The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 21

ભરૂચ-દહેજ રોડ પર SRF કંપનીની બસ પલટી: 15 કર્મચારીઓને ઈજા

દહેજ જીઆઇડીસીમાં કર્મચારીઓને લઈ જતી બસ સવારે પલટી ખાઈ ગઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અકસ્માતમાં બસમાં સવાર કર્મચારીઓ પૈકી 15ને નાની મોટી ઈજાઓ પહોંચતા એમ્બયુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનસીબે જાનહાની ટળી હતી. તેમજ એકપણ કર્મચારીની હાલત ગંભીર નથી.

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ દહેજ સ્થિત SRF Limited કંપનીની જનરલ શિફ્ટની બસ ભરૂચથી દહેજ જીઆઇડીસી તરફ રવાના થઇ હતી. બસ એકસાલ ગામ નજીક દહેજ હાઇવેપરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બસના ચાલકે વાહન ઉપરથી કાબુ ગુમાવ્યો હતો.

બેકાબુ બનેલ આ બસ રોડ ઉપરથી ઉતરી વરસાદી કાંસમાં પલટી ગઈ હતી. ઘટના સમયે બસમાં ૫૦ જેટલા કર્મચારીઓ હોવાનું અનુમાન છે. માર્ગ ઉપર દોડતા અન્ય વાહનમાં સવાર લોકો અને બસના સલામત કર્મચારીઓએ એકબીજાની મદદથી ઇજાગ્રસ્તોને બસની બહાર કાઢયા હતા.

કર્મચારીઓને કંપનીમાં લઈ જતી બસના અકસ્માતનું કારણ જાણવા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રો તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના ખરાબ રસ્તા, બસ ચાલકની બેદરકારી કે અન્ય કોઈ કારણે સર્જાઈ છે તેની હકીકત હજુ સામે આવી નથી. ભરૂચ તાલુકા પોલીસે ઇજાગ્રસ્તો સહીત બસમાં સવાર અન્ય મુસાફરોના નિવેદન લઈ હાલમાં તો તપાસ શરૂ કરી છે.

શું ભરૂચ જિલ્લામાં નવરાત્રિમાં દરેક ગ્રાઉન્ડમાં 108 અને ડૉકટર હાજર રહેશે ?

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે ગરબા રમતા યુવક-યુવતીઓમાં કાર્ડિયાક એટેકથી મોત થતા તંત્ર દ્વારા નવરાત્રીમાં કોઈ અનિચ્છનિય ઘટનાં બને તો તેને પહોંચી વળવા વહીવટી તંત્ર તેમજ ગરબા આયોજકો દ્વારા આગોતરૂ આયોજન કરાશે કે કેમ જેવા અનેક સવાલો જનમાનસ પટ પર છવાઇ રહ્યા છે.

તાજેતરમાં જ ૧૦૮ ઇમરજન્સી સેવાને રોજનાં લગભગ 230 થી 250 કેસ અમને કાર્ડિયાક ઈમરજન્સીનાં સમગ્ર ગુજરાતમાંથી મળ્યા છે. તે મુજબ કાર્ડિયાક ઈમરજન્સી કેસમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. રાજકોટ સિવિલમાં હાર્ટ એટેક માટે 50 બેડનો ખાસ વોર્ડ અને નવરાત્રિના નવ દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાત્રિ દરમિયાન હાર્ટ અટેકની સારવાર મળે રહે માટે ખાસ રાત્રિનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં આખી રાત વોર્ડમાં ડોક્ટરની ટીમ રહેશે તો શું તંત્ર દ્વારા ભરૂચમાં આગામી નવરાત્રીને ધ્યાને રાખી પ્રજાહિતના નિર્ણય લઈ ૧૦૮ સહિત સિવિલની ટીમને તૈનાત કરાશે કે કેમ એ તો આવનાર નવરાત્રી જ બતાવશે.

