The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 216

ભરૂચ: સરભાણમાં સગીરા પર દુષ્કર્મ અને હત્યા ના મામલે ન્યાયીક તપાસની માંગ સાથે જિલ્લા આદિવાસી સમાજે આપ્યું આવેદન

•લાક્ડા વિણવા ગયેલ સગીરાને માથેભારે તત્વો દ્વારા પીંખીનાંખી મોતને ઘાટ ઉતારી

•ભરૂચ જિલ્લા આદિવાસી સમાજે કરી ન્યાયીક તપાસની માંગ

•પોલીસ તપાસ ઢીલી રાખતી હોવાના કરાયા આક્ષેપ

ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ખાતે લાકડા વિણવા ગયેલ ૧૪ વર્ષીય સગીરાને કેટલાક માથાભારે તત્વો દ્વારા પટાવી ફોસલાવી તેના ઉપર દુષ્કર્મ આચરી તેનું ગળુ દબાવી હત્યા કરવા મામલે પોલીસ દ્વારા તપાસ ઢીલી રખાતી હોવાના આક્ષેપો સાથે ન્યાયીક તપાસની માંગ કરી આજરોજ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદન પાઠવાયું હતું.

ગત તા. ૮ નવેમ્બર ૨૦૨૧ના રોજ આમોદના સરભાણ ગામની ૧૪ વર્ષીય સગીરા તેની દાદી સાથે સીમમાં લાકડા વીણવા ગઇ હતી. દરમિયાન કેટલાક માથાભારે તતવો દ્વારા તેને પટાવી ફોસલાવીને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરી અને નિર્દયતાથી તેનું ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના બનવા પામી હતી.

આ ઘટનાના ધેરા પ્રત્યાધાતો આદિવાસી સમાજ ઉપર પડવા પામ્યા હતા. જેમાં સગીરાની માતાએ સમગ્ર ધટના અંગે પોલીસ ફરીયાદ આપી હતી. પોલીસે ફરિયાદ તો લીધી પરંતું તપાસ કરવાના સ્થાને સગીરાના ઘરના સભ્યો સહોત સગાઓને તમે જ ગુનો કર્યો છે કહી ભીનું સંકેલવા પ્રયાસો કરાતા આજરોજ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સગીરાના કુટુંબીઓ સાથે જિલ્લા કલેકટરાલય ખાતે આવી કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

મીડીઆ સાથેની વતચીત દરમિયાન સગીરાની માતા રડી પડી હતી અને રડમસ ચહરે પોલીસ દ્વારા આરોપીઓની તપાસના સ્થાને તેમને જ હેરાન કરાતા હોવાના આક્ષેપો તેમજ આરોપીઓ શોધવાની જગ્યાએ તેમને જ આરોપી બનાવવાના પ્રયત્નો કરી રહી હોવાનું જણાવી આ ઘટનાના આરોપીઓને સખત સજા મળે અને પિડિતા અને તેના પરિવારને ન્યાય મળે તેવી માંગ પણ તેમણે કરી હતી.

ભરૂચ: પોલીસ ભરતી પ્રક્રિયાનો થયો આરંભ, 1000થી વધુ મહિલા ઉમેદવારો કસોટી માટે ઉમટી

ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે માવઠાના લીધે મોકૂફ રહેલી પોલીસ ભરતીનો સોમવારથી આરંભ થયો હતો. રવિવાર સાંજથી જ મહિલા ઉમદેવારોએ શારીરિક કસોટી માટે શહેરમાં પડાવ નાખ્યો હતો. કેટલીય યુવતીઓએ રહેવાની વ્યવસ્થા નહિ થતા તેમણે આખી રાત ઠંડીમાં પસાર કરી હતી.

ભરૂચ પોલીસ હેડકવોર્ટરના મેદાનમાં ગુજરાતના શહેર, જિલ્લાઓ અને આંતરિક ગામડાંઓમાંથી 1000 થી વધુ મહિલા ઉમેદવારો શારીરિક કસોટી માટે ઉમટી પડ્યા હતા. રવિવાર સાંજથી જ મહિલા ઉમેદવારો પોતાના પરિજનો સાથે મેદાને પહોંચી ચુક્યા હતા.તંત્ર દ્વારા રાત્રી રોકાણ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી કેટલીય મહિલા ઉમેદવારો અને તેમના પરિજનો આખી રાત કડકડતી ઠંડીમાં ધ્રુજીને કાઢી હતી.

