The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 22

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં જ PSO ઉપર જીવલેણ હુમલો

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં જ ફરજ પરના PSO ને માથા અને હાથ ઉપર હાથા (પાઇપ) જેવા હથિયારથી બે ફટકા મારી અસ્થિર યુવાને જીવલેણ હુમલો કર્યો હતો.

આ ઘટનામાં ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે એક વરદી આવી હતી. કોલમાં શહેરમાં એક અવાવરૂ જગ્યાએ બંધ મકાન બહાર એક યુવાન બેઠો હોવાનું કોલ કરનારે પોલીસને કહ્યું હતું. આ ખૂબ જ ગભરાયેલા અને શંકાસ્પદ જણાતા યુવાનને વરદી આધારે PCR વાન લેવા ઘટના સ્થળે પોહચી હતી. જ્યાં ભયભીત અને માનસિક અસ્વસ્થ લાગતા આ યુવાને તેનું નામ પુછતા તેણે તેનું નામ વિજય જણાવ્યું હતું. આ યુવાનને પોલીસ વાનમાં એ ડિવિઝન મથકે લાવી બેસાડાયો હતો.દરમિયાન પોલીસ સ્ટાફ તેની પૂછપરછ કરી માહિતી મેળવે તે પેહલા અચાનક જ આ યુવાને પોલીસ મથકમાં પડેલાં હાથા જેવા સાધન વડે ફરજ પરના PSO ભીંમસિંગ ભાઈ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પોલીસકર્મી ભીમસિંગ રામસિંગભાઈ ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ ઈજાગ્રસ્ત પોલીસકર્મીને વધુ સારવાર ખાનગી હોસ્પિટલમાં આપવા પ્રયાસ હાથ ધરાયા છે.

ભરૂચની જેબ્સનની ફાધર કન્સલ્ટ કંપની હેરિટેજ નમકીન્સમા આગ

ભરૂચ ભોલાવ ઉધોગનગરમાં આવેલી જેબ્સનની ફાધર કન્સલ્ટ કંપની હેરિટેજ નમકીન્સમા ભભૂકેલી આગે મધરાતે ફાયર ફાઈટરોને દોડતા કરી દીધા હતા. ત્રણ ફાયર ટેન્ડરોની મદદથી બે કલાકની જહેમતે આગ પર કાબુ મેળવાયો હતો.

ભરૂચ જિલ્લામાં આગ લાગવાના દિન પ્રતિદિન બનાવો સામે આવી રહ્યા છે ત્યારે શનિવારે મધરાતે ભરૂચ જીઆઇડીસીમાં ભોલાવમાં આવેલા જેબ્સન ફૂડ કંપનીની હેરીટેજ નમકીન્સમાં અગમ્ય કારણોસર આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી.ભરૂચ શહેરના જીઆઇડીસીમાં આવેલ જેબ્સન ફૂડ કંપનીના હેરિટેજ નમકીન પ્લાન્ટમાં પ્રોસેસિંગ પ્રક્રિયા દરમિયાન અચાનક આગ લાગી જતા કંપનીનો પ્લાન્ટ ભડકે બળતાં નાસ ભાગ મચી જવા પામી હતી.

કંપનીમાં અચાનક આગ લાગતા કંપની સંચાલકો દ્વારા ભરૂચ નગરપાલિકા ફાયર સ્ટેશનએ જાણ કરતા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી સહિતની ટિમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. રાત્રીના સમય લાગી આગની લપટો એટલી ભયાનક હતી કે દૂરથી પણ નજરે પડી હતી.ફાયરની ટીમે 3 ફાયર ટેન્ડરો અને 2 કલાક ની મહેનત બાદ આગને કાબુમાં લીધી હતી. આ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ કંપનીનો એક આખો પ્લાન્ટ આગમાં ભસ્મીભૂત થઈ જવા પામ્યો હતો.ફાયર સેફટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ વિભાગે જણાવ્યું હતું કે, ઉપરના માળે ફ્રાઇંગ રૂમ હતો ત્યાં કોઈ કારણોસર ઉકળતા તેલના કારણે ઘટના ઘટી હોવાનું પ્રાથમિક બહાર આવ્યું છે.