એક રૂપિયો સહાય નહિ આવે અમને ખબર છે ! ભરૂચના પ્રભારી મંત્રી સામે પ્રજાનો આક્રોશ

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના જળસ્તર વધ્યા બાદ પૂરની પરીસ્થીતીનું નિર્માણ થતા નદી કાંઠા વિસ્તારોમાં ભારે તારાજીનું થવા પામી હતી.નર્મદા નદીમાં અચાનક જ જળ સ્તર વધતા ભરૂચ અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારમાં પાણી પ્રવેશી જતા લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા હતા.

જો કે નર્મદા નદીના જળ સ્તર ઘટ્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ સુધરી હતી. પરંતુ પાણી ધુસી જવાના પગલે લોકોની ઘર વખરી અને દુકાનમાં રહેલા સામાનને મોટી નુકશાની થઈ હતી. જે બાદ સ્થિતિ અંગેના ચિતાર મેળવવા હવે રાજકીય નેતાઓએ ભરૂચ જિલ્લામાં ધામા નાંખવાના શરૂ કર્યા છે. ત્યારે આજે ભરૂચના પ્રભારી અને મંત્રી કુંવરજી હળપતિ તથા ભાજપના આગેવાનો ભરૂચમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તે વેળા લોકોમાં આક્રોશનો ભોગ મંત્રી એ બનવું પડ્યું હતું.

જેમાં સ્થાનિકોએ મંત્રીનો ઘેરાવો કરી તેઓ સમક્ષ એક રૂપિયો સહાય નહીં આવે અમને ખબર છે, તેવા શબ્દોચ્ચાર સાથે હોબાળો મચવ્યો હતો. બાદમાં લોકોનો આક્રોશ જોઈ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચેલા મંત્રી અને ભાજપના આગેવાનોનોએ પણ ઘેરાવો થતા ચાલતી પકડી હતી અને ભરૂચ દાંડિયા બજારથી મંત્રી સહિતનો કાફલો અંકલેશ્વર તરફ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે રવાના થયો હતો.

ભરૂચ ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો થયો આબાદ બચાવ

આજરોજ સવારના સમયે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલ સિંહ રણા ભરૂચ -વડોદરા હાઇવે ઉપરથી પોતાની કાર લઈ પસાર થઈ રહ્યા હતા.

તે દરમ્યાન સેગવા ગામ પાસે તેઓની કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સેગવા ગામ પાસે હાઇવે ઉપર આવેલ તુલસી હોટલ પાસે ડમ્પર અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રણાનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટના બાદ સ્થળ ઉપર લોક ટોળા અને કોંગ્રેસના કાર્યકરો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં કોંગ્રેસ પ્રમુખની કારનો ખુરદો બોલી ગયો હતો. આ ઘટના અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર દોડી જઈ અકસ્માત મામલે વધુ તપાસ હાથધરી હતી.

અંકલેશ્વરના જુના બોરભાઠા નર્મદા નદી કિનારેથી એક યુવકનો વિકૃત મૃતદેહ મળ્યો

અંકલેશ્વરના જુના બોરભાઠા ગામ નજીક નદી કિનારેથી એક અજાણ્યા પુરુષનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસને કરતા પોલીસે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર બાજુએ નર્મદા નદીને અડીને જુના બોરભાઠા ગામ આવેલું છે. ગત રાતે નર્મદા નદી કિનારે આવેલા તપોવન આશ્રમ પાસેથી એક અજાણ્યા પુરુષનો વિકૃત અને દુર્ગંધ મારતો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનીક માછીમારોને થઈ હતી. જેથી તેમણે આ બનાવ અંગેની જાણ સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરી હતી. ધર્મેશ સોલંકીને માહિતી મળતા જ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને નાવડી વડે બહાર કઢાવવા કવાયત હાથધરી હતી.