તો બીજી તરફ કેટલીક મહિલા ઉમેદવારો વ્યવસ્થાના ભાગરૂપે સગા સંબંધીના ઘરે કે હોટલમાં રાત્રી રોકાણ કરવા મજબૂર બની હતી. લાંબા સમય સુધી ચાલનારી ભરતી પ્રક્રિયામાં દૂર દુરથી આવતા ઉમેદવારોને રાત્રી રોકાણની વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે તે ઇચ્છનીય બન્યું છે. સોમવારે વહેલી સવારથી ભરતી પ્રક્રિયા શરૂ થતાં મહિલા ઉમેદવારોના વાલીઓ પોલીસ હેડ ક્વાર્ટરના ગેઇટ બહાર જ કલાકો સુધી ઉભા રહેતા નજરે પડ્યા હતા.

નેત્રંગ:ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ૬ ઉમેદવારો અને સભ્ય માટે ૬૧ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી

આગામી સ્થાનિક સ્વરાજની ગ્રામપંચાયત ની ચૂંટણી જાહેર થતાની સાથે તાલુકાના ગ્રામ્ય કક્ષાનું રાજકારણ ઠંડીના જોર વચ્ચે પણ ગરમાયું હતું.

નેત્રંગ ગામમાં તાલુકાની સૌથી મોટી ગ્રામપંચાયત માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૪ ડિસેમ્બર સુધી સરપંચ પદના કુલ ૬ જેટલા ઉમેદવારોમાં હરેન્દ્રભાઈ ભગવનસિંહ દેશમુખ(લાલભાઈ), બાલુભાઈ કલમભાઇ વસાવા, ઝવેરભાઈ ગામીયાભાઈ વસાવા, પ્રવિણભાઇ અંબુભાઈ વસાવા, પંકજકુમાર કાંતિભાઈ વસાવા, હરિશીંગભાઈ રૂપજીભાઈ વસાવાએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે.

જ્યારે ૧૪ વોર્ડના સભ્યો માટે કુલ ૬૧ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. હવે એ જોવું રહ્યું તારીખ ૭ ડિસેમ્બરના રોજ કેટલા ફોર્મ પરત ખેંચાઇ શકે છે કે ખરાખરીનો જ્જંગ ખેલાશે તે હાલ તો લોકચર્ચાનો વિષય બન્યો છે.

ઝઘડીયા વિધાનસભામાં ખેલાશે ભાજપ-કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ત્રિપાંખીયો જંગ

નેત્રંગ તાલુકામાં ૩૫ ગ્રા.પંચાયતમાં ચુંટણીમાં સરપંચના ૧૫૯ – સભ્યોના ૯૨૦ ઉમેદવારીપત્રો ભરાયા હતા.

નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતની ચુંટણી માટે ૧૯ ડિસેમ્બરના રોજ મતદાન થશે.સરપંચ-સભ્યો માટે ઉમેદવારીપત્રો ભરવા નેત્રંગ તાલુકા મથકે ભારે ઘસારો જોવા મળ્યો હતો.જેમ-જેમ મતદાન અને ઉમેદવારીપત્રો પરત ખેંચવાની દિવસો નજીક આવી રહ્યા છે તેની સાથે નેત્રંગ તાલુકામાં રાજકીય વાતાવરણમાં ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે.

ભરૂચ જીલ્લામાં વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકાની ગ્રા.પંચાયતના પરીણામના પડઘા છેક ગાંધીનગર પડશે તો નવાઈ નહીં.સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ત્રણેય તા.પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાતા આ વખતે ઝઘડીયા વિધાનસભાની બેઠક કબ્જે કરવા ભાજપે અત્યારથી જ શરૂઆત કરી દીધી છે.કોંગ્રેસ-બીટીપી પણ પોતાના સમથઁક સરપંચોની ચુંટી લાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.નેત્રંગ તાલુકાની કેટલીક ગ્રા.પંચાયતોમાં ભાજપ-કોંગ્રેસ અને બીટીપીના કાર્યકતૉ સામસામે ચુંટણી લડી રહ્યા છે.

કેટલાક ગામોમાં સરપંચ-સભ્યોના ચાર-પાંચ પેનલ મેદાનમા ઉતરી છે.લોકતંત્રમાં આ બધું શક્ય છે.આવતા વર્ષ ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ યોજાનાર છે.એટલે ગ્રામપંચાયતની ચુંટણી ત્રણેય રાજકીય પક્ષો માટે લિટમસ ટેસ્ટ પુરવાર થઈ શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે,નેત્રંગ તાલુકામાં ૩૫ ગ્રા.પંચાયતમાં ચુંટણીમાં સરપંચના ૧૫૯ – સભ્યોના ૯૨૦ ઉમેદવારીપત્રો ભરાયા છે.૭ ડિસેમ્બરના રોજ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ છે.તેજ દિવસે તમામ ગ્રા.પંચાયતની ફાઇનલ લીસ્ટ બહાર પડશે.વિભાજનથી અસ્તિત્વમાં આવેલ અસનાવી,કોલીવાડા,સજનવાવ અને ચિખલી જેવી ૪ ગ્રા.પંચાયતની ચુંટણી મુલતવી રહી છે.