અંકલેશ્વર જ્યાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર મશીન, હોસ્ટેલ અને પોષણ કીટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ભૂમિપૂજન

અંકલેશ્વર શ્રીમતી જયાબેન મોદી  હોસ્પીટલનાં કેન્સર સેન્ટરમાં પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ, પોષણ રક્ષક કીટનું વિતરણ અને કેન્સરના દર્દીઓ માટે 60 બેડ ધરાવતી હોસ્ટેલનું ઈ-ભૂમિ પૂજન CM ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર ખાતે પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ, કેન્સરના દર્દીઓ માટે પોષણ રક્ષક કીટનું વિતરણ તેમજ કેન્સરના દર્દીઓ માટે રહેવાની 60 બેડ ધરાવતી હોસ્ટેલની સુવિધાનું ખાતમુહૂર્ત કરાયું હતું.

કાર્યક્રમમાં નાણામંત્રી કનુ દેસાઈ, સાસંદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ડી કે સ્વામી, રીતેષ વસાવા, દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેકટર, ડીડીઓ, ટ્રસ્ટીઓ, દાતાઓ તથા સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

કેન્સરના સચોટ નિદાન અને તેની કેટેગરી જાણવા માટે ₹7.50 કરોડનું પેટ સિટી સ્કેન મશીન ઉપયોગી બની રહે છે. આ સંપૂર્ણ પ્રક્રિયાની શરૂઆતમાં ન્યુક્લિયસ મેડિસિન દર્દીઓને ઇન્જેક કરવામાં આવે છે. જેથી પેટ સીટી સ્કેન મશીન દ્વારા શરીરના કયા ભાગમાં કેન્સર છે, કેટલું પ્રસરેલું છે અને કેટલું વ્યાપક છે તે જાણી શકાય છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાં 40 મેડિકલ કોલેજ બનતા હવે વર્ષે 7000 તબીબો આપણને મળી રહ્યાં છે. તેમ જણાવી રાજ્યમાં વધતી જતી આરોગ્ય સુવિધાઓની માહિતી આપી હતી. સંસ્થા વતી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સ્મૃતિ ભેટ તરીકે ભરૂચના ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ અને કબીરવડની છબી ભેટ આપાઈ. સાથે જ બન્નેને હેરિટેજ જાહેર કરવા મુખ્યમંત્રીને લાગણી સાથે અનુરોધ જિલ્લાની જનતા વતી વ્યક્ત કરાયો હતો.

અંકલેશ્વરમાં મુખ્ય મંત્રીના આગમનના પૂર્વે યુવા કોંગ્રેસીઓને કરાયા નજર કેદ..!

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુક્રવારે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલનાં કેન્સર સેન્ટરમાં પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ માટે આવતા પૂર્વે જ કોંગી અગ્રણીઓને નજર કેદ કરી દેવાયા હતા.

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ ના પ્રમુખ શરીફ કાનુગા અને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ના મહામંત્રી વસીમ ફડવાલા તેમજ યુવા ઉપપ્રમુખ સ્પંદન પટેલ તથા પ્રતીક કાયસ્થ અંકલેશ્વર માં ઉદ્દઘાટન પ્રસંગે આવેલા મુખ્યમંત્રીને રોડ રસ્તા ની દયનિય હાલત બાબતે પ્રશ્ન પૂછવાના તેમજ તેઓનું આ બાબતે ધ્યાન દોરી રજૂઆત કરવાના હોઈ આજે વહેલી સવાર થી તમામને LCB અને અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ ટીમ દ્વારા એમના નિવાસ સ્થાને થી અંકલેશ્વર એ- ડિવિઝન પોલીસ મથકે લઇ જવાયા હતા.