બનાવ અંગેની અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસને જાણ થતાં જ સ્થળ પર પહોંચી આસપાસ તપાસ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી તેના વાલી વારસોની શોધ આરંભી છે. હાલમાં તો આ ઘટનામાં નર્મદા નદીમાં કોઈ ડૂબી ગયો હોય અને મૃતદેહ પાણીમાં તણાતા અહીંયા આવી પહોંચ્યો હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન લગાવાઈ રહ્યું છે.

દક્ષિણ ગુજરાતની પોલીસને દોડતી રાખનાર કુખ્યાત બુટલેગર અશોક મારવાડી ઝડપાયો

કુખ્યાત બુટલેગર અશૉક ઉર્ફે મારવાડી કેશરીમલ માલીની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ કરી છે. આ બુટલેગર દક્ષિણ ગુજરાતની પોલીસને દારૂના વેપલાથી દોડતી રાખે છે.કુખ્યાત બુટલેગર અશૉક ઉર્ફે મારવાડી કેશરીમલ માલીની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ બુટલેગર દક્ષિણ ગુજરાતની પોલીસને દારૂના વેપલાથી દોડતી રાખે છે. ઝડપાયેલા આરોપી 6 ગુનાઓમાં વોન્ટેડ જયારે 26 ગુનાઓમાં આરોપી છે.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ દ્વારા LCB ની ટીમને ભરૂચ જીલ્લામાં ભૂતકાળના સમયમાં પ્રોહિબિશનનો મોટી માત્રામાં જથ્થો પકડાયેલ હોય તેવા ગુનાઓમાં મુખ્ય સુત્રધાર આરોપીઓ વોન્ટેડ હોય તે આરોપીઓને સ્તવરે ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી  સઘન પ્રયત્નો હાથ ઘરવામાં આવ્યા હતા.LCB  પોલીસ સબ ઇન્સપેક્ટર પી એમ વાળા નાઓની ટીમને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ભરૂચ , નર્મદા અને સુરત ગ્રામ્ય જીલ્લાના દારૂની બદીના ગુનાઓમાં વોન્ટેડ આરોપી અશોક મારવાડી રહેવાસી – માંગરોળ(સુરત) મોસાલી ચોકડી નજીક XUV 300 કર્મ ફરી રહ્યો છે.  બાતમીના આધારે માંગરોળ નજીક મોસાલી ચોકડી ખાતે વોચમાં રહી પોલીસે કુખ્યાત આરોપી અશોક મારવાડીને XUV300 કાર સાથે ઝડપી પાડી તેને ભરૂચ ખાતે લાવવામાં આવ્યો છે.

અશોક મારવાડીએ ત્રણ જિલ્લામાં કુલ 7 ગુનાની કબુલાત કરી છે. આ આરોપી 9વર્ષથી દારૂની બદી  ફેલાવી રહ્યો છે. આરોપીને ત્રણ વખત પાસા(PASA) થયેલ છે અને તે મહેસાણ જેલ તેમજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા કાપી આવેલ છે હાલ સુધીની તપાસમાં આ બુટલેગરનું કાર્યક્ષેત્ર ભરૂચ સુરત ગ્રામ્ય નર્મદા, વલસાડનું સામે આવ્યું છે.

આમોદના આછોદમાંથી સોનાના નામે લૂંટી લેનાર ટોળકીના 5 સાગરીતો ઝડપાયા

ભરૂચ LCB એ આમોદના આછોદમાં વ્યારા અને નડિયાદના વેપારીને લાખો રૂપિયા રોકડા સાથે બોલાવી સસ્તાના સોદા અને સોનાના નામે લૂંટી લેનાર ટોળકીના 5 સાગરીતોને ઝડપી પાડ્યા હતા.જે ટોળકીએ હવે સુરતના પુણા ખાતે જય અંબે પેલેસમાં રહેતા દલાલ વિપુલ મનુ પટેલને શિકાર બનાવી છે. આજથી એક વર્ષ અગાઉ વલસાડના મિત્ર રજની ઉર્ફે સજનીકાંત પટેલે જમીન-મકાનની દલાલી કરતા વિપુલ ભાઈને S.S. એટલે કે સેકન્ડ સિરીઝ , એક નંબરની ડબલ નોટો છપાઈ ગયા અંગે કહ્યું હતું.

