The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 216

હવે કોઇપણ દર્દ વિના ઇચ્છા મૃત્યુ યુરોપમાં બન્યું શકય

•યુરોપમાં ઇચ્છા મૃત્યુ માટેના મશીનને કાયદાકીય મંજૂરી અપાઈ

•કોઈપણ દર્દ વગર માત્ર એક મિનિટમાં માણસ મોતના ખોળામાં સુઈ જશે

હવે કોઇ પણ દર્દ વિના ઇચ્છામૃત્યુ કરી શકાશે પરંતું તે માટે આપે કરવી પડશે યુરોપની ટુર. ઇચ્છામૃત્યુને લઈને દુનિયાભરમાં હંમેશા તમામ વાતો થતી રહે છે.આ દરમિયાન યૂરોપીય દેશ સ્વિટજરલેંડે ઇચ્છામૃત્યુ કરવામાં મદદ આપનારી મશીનને કાયદાકીય મંજુરી આપી દીધી છે. આ મશીન ફક્ત એક મિનિટમાં ઇચ્છામૃત્યુની પ્રક્રિયા પુરી કરી દે છે. તેનાથી વ્યક્તિ કોઈપણ દર્દ વગર હંમેશા માટે મોતના ખોળામાં સૂઈ શકે છે. ત્યારબાદ આ મશીનને લઈને આખા વિશ્વમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ મશીન એક શબપેટીનો આકાર બનેલો હોય છે. ‘ધ ઈંડિપેંડેટની એક ઑનલાઈન રિપોર્ટ મુજબ આ મશીનના માધ્યમથી ઓક્સીજનનુ સ્તર ધીરે ધીરે ઓછા કરીને હાઈપોક્સિયા નએ હાઈપોકેનિયાના માધ્યમથી મોત થઈ જાય છે. આ પ્રક્રિયામાં ફક્ત 30 સેકંડમાં નાઈટ્રોજનની માત્રા અનેક ગણી વધી જાય છે જેને કારણે ઓક્સીજનનુ સતર 21 ટકાથી 1 થઈ જાય છે અને થોડી જ સેકંડમાં માણસનું મોત થઈ જાય છે.

જો કે રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે આ મશીન એવા દર્દીઓ માટે મદદરૂપ છે જે બીમારીને કારણે બોલી પણ શકતા નથી કે હલી પણ શકતા નથી. આ મશીનને યૂઝરે પોતાના પસંદગીના સ્થાન પર લઈ જવાનુ રહેશે. ત્યારબાદ મશીનની નષ્ટ થવા યોગ્ય કૈપ્સૂલ જુદી થઈ જાય છે. જેથી તેને શબપેટીની જેમ ઉપયોગમાં લઈ શકાય.

હવે કોઇપણ દર્દ વિના ઇચ્છા મૃત્યુ યુરોપમાં બન્યું શકય

•યુરોપમાં ઇચ્છા મૃત્યુ માટેના મશીનને કાયદાકીય મંજૂરી અપાઈ

•કોઈપણ દર્દ વગર માત્ર એક મિનિટમાં માણસ મોતના ખોળામાં સુઈ જશે

હવે કોઇ પણ દર્દ વિના ઇચ્છામૃત્યુ કરી શકાશે પરંતું તે માટે આપે કરવી પડશે યુરોપની ટુર. ઇચ્છામૃત્યુને લઈને દુનિયાભરમાં હંમેશા તમામ વાતો થતી રહે છે.આ દરમિયાન યૂરોપીય દેશ સ્વિટજરલેંડે ઇચ્છામૃત્યુ કરવામાં મદદ આપનારી મશીનને કાયદાકીય મંજુરી આપી દીધી છે. આ મશીન ફક્ત એક મિનિટમાં ઇચ્છામૃત્યુની પ્રક્રિયા પુરી કરી દે છે. તેનાથી વ્યક્તિ કોઈપણ દર્દ વગર હંમેશા માટે મોતના ખોળામાં સૂઈ શકે છે. ત્યારબાદ આ મશીનને લઈને આખા વિશ્વમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ મશીન એક શબપેટીનો આકાર બનેલો હોય છે. ‘ધ ઈંડિપેંડેટની એક ઑનલાઈન રિપોર્ટ મુજબ આ મશીનના માધ્યમથી ઓક્સીજનનુ સ્તર ધીરે ધીરે ઓછા કરીને હાઈપોક્સિયા નએ હાઈપોકેનિયાના માધ્યમથી મોત થઈ જાય છે. આ પ્રક્રિયામાં ફક્ત 30 સેકંડમાં નાઈટ્રોજનની માત્રા અનેક ગણી વધી જાય છે જેને કારણે ઓક્સીજનનુ સતર 21 ટકાથી 1 થઈ જાય છે અને થોડી જ સેકંડમાં માણસનું મોત થઈ જાય છે.