•દિવ્યાંગ મિસ્ત્રી.ન્યુઝલાઇન, નેત્રંગ

ભરૂચ: ડૉ. બાબા સાહેબ આંબેડકરનાં ૬૫ માં મહાપરિનિર્વાણ દિને પુષ્પાંજલિ અર્પણ કરાઇ

ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની ૬૫ માં મહાપરિનિર્વાણ દિને ભરૂચના સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવાઇ હતી.

ભારત બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૬ ડિસેમ્બરે પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં વસતા વિવિધ દલિત સંગઠન મંડળો અને રાજકીય પક્ષો દ્વારા તેઓને પુષ્પાંજલિના કાર્યક્રમો યોજાયા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ૬૫ માં મહાપરીનિર્વાણ દિન નિમિત્તે ભરૂચના સ્ટેશન સર્કલ સ્થિત ભરૂચ જિલ્લામાં કાર્યરત બામસેફ ઇન્સાફ અને બી.એમ.જી સહીત વિવિધ મંડળો દ્વારા તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ફુલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવવામાં આવી હતી. જેમાં વિવિધ સંગઠનના લોકોએ ડૉ. બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષનું વર્ણન કરી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કર્યા હતા અને સાથે જ ડૉ. બાબા સાહેબ આંબેડકરને સલામી પણ આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ૬૫ મો મહાપરિનિર્વાણ દિને આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાયા હતા. જેમાં ઈન્સાફ મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનભાઈ પરમાર, બામસેફના ગુજરાત રાજ્ય મહામંત્રી વિનયભાઈ સોલંકી, બામસેફના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચરભાઈ રાઠોડ, ભારતના રાષ્ટ્રીય મહિલા ગૃહ ઉદ્યોગના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.વી.પરમાર, ભરૂચ યુનિટના શાંતિલાલ રાઠોડ, સહિતના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર : કેડીલા ફાર્માસ્યુટીકલ લીમીટેડ કંપનીમાંથી રૂપિયા ૭.૫૦ લાખના ઓલેનઝેપાઇન પાવડરની ચોરી

અંકલેશ્વર જીઆઇડીસીમાં કેડીલા ફાર્માસ્યુટીકલ લીમીટેડ કંપનીમાંથી રૂપિયા ૭.૫૦ લાખના ઓલેનઝેપાઇન પાવડરની કંપનીમાંથી ચોરી થયા અંગેની એક ફરિયાદ અંકલેશ્વર પોલીસ ચોપડે નોંધાવવા પામી છે.

અંકલેશ્વર જીઆઇડીસીના પ્લોટ નંબર ૩૨૦૩ માં આવેલ કેડીલા ફાર્માસ્યુટીકલ લીમીટેડ કંપનીના પી.પી એરિયા પાવડર પ્રોસેસિંગ એરિયામાંથી ૨૫ કિલોના બેગમાં મુકવામાં આવેલ જે ઓલેનઝેપાઇન પાવડરની અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

કંપનીના પી.પી. એરિયામાં 25 કિલો ઓલેનઝેપાઈન પાવડર કિંમત ₹7.50 લાખની બેગ શનિવારે સવારે 6 થી 6.30 ના અરસામાં ગાયબ થઈ ગઈ હતી. કંપનીમાં અનેક શોધખોળ બાદ બીજા રૂમમાંથી માત્ર ખાલી ડ્રમ જ મળી આવ્યું હતું. પીળા સ્ફટિકીય રૂપમાં આવતા ઓલેનઝેપાઈન પાવડરનો ઉપયોગ સ્કિઝોફ્રેનિયા અને બાયપોલર ડિસઓર્ડરની સારવાર માટે યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા દવા બનાવવા મંજુર થયો છે.
પ્રથમ શનિવાર 4 ડિસેમ્બરે હોવાથી આસિસ્ટન્ટ જનરલ મેનેજર ચિંતન શેઠને રજા હોય વડોદરા હતા. જેમના ઉપર ડેપ્યુટી મેનેજર કમલકાંત પટેલનો ફોન આવ્યો હતો. પી.પી. એરિયામાં પાવડરનું ડ્રમ નહિ હોવા અંગે જણાવતા જ્યાં ફરજ બજાવતા સિનિયર ઓફિસર મુકેશ પરમારને કોલ કરાયો હતો. જેમણે તપાસ કરતા બાજુના રૂમમાંથી ખાલી ડ્રમ મળી આવ્યું હતું. જે અંગે કંપનીના જ કોઈ કર્મચારીએ કિંમતી પાવડરની 25 કિલોની બેગ સગેવગે કરી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