વાંસદા કોર્ટમાં પ્યુન એવા ચંદ્રકાંત ઉર્ફે ચંદનનો સંપર્ક કરાવતા તેને ટોળકીના અન્ય સાગરીતો સાથે વાત કરાવી હતી. ટોળકીએ તેઓ પાસે RBI એ ભૂલથી ડબલ સિરીઝની છાપેલી નોટો હોવાનું અને તેને એકના ત્રણ ગણામાં આપવાનું કહી પ્રથમ પાદરાના સાધી ગામે બેઠક યોજી હતી.જેમાં 500 ના દરની અસલ નોટોના બંદલો બતાવતા સુરતના દલાલને લાલચ જાગવા સાથે એક ના ત્રણ ગણા કરવામાં તે ટોળકીની જળમાં ફસાઈ ગયો હતો.ડિસેમ્બર 2022 માં સુરતના વિપુલ ભાઈ મિત્ર પાસેથી ઓછીના 10 લાખ રોકડા લઈ આમોદના આછોદ ગામે આવ્યા હતા. ત્યાં જ રોકડા ટોળકીના સાગરીતોએ છીનવી લઈ નકલી પોલીસની રેઇડ કરાવી દલાલને લૂંટી ધમકી આપી ભગાડી દીધો હતો.

પાંચ દિવસ બાદ ટોળકીના ભુજના રાજુભાઇ ઉર્ફે અબ્દુલ ખાલિદ જાનું શિરૂ, આછોદના હનીફ પઠાણ, ઈમ્તિયાઝ ઉર્ફે લાલો પટેલ, ઇકબાલ પઠાણ અને હરેશ જાડેજાએ પાછો આ ખેલ ખેલ્યો હતો. દલાલ ફરી બીજા 10 લાખ રોકડા લઈ આછોદ આવતા કોરા ચેકને રોકડા લઈ લૂંટી લઈ ભગાડી દેવાયો હતો.બાદમાં કુખ્યાત ટોળકીના 5 સાગરીતોને ભરૂચ LCB એ ચિલ્ડ્રન નોટ, રોકડા અને અન્ય મુદ્દામાલ સાથે ઝબ્બે કરી લીધી હતી. જુલાઈમાં તે ટોળકીના સાગરીતો બહાર આવતા દલાલે તેમની પાસે પોતાના 20 લાખ પરત માંગતા ફક્ત 2 લાખ રોકડા, કોરા ચેક અને પ્રોમિસરી નોટ પરત અપાઈ હતી. અન્ય 18 લાખ નહિ આપતા આમોદ પોલીસ મથકે કુખ્યાત ગેંગ સામે ગુનો દાખલ કરાવાયો છે.

ડેડીયાપાડા માં વધુ એક સગીરા સાથે 4 યુવાનોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

નર્મદા જિલ્લા નાં આદિવાસી બહુલ વસ્તી ધરાવતા ડેડીયાપાડા તાલુકાના યુવાનોની માનસિક વિકૃતિ વધી હોવાનું લાગી રહ્યું છે, સોશ્યલ મિડિયા હોય કે પોર્ન ફિલ્મો યુવાનોના માનસ પર એવા હાવી થઈ રહ્યા છે કે તેઓ ફૂલ સમાન કુમળી બાળકીઓને શિકાર બનાવી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડીયાપાડા તાલુકામાં સતત ત્રીજા દિવસે પણ સગીર બાળકી પર દુષ્કર્મ નો મામલો સામે આવ્યો છે.