જો કે રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે આ મશીન એવા દર્દીઓ માટે મદદરૂપ છે જે બીમારીને કારણે બોલી પણ શકતા નથી કે હલી પણ શકતા નથી. આ મશીનને યૂઝરે પોતાના પસંદગીના સ્થાન પર લઈ જવાનુ રહેશે. ત્યારબાદ મશીનની નષ્ટ થવા યોગ્ય કૈપ્સૂલ જુદી થઈ જાય છે. જેથી તેને શબપેટીની જેમ ઉપયોગમાં લઈ શકાય.

ભરૂચના તબલા વાદક યુવકે રાજ્યકક્ષાના કલા મહાકૂંભમાં પ્રથમ ક્રમાંક મેળવતા ખુશહાલી

દેશના બાળકોમાં રહેલી કલા વિષયક સુષુપ્ત શકિતઓને જાગૃત કરવા તથા બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી સરકાર દ્વારા દર વર્ષે કલા મહાકુંભ તથા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે એનસીઈઆરટી દિલ્હી આયોજિત કલાઉત્સવ 2021 રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન ચાલી રહ્યું છે.

તે પૈકી ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ વિભાગમાં ભરૂચના એમિટી વિદ્યાલય ધોરણ 10માં અભ્યાસ કરતા ચિરંજીવ વસિષ્ઠ દેવેશ દવેએ શાળા કક્ષાએથી તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને અંતમાં રાજ્ય કક્ષાએ તબલા વાદન સ્પર્ધામાં કલા ઉત્સવ અને કલા મહાકુંભમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી અમિટી વિદ્યાલય, પરિવાર અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

આ રાજય કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં રૂા.25 હજારનું રોકડ ઈનામ તેમજ કલા ઉત્સવ સ્પર્ધામાં 2 હજારનું રોકડ ઈનામ પ્રાપ્ત કર્યું છે.ઍમિટી શાળા પરિવાર દવે વશિષ્ઠ દેવેશને તેની સિદ્ધિ બદલ હાર્દિક ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવે છે. આ સિદ્ધિ બાદ હવે વશિષ્ઠ નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેવા જનાર છે.

ભરૂચના તબલા વાદક યુવકે રાજ્યકક્ષાના કલા મહાકૂંભમાં પ્રથમ ક્રમાંક મેળવતા ખુશહાલી

દેશના બાળકોમાં રહેલી કલા વિષયક સુષુપ્ત શકિતઓને જાગૃત કરવા તથા બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી સરકાર દ્વારા દર વર્ષે કલા મહાકુંભ તથા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે એનસીઈઆરટી દિલ્હી આયોજિત કલાઉત્સવ 2021 રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન ચાલી રહ્યું છે.