અંકલેશ્વરની કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી અડધો કલાકમાં જ માનસિક રોગોની દવા બનાવવામાં ઉપયોગમાં લેવાતા 25 કિલો ઓલેનઝેપાઈન પાવડર કિંમત રૂપિયા 7.50 લાખની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. અંકલેશ્વર GIDC માં આવેલી કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના પાવડર પ્રોસેસિંગ એરિયામાં ડ્રમમાં રહેલી 25 કિલોની બેગ ચોરી થયાની ફરિયાદ આસિસ્ટન્ટ જનરલ મેનેજર ચિંતન કૃષ્ણ જીવન શેઠે જીઆઇડીસી પોલીસ મથકે નોંધાવી છે.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા સમગ્ર મામલા અંગે પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અંકલેશ્વર: પાનોલીની આર. પી. ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ ૧ કામદારનું મોત, ૫ ઘાયલ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ આર પી ઇન્ડસ્ટ્રીઝમાં ગત રાત્રીના સમયે અચાનક ઉત્પાદન પક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા ભારે નાસભાગ મચી જવા પામી હતી.
આ બ્લાસ્ટમાં ઉત્પાદન પક્રિયા દરમિયાન આસપાસ કામ કરી રહેલ ૫ જેટલા કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક કામદારનું મોત નીપજ્યું હતું.

કેમિકલ કંપનીમાં રાતે દોઢથી 2 કલાક દરમિયાન ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે એકાએક પ્રેશર વધી જતાં રીએક્ટર પ્રચંડ ધડાકા સાથે ફાટતા આગ સાથે અફરાતફરી મચી ગઇ હતી. નોટિફાઇડ એરિયા અને અન્ય કંપનીના ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનામાં મૂળ બિહારના અને હાલ સંજાલી રહેતા 25 વર્ષીય સંતોષ લખન તાતીનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પ્લાન્ટમાં કામ કરતા અને હાલ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે જ રહેતા 5 કામદારો અવની ચંદ્રદેવ શર્મા, મુન્શી જગલ કિશકુ, મન્ના ભગવાન પૈદાર, બાબુચંદ ટુડુ અને રામનાથ મીશ્રીલાલ યાદવને ઇજાઓ પોહચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સાથે અંકલેશ્વર રૂરલ પોલીસે દોડી આવી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. ફેકટરી ઇન્સ્પેકટર દ્વારા દુર્ઘટના સ્થળની મુલાકાત કર્યા બાદ કર્યા કારણોસર ઘટના બની તે બહાર આવી શકશે. હાલ તો અંકલેશ્વર તાલુકા પોલીસે અકસ્માતે મોતનો જાણવા જોગ ગુનો નોંધી તપાસ આરંભી છે. ઘટના પાછળ કૃત્રિમ કે કુદરતી ક્ષતિ કારણભૂત હતી તેની પણ તપાસ ચલાવવામાં આવશે. દુર્ઘટનગ્રસ્ત પ્લાન્ટને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.ઘટનાના પગલે અંકલેશ્વર રૂરલ પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા મામલા અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાં પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવા મુરતિયાઓનો તેમના ટેકેદારો સાથે ધસારો

ઝઘડિયામાં સરપંચ માટે 303 અને સભ્યોના 1576 ફોર્મ ભરાયા

•અંકલેશ્વર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીએ મુરતિયાઓનો તેમના ટેકેદારો સાથે ધસારો

ઝઘડિયા ગ્રામ પંચાયતોની ચૂંટણી નું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે આજે અંતિમ દિવસે ઝઘડીયા સેવાસદન ,તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામપંચાયતો ના સરપંચ તેમજ સભ્ય ના ઉમેદવારો ફોર્મ ભરવા તેઓના સમર્થકો સાથે ઉમટીપડ્યા હતા અત્યાર સુધી ઝઘડિયા તાલુકા માં 74 ગ્રામપંચાયત માંથી 303 સરપંચ ના દાવેદારો એ ઉમેદવારી નોધાવી હતી તો 1576 ગ્રામપંચાયત ના સભ્યો એ ઉમેદવારી નોંધાવી કુલ 1879 ફોર્મ ભરી ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે.