ડેડીયાપાડા તાલુકામાં સગીર બાળકી સીમમાં ઢોર ચારવા ગયેલ સગીરા ને એકલી ઢોર ચરાવતી જોતા આ સગીર બાળકી પર એક બાદ એક ચાર નરાધમોએ દુષ્કર્મ આચરી ગેંગરેપ કર્યો હતો. અને આ મુદ્દે પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાં જાણવા મુજબ (૧) અલ્પેશ રાયસીંગભાઈ વસાવા, (૨) ખુમાનસિંગ સુરેશભાઈ વસાવા, (૩) નિતેશ રમેશભાઈ વસાવા, તથા (૪) ગોવનજી રડવીયાભાઈ વસાવા તમામ રહે.બંટાવાડી, તા.દેડીયાપાડા, નર્મદાનાઓ આ કામના ભોગ બનનાર સગીર બાળકી તેમના ગામની સીમમા બાબરડેટી વગા વિસ્તારમા તેમના ઢોર ચારવા માટે ગયેલ હતી ત્યારે આ સગીરા ને એકલી જોઈને આ ચારેય હવસખોર બે મોટર સાયકલ ઉપર જઇ બળજબરી પૂર્વક, તેની મરજી વિરુદ્ધ જબરજસ્તી થી સગીરા ને જમીન ઉપર સુવડાવી દઇ ચારેય નરાધમોએ વારા ફરથી દુષ્કર્મ આચર્યું, જેમાં અલ્પેશ રાયસીંગભાઈ વસાવા એ બીજી વાર દુષ્કર્મ કરી ભાગી છૂટ્યા હતા, ડેડીયાપાડા પોલીસે પોક્સો અને બળાત્કાર નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં સતત આ ત્રીજી દુષ્કર્મની ઘટના પોલીસ મથકે નોંધાઇ છે. જેમાં પહેલા ડેડીયાપાડા તાલુકાના કાબરીપઠાર ગામ બાદ માં નીવાલ્દા ગામ અને ત્યારબાદ હવે સુકવાલ ગામમાં સગીર બાળકી પર બળાત્કાર ની ઘટના બનતા પંથક માં ચકચાર મચી જવા પામી છે અને એ તરફના વાલીઓ હવે બાળકીઓ માટે ચિંતિત બન્યા છે.

ભરૂચ : ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી ૪પ લાખથી વધુના કોપર કેબલ’ની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકનું કામ ભરૂચ જીલ્લામાં પ્રગતિમાં હોય, જુન/ જુલાઇ/ ૨૦૨૩ સમય ગાળા દરમ્યાન ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ થામ અને મનુબર ગામની વચ્ચેથી ઇલેક્ટ્રીક એન્જીન માટે લગાવવામાં આવેલ “કેટનરી કોપર કેબલ તથા કોન્ટેક કોપર વાયરો ની કોઇ અજાણ્યા ચોર ઇસમો દ્વારા કુલ ૪પ લાખથી વધુની મત્તાની ચોરી થયેલાનું ધ્યાને આવતા, નવનિર્મીત રેલ્વે પ્રોજેક્ટ મેનેજમેન્ટ તરફથી ફરીયાદ આપતા ભરૂચ તાલુકા પોલીસ મથકે બે અલગ અલગ ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ હતા.

આ કેટનરી કોપર કેબલ તથા કોન્ટેક કોપર વાયરો ચોરીની ઘટનાને ગંભીરતાદાખવી ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ એલ.સી.બી.તથા સ્થાનિક પોલીસને ગુનો શોધી કાઢવા જરૂરી સુચના આપતા પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ એલ.સી.બી. ભરૂચ દ્વારા ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી થયેલ “કેટનરી કોપર કેબલ તથા કોન્ટેક કોપર વાયરો” ચોરી શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની એક ટીમ બનાવી ગુનાવાળી જ્ગ્યા વિઝીટ કરી, ટેકનિકલ & હ્યુમન શોર્પિસથી આ ગુનો શોધી કાઢવા સતત વર્ક આઉટ કરી, ફોલઓપ લઇ, પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