તે પૈકી ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ વિભાગમાં ભરૂચના એમિટી વિદ્યાલય ધોરણ 10માં અભ્યાસ કરતા ચિરંજીવ વસિષ્ઠ દેવેશ દવેએ શાળા કક્ષાએથી તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને અંતમાં રાજ્ય કક્ષાએ તબલા વાદન સ્પર્ધામાં કલા ઉત્સવ અને કલા મહાકુંભમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી અમિટી વિદ્યાલય, પરિવાર અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

આ રાજય કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં રૂા.25 હજારનું રોકડ ઈનામ તેમજ કલા ઉત્સવ સ્પર્ધામાં 2 હજારનું રોકડ ઈનામ પ્રાપ્ત કર્યું છે.ઍમિટી શાળા પરિવાર દવે વશિષ્ઠ દેવેશને તેની સિદ્ધિ બદલ હાર્દિક ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવે છે. આ સિદ્ધિ બાદ હવે વશિષ્ઠ નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેવા જનાર છે.

ભરૂચ: ઝાડેશ્વરના ઠાકોર ફળિયામાં માતાના મંદિરનો પાટોત્સવ યોજાયો

ભરૂચ જિલ્લામાં બે વર્ષથી ચાલતો કોરોના કહેર ઓછો થતાં જ લગ્ન પ્રસંગો સહિતના સામાજિક અને ધાર્મિક પ્રસંગોની મોસમ જામી છે. ઝાડેશ્વરના ઠાકોર ફળિયામાં અંબાજી તેમજ ખપ્પરજોગણી માતાના બનેલ મંદિરનો સોમવારના રોજ ભવ્ય પાટોત્સવ ઉજવાયો હતો.

ગત રવિવારના રાત્રીએ ભજન સંધ્યા પણ યોજી હતી. જેમાં ભક્તો ભક્તિગીતોના તાલમાં રંગાઈને માતાની ભક્તિમાં લિન થયા હતા. ઠાકોર સમાજના રહીશો દ્વારા શ્રદ્ધાભેર રીતે પૂજા વિધિ કરી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો હાજર રહી ભક્તિભાવ રીતે માતાના મંદિરનો પાટોત્સવ યોજી કોરોના નામનો વાયરસ દુનિયાથી વિદાય લે અને લોકો રાબેતામુજબનું જીવન જીવતા થાય તેવી પ્રાર્થનાઓ કરી હતી. સાથે જ દેશ, દુનિયામાં કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામેલા લોકોને યાદ કરી શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

ભરૂચ: ઝાડેશ્વરના ઠાકોર ફળિયામાં માતાના મંદિરનો પાટોત્સવ યોજાયો

ભરૂચ જિલ્લામાં બે વર્ષથી ચાલતો કોરોના કહેર ઓછો થતાં જ લગ્ન પ્રસંગો સહિતના સામાજિક અને ધાર્મિક પ્રસંગોની મોસમ જામી છે. ઝાડેશ્વરના ઠાકોર ફળિયામાં અંબાજી તેમજ ખપ્પરજોગણી માતાના બનેલ મંદિરનો સોમવારના રોજ ભવ્ય પાટોત્સવ ઉજવાયો હતો.

ગત રવિવારના રાત્રીએ ભજન સંધ્યા પણ યોજી હતી. જેમાં ભક્તો ભક્તિગીતોના તાલમાં રંગાઈને માતાની ભક્તિમાં લિન થયા હતા. ઠાકોર સમાજના રહીશો દ્વારા શ્રદ્ધાભેર રીતે પૂજા વિધિ કરી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો હાજર રહી ભક્તિભાવ રીતે માતાના મંદિરનો પાટોત્સવ યોજી કોરોના નામનો વાયરસ દુનિયાથી વિદાય લે અને લોકો રાબેતામુજબનું જીવન જીવતા થાય તેવી પ્રાર્થનાઓ કરી હતી. સાથે જ દેશ, દુનિયામાં કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામેલા લોકોને યાદ કરી શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