અંકલેશ્વર હાંસોટમાં પંચાયતની ચૂંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવરો રાફડો ફાટ્યો હતો. તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ખાતે મુરતિયા અને ટેકેદારો ધસારો જોવા મળ્યો હતો. હાંસોટ અંકલેશ્વર માં વિવિધ પંચાયત માં સભ્ય તેમજ સમરસ પંચાયત થવાની સંભાવના છે. અંકલેશ્વર માં 43 ગ્રામ પંચાયતમાં આગામી 19 ડિસેમ્બરે મતદાન યોજાશે.

43 ગામના કુલ મળી 126 બુથ અને 412 વોર્ડમાં 1 લાખ,13 હજાર 435 મતદારો પોતાના પ્રતિનિધિ ને ચૂંટશે. હાંસોટ તાલુકા ની 36 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 97 સરપંચ માટેના ફોર્મ તથા 421 સભ્યો માટે ના ફોર્મ ભરાવા પામ્યા છે જ્યારે બે થી ત્રણ ગામોમાં સમરસ થાય એવું લાગી રહ્યું છે પરંતુ સ્પષ્ટ ચિત્ર 7 ડિસેમ્બર ના રોજ ખબર પડશે.

ભરૂચ: રંગવધૂત બાપજીની ૫૪મી પૂણ્યતિથી નિમિત્તે યોજાયો નિ:શુક્લ નિદાન સારવાર કેમ્પ

•દત્તોપાસક પરિવાર દ્વારા કરાયું નિ:શુક્લ નિદાન સારવાર કેમ્પનું આયોજન

ભરૂચ દત્તોપાસક પરિવાર દ્વારા નારેશ્વરના નાથ પ.પૂ. રંગ અવધૂત બાપજીની ૫૪મી પૂણ્યતિથી નિમિત્તે આજરોજ બાજ ખેડાવાળની વાડી ખાતે એક નિ:શુક્લ નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો.
ભરૂચ નવાદહેરા દત્તોપાસક પરિવાર દ્વારા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા ભરૂચના સહયોગ થી યોજાયેલા કેમ્પમાં આયુર્વેદ,હોમિયોપેથ તેમજ દાંતના રોગોના નિદાન સારવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોરોના વેક્સીન તથા ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.

અંકલેશ્વર: સજોદની સીમમાં જેટકો સબ સ્ટેશનમાંથી રૂ.૪ લાખ ઉપરાંતની મત્તાની થઈ ચોરી

અંકલેશ્વરના સજોદ ગામની સીમમાં આવેલ જેટકો કંપનીના ૬૫ કેવી સબ સ્ટેશનમાંથી ગત તસ્કરોએ રૂ.૪ લાખ ઉપરાંતની મત્તાની ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વરના સજોદ ગામની સીમમાં રાતે જેટકો કંપની દ્વારા બનાવવામાં આવેલ ૬૬ કેવી સબસ્ટેશનના દિવાલ વાળા કંમ્પાઉન્ડમાં કોઇ ચોર ઇસમોએ પ્રવેશ કરી સબ સ્ટેશન માંથી આઇસોલેટર બ્લેડો ૧૨૫૦ એ, મુવીંગ પાર્ટ જેની એક નંગની કિંમત રૂપિયા ૧૭,૭૬૬ થાય છે તેવી કુલ ૨૪ નંગ બ્લેડ કુલ કિંમત રૂપિયા ૪,૨૬,૩૪૮ તથા આઇસોલેટર બ્લેડ ૨૦૦૦ એ, મુવીંગ પાર્ટ નંગ ૩ જેની એકની કિંમત રૂપિયા ૨૨,૦૦૦ લેખે કુલ રૂપિયા ૬૬,૦૦૦ અને કોપરના ફ્લેક્જીલ જંમ્પર નંગ ૨ જેની એકની કિંમત રૂપિયા ૧૫૦૦ લેખે કુલ રૂપિયા ૩૦૦૦ મળી કુલ રૂપિયા ૪,૯૫,૮૩૪ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

આ સમગ્ર મામલે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે દિવાલ કુદી જેટકો સબ સ્ટેશનમાંથી બ્લેડ સહિતની મત્તા ચોરનાર તસ્કરોનું પગેરૂં મેળવવા કવાયત હાથધરી છે.

error: Content is protected !!