દરમ્યાન ગતરોજ એલ.સી.બી,ના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એમ.વાળાની ટીમ ખાનગી વાહનોમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે  નવનિર્મિત ગુડઝ રેલ્વે ટ્રેક ઉપરથી ઈલેક્ટ્રીક કેબલ વાયરોની ચોરી કરનાર પંજાબી ગેંગના માણસો હાલ ભરૂચથી દહેજ જતાં રોડ પરથી પસાર થતા એક્સપ્રેસ હાઈવેના બ્રીજ નીચે ઉભા છે અને તેઓની હાજરી શંકાસ્પદ જણાય છે.જેથી ત્રણેવ શકમંદ ઇસમોને એક લોખંડના કટર સાથે ઝડપી પાડી તેની સઘન અને ઉડાણપુર્વકની પુછપરછ હાથ ધરતા આરોપીઓ ભાંગી પડેલ.

પોલીસને જણાવેલ કે પોતે મુળ પંજાબના ચારેવ ઇસમો ભરૂચમાં ધંધા અર્થે બે ત્રણ મહીનાથી આવેલ હોય ચારેય નેશનલ હાઇવે ઉપર ગુરૂદ્ધારા પર મળેલા દરમ્યાન નવનિર્મિત ગુડઝ રેલ્વે ટ્રેક ઉપરથી ઈલેક્ટ્રીક કેબલ વાયરોની ચોરી કરવા વિચારી પ્રથમ રેકી કરેલ બાદમાં વાયરો વજનના હોવાથી વાહનની વ્યવસ્થા માટે સ્થાનિક વ્યક્તિની જરૂર હોય મોના પાર્કમાં મિન્હાજને સામેલ કરેલ અને પાંચેવ દ્વારા પ્રથમ રાત્રીએ સ્વિફ્ટ ગાડીમાં અને સળંગ બીજી જ રાત્રીએ અન્ય ત્રણ વ્યક્તિઓને સામેલ કરી, બ્રેજા ગાડીમાં ચોરી કરેલ ત્યારબાદ ત્રીજી વખત પણ ઇનોવા ગાડી લઇ ચોરી કરવા ગયેલ પણ રેલ્વેના બંને તરફથી એન્જીનો પરીક્ષણ અર્થ આવતા જણાતા કાપેલ કેબલ આજુબાજુમાં ભરેલ પાણીમાં ફેંકી રવાના થઇ ગયેલ અને ચોરીના કેબલો સુરેશ મારવાડી મારફતે અંકલેશ્વર વેચેલ હોવાની હકિકત જણાવતા કેબલ ચોરીના વાયરો વેચનાર અને લેનારને પણ ઝડપી પાડી કુલ ૦૬ આરોપીઓને ૧૨૦ કીલોગ્રામ કેટનરી કોપર કેબલ તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલ પીકઅપ બોલેરો સહીત કુલ મુદ્દામાલ કિમત રૂપિયા ૬,૬૮,૧૦૦/ – ઝડપી પાડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ પંજાબી ગેંગ તથા સાગરીતોએ અન્ય કોઇ જ્ગ્યાએ આવી કોઇ કેબલ ચોરીને કે અન્ય કોઇ મિલ્કત સંબંધી ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ ? તથા આ ચોરીમાં અન્ય કોઇ સંડોવણી છે કે કેમ ? મુદ્દામાલ રીકવરી વિગેરે ની વધુ તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ભરૂચ તાલુકા પોલીસ મથકનાને સોંપવામાં આવી છે.