ભરૂચ નગરપાલિકા પ્રમુખના જાતિના પ્રમાણપત્રનો વિવાદ:યોજાઇ પ્રેસકોન્ફરન્સ

•નીચલી કોર્ટના ડીવાયએસપીને તપાસ સોંપવાના હુકમને ડિસ્ટ્રીકટ કોર્ટે રદ્દ કર્યો

•પુન: એ ડિવિઝન પોલીસને જ તપાસ સોંપાઈ

ભરૂચ નગરપાલિકાના પ્રમુખના જાતિના પ્રમાણપત્રને લઈ ઉભા થયેલા વિવાદમાં નીચલી કોર્ટે પોલીસની સી સમરીનો અસ્વીકાર કરી ડીવાયએસપી ને તપાસ સોંપવાના હુકમને રદ્દ કર્યા છે. કોર્ટે ડીજીપીની રિવિઝન અરજી પર હુકમ કરી ડીવાયએસપી ને સોંપેલી તપાસ રદ્દ કરી પુન: એ ડિવિઝન પોલીસને તપાસ કરવાનો હુકમ કર્યો છે. કોર્ટે સી સમરીના નીચલી કોર્ટના હુકમને યથાવત રાખ્યો છે.

ભરૂચ નવરપાલિકાની ચૂંટણી બાદ પાલિકા પ્રમુખ તરીકે અનુસૂચિત જાતિના અમિત ચાવડાને નિયુક્ત કરાતા તેમના વિરોધી તત્વોએ તેમના જાતિના પ્રમાણપત્રનો વિવાદ ઉભો કર્યો હતો. અમિત ચાવડાના જાતિનું પ્રમાણપત્ર ખોટું હોવા ઉપરાંત પ્રમાણપત્રમાં ચેડાં કરાયા હોવાના આક્ષેપ દિનેશ ખુમાણ નામના વ્યક્તિએ કર્યા હતા. પ્રમુખ અમિત ચાવડાને ખોટો ઠેરવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા દિનેશ ખુમાણે એડવોકેટ અશ્વિન ખંભાતાના માદયમથી તંત્ર અને કોર્ટમાં વિવિધ ફરિયાદોનો દોર શરૂ કર્યો હતો.

જેમાં હાઇકોર્ટમાં તેમની અરજી ફગાવી દેવાઈ હતી. જ્યારે ભરૂચની નીચલી કોર્ટના હુકમના પગલે એ ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસના અંતે સી સમરી રજૂ કરી હતી. આ સી સમરીને નીચલી કોર્ટે નકારી યોગ્ય તપાસ ન થઈ હોવાનો અભિપ્રાય આપી સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી ને સોંપવા હુકમ કર્યો હતો. જેના પગલે ડીજીપી પ્રફુલ પરમારે જિલ્લા પોલીસવડા અને કલેકટરની મંજૂરી બાદ ડિસ્ટ્રીકટ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી ડીવાયએસપી ઘ્વારા તપાસ કરાવવાના હુકમ સામે સ્ટે મેળવ્યો હતો. ડિસ્ટ્રીકટ કોર્ટમાં રિવિઝન અરજી ચાલી જતા ડિસ્ટ્રીકટ કોર્ટે બન્ને પક્ષના વકીલોને સાંભળ્યા બાદ નીચલી કોર્ટે સમગ્ર કેસની ડીવાયએસપી ને સોંપવાના હુકમને રદ કર્યા હતો. અને પુનઃ એ ડિવિઝન પીઆઈને તપાસ સોંપવાનો હુકમ કર્યો છે. જોકે ડિસ્ટ્રીકટ કોર્ટે રિવિઝન અરજીનો અંશતઃ સ્વીકાર કરી સી સમરીના નીચલી કોર્ટના હુકમને યથાવત રાખ્યો છે.

ડિસ્ટ્રીકટ કોર્ટના હુકમના પગલે એડવોકેટ અશ્વિન ખંભાતાએ આંબેડકર ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસવડા, કલેકટર અને ડીજીપી ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. સાથે રાજકીય આગેવાનો અમિત ચાવડાને બચાવવા મેદાને પડ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

પ્રેસ કોન્ફરન્સમાં એડવોકેટ અશ્વિન ખંભાતાએ આક્ષેપો સાથે જણાવ્યું કે…

◆ જિલ્લા પોલીસવડા, કલેકટર અને ડીજીપી રાજકીય ઈશારે ડાન્સ કરે છે.

