19ની મહામારી વચ્ચે પણ નાગરિકોમાં દિવાળીના તહેવારોની ઉજવણી માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પીટલના તબીબ,નર્સીંગ સ્ટાફ તેમજ હાઉસકીપીંગ કર્મીઓ દ્વારા ભરૂચ જિલ્લાના નાગરિકોને કોઈ પણ સમયે 24/7 કોઈ પણ ઇમર્જન્સીને ઝડપથી પ્રતિસાદ આપવા માટે પરિવારજનોથી દુર રહી અને ફરજ ઉપર હાજર રહ્યા હતા.
ભરૂચ સિવિલ હોસ્પીટલના તબીબ,નર્સીંગ સ્ટાફ તેમજ હાઉસકીપીંગ કર્મીઓ પોતે નોકરી પર હાજર રહીને જ તહેવારોની ઉજવણી કરી હતી. જેથી નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય. ભરૂચ જિલ્લાના બધા જ નાગરિકો પોતાના સ્વજનો સાથે હર્ષોલ્લાસથી તહેવારોની મજા માણી શકે તે માટે આ હોસ્પિટલના કર્મીઓ કે જેઓ મહામારી હોય કે તહેવાર, પોતાના ઘરેથી દૂર રહી નાગરિકો માટે ખડે પગે રહે છે.
ભરૂચ: નવા વર્ષના પ્રારંભે જ મકતમપુર હરનાથ પાગલ આશ્રમ બહાર વીજ ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું
ભરૂચના મકતમપુર રોડ પર સવારના સમયે કુસુમ હરનાથ આશ્રમ બહાર વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ લાગવાની ઘટના બનવા પામી હતી.
ભરૂચના મકતમપુર રોડ પર સવારના સમયે કુસુમ હરનાથ આશ્રમ બહારના વીજ ટ્રાન્સફોર્મરમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટના ના પગલે આસપાસથી પસાર થતા વાહન ચાલક સહિતનાના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટના જાણ ફાયર વિભાગને કરાતા લશક્રોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તો આગને પગલે આસપાસની સોસાયટી અને ફ્લેટ્સનો વિજ પુરવઠો પણ ખોરવાયો હતો.નવાવર્ષના પ્રારંભે જ વિજ પુરવઠો ખોરવાતા રહિશોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
ભરૂચ:BSNL ઓફિસ સામે આવેલ ભંગારના ગોડાઉનમા લાગી આગ
ભરૂચ બીએસ.એન.એલ ની કચેરીની સામેવેલ એક ભંગારના ગોડાઉનમા અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી.
ભરૂચ પાંચબત્તી થી મહંમદપુરા રોડ તરફ આવેલ બી.એસ.એન.એલ. ઓફીસ સામે આવેલા એક ભંગારનાગોડાઉનમાં એકાએક આગ લાગવાની ઘટના બનવા પામતા નવુવર્ષ હોય અવન જાવનના પગલે અફરાતફરી મચી જવા પામી હતી. એકએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના અન્ય ગોડાઉનમજ દુકાન ધારકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે સમયસર આગની ઘટનાની જાણ પાલિકાના ફાયર ફાઇટરોને કરાતા તેમણે તુરંત દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથધર્યા હતા.