પકડાયેલ આરોપીઓ:) અમલોકસીંઘ બલવિંદરસિંઘ જાતે મજબીસિંગ ઉ.વ,૩૫ , રાજદીપસીંઘ ઉર્ફે જગ્ગા બાબુસિંઘ જાતે જાટ ઉ.વ.૩૭ , મિન્હાજ મોહમંદભાઇ સિંધા ઉ.વ, ૨૮ રહેવાસી, મકાન નં. બી/ ૩૨ મોના પાર્ક સોસાયટી જંબુસર બાયપાસ ચોકડી પાસે ભરૂચ, નારાયણસિગ ઉર્ફે ઠાકુર કુપસિંગ જાતે પરમાર (રાજસ્થાની મારવાડી) ઉ,વ.૨૦, સુરેશકુમાર અખાજી પુરોહીત ઉ.વ.૩૩ , મનસુખભાઇ પોપટભાઇ જાતે પટેલ ઉ.વ.૪૨ ધંધો. મોટર રીવાંઇન્ડીગ રહેવાસી, મકાન નં.૩૦૫ ટેન્ડર માધવ એપાર્ટમેન્ટ ગોલ્ડન ચોકડી નજીક, કમલ ગાર્ડન પાસે જી.આઇ.ડી.સી. અંકલેશ્વર જી.ભરૂચ (ચોરીનો માલ ખરીદનાર)

વોન્ટેડ આરોપીઓ;(૧) સતનામસિંઘ ઉર્ફે સત્તાર રહે.પંજાબ,(૨) ગુરદીપસિઘ ઉર્ફે દિપ રહે.પંજાબ,(૩) અર્જુન પુરોહીત રહે. રાજસ્થાન,

ભરૂચ જિલ્લાના 7 GIDC વિસ્તારોમાં મેગા કોમ્બિંગ

ભરૂચ જિલ્લા પોલીસે તહેવારોની શરૂઆત સાથે ભરૂચ જિલ્લા પોલીસે જિલ્લાના ઔદ્યોગિક વસાહતોને આવરી લેતા 7 અલગ – અલગ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. ભરૂચ, અંકલેશ્વર, દહેજ, જંબુસર, ઝઘડીયા, પાનોલી સહીત GIDC વિસ્તારોને 50 અધિકારીઓ અને 225 પોલીસકર્મીઓએ ધરમરોળ્યો હતો.

ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ એ ચૌધરી સહીત જિલ્લાના મોટાભાગના પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ આ કોમ્બીન્ગમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે ટૂંકા સમયગાળામાં ભરૂચ પોલીસે બીજીવાર મેગા કોમ્બીન્ગનું આયોજન કર્યું હતું.ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો તરફ પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.  7 અલગ – અલગ વિસ્તારોને 50 અધિકારીઓ અને 225 પોલીસકર્મીઓએ ધરમરોળ્યો હતો.આ કોમ્બિંગ દરમિયાન અલગ અલગ 200 જેટલા મામલાઓમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. કોમ્બિંગ દરમિયાન 1 બોગસ તબીબ પણ ઝડપાયો હતો જયારે દારૂ અને જાહેરનામાભંગના ગુના દાખલ કરાયા છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લો અધૌગિક દ્રષ્ટીએ ખુબ જ મોટો અને મોટી સંખ્યામાં જી.આઇ.ડી.સી. ધરાવતો હોવાથી આગામી તહેવારોમાં જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી કોમ્બિંગના આદેશ કરાયા હતા.નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર અને જંબુસરના સુપરવિઝન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે. વિસ્તાર, અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે.વિસ્તાર પાનોલી, ઝઘડીયા જી.આઇ.ડી.સી વિસ્તાર, દહેજ તથા જંબુસર ખાતે અસમાજીક પ્રવૃતિ, વાહન ચેકિંગ, મકાન ભાડુઆત ચેકીંગ વિગેરે મુદ્દાઓસર કોમ્બીંગનું આયોજન કરાવામાં આવ્યું હતું.

આ કોમ્બીંગમાં લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, પેરોલ ફર્લો સ્કોડ, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ બોમ્બ ડીસ્પોઝ ટીમ, ક્વીક રીસ્પોન્સ ટીમ, ઉપરોક્ત જણાવેલ વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો મળી કુલ પોલીસ ઇન્સપેક્ટરશ્રી-૨૪, પો.સ.ઇ-૨૧ તથા ૨૨૫ જેટલા પોલીસ માણસો કોમ્બિંગમાં જોડાયા હતા.

error: Content is protected !!