◆ જિલ્લા પોલીસવડા, કલેકટર અને ડીજીપી ની ટુકડી રાજકીય ઈશારે અમિત ચાવડાને બચાવવા મેદાનમાં ઉતરી છે.

◆ અમિત ચાવડા ગુનેગાર છે. ( જ્યાં સુધી કોર્ટ કોઈને ગુનેગાર તરીકે સ્થાપિત ન કરે ત્યાં સુધી તે વ્યક્તિ આરોપી જ ગણાય. આમ છતાં અશ્વિન ખંભાતાએ પોતે જજ હોય તેમ અમિત ચાવડાને ગુનેગાર ઠેરવવાનો પ્રયાસ કરતા વિવાદ ઉભો થયો છે.)

◆ ડીવાયએસપી ને તપાસ સોંપવા સામે ડિસ્ટ્રીકટ કોર્ટે આપેલો સ્ટે નો ઓર્ડર ભરૂચના ઇતિહાસમાં કલંકિત દિવસ ગણાશે

ભરૂચમાં હોમગાર્ડ સ્થાપના દિન ઉજવાયો

ભરૂચમાં સોમવારે 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે 100થી વધુ હોમગાર્ડ જવાનો દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડથી શિસ્તબદ્ધ રીતે પરેડ યોજવામાં આવી હતી. આ પરેડ સોનેરી મહેલ ખાતે પહોંચી હતી. જયાં સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર ચઢાવ્યાં હતાં. હોમગાર્ડ જવાનોની પરેડમાં જિલ્લાના તમામ યુનિટના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં પણ રેલીરૂપી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આપાતકાલિન સમયમાં તેમજ કુદરતી આફત સમયે પોલીસ જવાનોની સાથે ખભેખભો મેળવી માનવ સેવાના કાર્યમાં હંમેશા આગળ રહેતાં હોમગાર્ડસ જવાનો દ્વારા આજે 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે સોમવારના રોજ સવારે 100થી વધુ હોમગાર્ડસ જવાનો શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્રિત થયાં હતાં. જ્યાંથી હોમગાર્ડ જવાનોએ રેલી સ્વરૂપે હોસ્ટેલ ગ્રાઉન્ડથી સોનેરી મહેલ સુધી પરેડ યોજવામાં આવી હતી. કતારબદ્ધ અને અનુશાસન સાથે નિકળેલી હોમગાર્ડસની પરેડને જોવા માટે એક સમયે લોકો ઉભા રહી ગયાં હતાં. પરેડ સોનેરી મહેલ ખાતે પહોંચી સોનેરી મહેલ સર્કલ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમા પર જવાનોએ ફુલહાર ચઢાવી શ્રદ્ધાંજલી અર્પી હતી.ત્યાંથી પુન: હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી આવ્યાં હતાં.

ભરૂચ: સરભાણમાં સગીરા પર દુષ્કર્મ અને હત્યા ના મામલે ન્યાયીક તપાસની માંગ સાથે જિલ્લા આદિવાસી સમાજે આપ્યું આવેદન

•લાક્ડા વિણવા ગયેલ સગીરાને માથેભારે તત્વો દ્વારા પીંખીનાંખી મોતને ઘાટ ઉતારી

•ભરૂચ જિલ્લા આદિવાસી સમાજે કરી ન્યાયીક તપાસની માંગ

•પોલીસ તપાસ ઢીલી રાખતી હોવાના કરાયા આક્ષેપ

ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ખાતે લાકડા વિણવા ગયેલ ૧૪ વર્ષીય સગીરાને કેટલાક માથાભારે તત્વો દ્વારા પટાવી ફોસલાવી તેના ઉપર દુષ્કર્મ આચરી તેનું ગળુ દબાવી હત્યા કરવા મામલે પોલીસ દ્વારા તપાસ ઢીલી રખાતી હોવાના આક્ષેપો સાથે ન્યાયીક તપાસની માંગ કરી આજરોજ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદન પાઠવાયું હતું.

