અંકલેશ્વર જીઆઇડીસીમાં કેડીલા ફાર્માસ્યુટીકલ લીમીટેડ કંપનીમાંથી રૂપિયા ૭.૫૦ લાખના ઓલેનઝેપાઇન પાવડરની કંપનીમાંથી ચોરી થયા અંગેની એક ફરિયાદ અંકલેશ્વર પોલીસ ચોપડે નોંધાવવા પામી છે.

અંકલેશ્વર જીઆઇડીસીના પ્લોટ નંબર ૩૨૦૩ માં આવેલ કેડીલા ફાર્માસ્યુટીકલ લીમીટેડ કંપનીના પી.પી એરિયા પાવડર પ્રોસેસિંગ એરિયામાંથી ૨૫ કિલોના બેગમાં મુકવામાં આવેલ જે ઓલેનઝેપાઇન પાવડરની અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

કંપનીના પી.પી. એરિયામાં 25 કિલો ઓલેનઝેપાઈન પાવડર કિંમત ₹7.50 લાખની બેગ શનિવારે સવારે 6 થી 6.30 ના અરસામાં ગાયબ થઈ ગઈ હતી. કંપનીમાં અનેક શોધખોળ બાદ બીજા રૂમમાંથી માત્ર ખાલી ડ્રમ જ મળી આવ્યું હતું. પીળા સ્ફટિકીય રૂપમાં આવતા ઓલેનઝેપાઈન પાવડરનો ઉપયોગ સ્કિઝોફ્રેનિયા અને બાયપોલર ડિસઓર્ડરની સારવાર માટે યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા દવા બનાવવા મંજુર થયો છે.
પ્રથમ શનિવાર 4 ડિસેમ્બરે હોવાથી આસિસ્ટન્ટ જનરલ મેનેજર ચિંતન શેઠને રજા હોય વડોદરા હતા. જેમના ઉપર ડેપ્યુટી મેનેજર કમલકાંત પટેલનો ફોન આવ્યો હતો. પી.પી. એરિયામાં પાવડરનું ડ્રમ નહિ હોવા અંગે જણાવતા જ્યાં ફરજ બજાવતા સિનિયર ઓફિસર મુકેશ પરમારને કોલ કરાયો હતો. જેમણે તપાસ કરતા બાજુના રૂમમાંથી ખાલી ડ્રમ મળી આવ્યું હતું. જે અંગે કંપનીના જ કોઈ કર્મચારીએ કિંમતી પાવડરની 25 કિલોની બેગ સગેવગે કરી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

અંકલેશ્વરની કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી અડધો કલાકમાં જ માનસિક રોગોની દવા બનાવવામાં ઉપયોગમાં લેવાતા 25 કિલો ઓલેનઝેપાઈન પાવડર કિંમત રૂપિયા 7.50 લાખની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. અંકલેશ્વર GIDC માં આવેલી કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના પાવડર પ્રોસેસિંગ એરિયામાં ડ્રમમાં રહેલી 25 કિલોની બેગ ચોરી થયાની ફરિયાદ આસિસ્ટન્ટ જનરલ મેનેજર ચિંતન કૃષ્ણ જીવન શેઠે જીઆઇડીસી પોલીસ મથકે નોંધાવી છે.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા સમગ્ર મામલા અંગે પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here