ગત તા. ૮ નવેમ્બર ૨૦૨૧ના રોજ આમોદના સરભાણ ગામની ૧૪ વર્ષીય સગીરા તેની દાદી સાથે સીમમાં લાકડા વીણવા ગઇ હતી. દરમિયાન કેટલાક માથાભારે તતવો દ્વારા તેને પટાવી ફોસલાવીને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરી અને નિર્દયતાથી તેનું ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના બનવા પામી હતી.

આ ઘટનાના ધેરા પ્રત્યાધાતો આદિવાસી સમાજ ઉપર પડવા પામ્યા હતા. જેમાં સગીરાની માતાએ સમગ્ર ધટના અંગે પોલીસ ફરીયાદ આપી હતી. પોલીસે ફરિયાદ તો લીધી પરંતું તપાસ કરવાના સ્થાને સગીરાના ઘરના સભ્યો સહોત સગાઓને તમે જ ગુનો કર્યો છે કહી ભીનું સંકેલવા પ્રયાસો કરાતા આજરોજ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સગીરાના કુટુંબીઓ સાથે જિલ્લા કલેકટરાલય ખાતે આવી કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

મીડીઆ સાથેની વતચીત દરમિયાન સગીરાની માતા રડી પડી હતી અને રડમસ ચહરે પોલીસ દ્વારા આરોપીઓની તપાસના સ્થાને તેમને જ હેરાન કરાતા હોવાના આક્ષેપો તેમજ આરોપીઓ શોધવાની જગ્યાએ તેમને જ આરોપી બનાવવાના પ્રયત્નો કરી રહી હોવાનું જણાવી આ ઘટનાના આરોપીઓને સખત સજા મળે અને પિડિતા અને તેના પરિવારને ન્યાય મળે તેવી માંગ પણ તેમણે કરી હતી.

ભરૂચ: પોલીસ ભરતી પ્રક્રિયાનો થયો આરંભ, 1000થી વધુ મહિલા ઉમેદવારો કસોટી માટે ઉમટી

ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે માવઠાના લીધે મોકૂફ રહેલી પોલીસ ભરતીનો સોમવારથી આરંભ થયો હતો. રવિવાર સાંજથી જ મહિલા ઉમદેવારોએ શારીરિક કસોટી માટે શહેરમાં પડાવ નાખ્યો હતો. કેટલીય યુવતીઓએ રહેવાની વ્યવસ્થા નહિ થતા તેમણે આખી રાત ઠંડીમાં પસાર કરી હતી.

ભરૂચ પોલીસ હેડકવોર્ટરના મેદાનમાં ગુજરાતના શહેર, જિલ્લાઓ અને આંતરિક ગામડાંઓમાંથી 1000 થી વધુ મહિલા ઉમેદવારો શારીરિક કસોટી માટે ઉમટી પડ્યા હતા. રવિવાર સાંજથી જ મહિલા ઉમેદવારો પોતાના પરિજનો સાથે મેદાને પહોંચી ચુક્યા હતા.તંત્ર દ્વારા રાત્રી રોકાણ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી કેટલીય મહિલા ઉમેદવારો અને તેમના પરિજનો આખી રાત કડકડતી ઠંડીમાં ધ્રુજીને કાઢી હતી.

તો બીજી તરફ કેટલીક મહિલા ઉમેદવારો વ્યવસ્થાના ભાગરૂપે સગા સંબંધીના ઘરે કે હોટલમાં રાત્રી રોકાણ કરવા મજબૂર બની હતી. લાંબા સમય સુધી ચાલનારી ભરતી પ્રક્રિયામાં દૂર દુરથી આવતા ઉમેદવારોને રાત્રી રોકાણની વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે તે ઇચ્છનીય બન્યું છે. સોમવારે વહેલી સવારથી ભરતી પ્રક્રિયા શરૂ થતાં મહિલા ઉમેદવારોના વાલીઓ પોલીસ હેડ ક્વાર્ટરના ગેઇટ બહાર જ કલાકો સુધી ઉભા રહેતા નજરે પડ્યા હતા.

error: Content is protected !!