સારસાના ઉમધરા ગરનાળા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત,૧ને ઇજા

ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં રાજ્ય ધોરીમાર્ગ પર અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય એમ ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં સારસા ગામે ઉમધરા ગરનાળા નજીક એક હાઇવા ટ્રક અને એક આઇસર ટ્રક ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં હાઇવા ચાલક ગંભીર રીતે ઘવાયો હતો.

અકસ્માતમાં બન્ને વાહનોને નુકશાન થયું હતું. અકસ્માતની જાણ થતાં રાજપારડી પીએસઆઇ પી.એમ.દેસાઇ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ હાઇવા ટ્રકનો ડ્રાઇવર પરવેઝ અખ્તર મહમદ ફરીઝ કુરેશી હાલ રહે.કીમ ચોકડી જિ.સુરત અને મુળ રહે.ઉત્તરપ્રદેશના તેની ટ્રક લઇને રાજપારડી તરફથી ઉમલ્લા તરફ જઇ રહ્યો હતો, ત્યારે સામેથી રોંગ સાઇડે આવી રહેલ એક આઇસર ટ્રક આ હાઇવા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હાઇવાનો ચાલક પરવેઝ અખ્તર ઇજાગ્રસ્ત થતાં તેને એમ્બ્યુલન્સમાં અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો. ઇજાગ્રસ્ત ઇસમ પરવેઝને જમણા પગે ફેકચર થયું હોય ત્યારબાદ તેને વધુ સારવાર માટે સુરત ખાતે લઇ જવાયો હતો.

ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટનો ૧૮મો બ્લોક અચાનક ધરાશાયી,૧નું મોત,ર ઘાયલ

ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં વહેલી સવારે જર્જરિત ઇમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો. સ્થાનિકોએ પાલિકા ફાયરબ્રિગેડની મદદથી પરિવારજનોને બહાર કાઢ્યા હતા. જે પૈકી એકનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડીંગ જર્જરિત હોવાનો વિવાદ ગુજરાત હાઉસીંગ બોર્ડ સાથે પણ લાંબા સમયથી ચાલી રહ્યો છે.

ભરૂચ નગરપાલિકા એક સત્તાવાર યાદી જાહેર કરી દર વર્ષે જર્જરિત ઇમારતના માલિકોને પોતાનું મકાન ખાલી કરી ઉતારી લેવા નોટિસો તો આપે છે. પણ આ નોટીસ બાદ પાલિકા પોતાની જવાબદારી પૂર્ણ થવાનો સંતોષ માની લે છે. મકાનમાલિકો પણ તંત્રની કોઈ કડક કાર્યવાહી થતી ન હોવાથી આજની ઘટના જેવા માઠા  પરિણામ સામે આવે છે. આજે વહેલી સવારે બનેલી ઘટના બાદ કાટમાળ હટાવવો ખુબ મુશ્કેલ બની રહ્યો  હતો.

ભરૂચ નગરપાલિકાના કમિટી ચેરમેન અને સ્થાનિક નગર સેવક હેમેન્દ્ર પ્રજાપતિએ રેસ્ક્યુ ઓપરેશન માટે જવાબદારી ઉપાડી હતી. પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને પાલિકાના પક્ષના નેતા રાજશેખરભાઈએ તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી વીજળી ના લટકતા વીજ વાયર દૂર કરી સવાર સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રખાયું હતું. આ ઘટનામાં ટેલરીંગ નું કામ કરી ગુજરાન ચલાવતા આશરે 38 વર્ષીય પંકજ જશવંતભાઈ ચૌહાણનું દબાઇ જવાથી મોત નીપજ્યું હતું. પરંતુ અન્ય પરિવારજનોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.જ્યારે અન્ય બે ઇસમોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

આ મામલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા પાલિકા માત્ર નોટિસ આપી સંતોષ માને તે યોગ્ય ન હોવાનો રોષ લોકોમાં ઉઠ્યો છે. જર્જરિત ઇમારતો બાબતે તંત્ર એક્શન પ્લાન બનાવી નક્કર પગલાં ભરાય તેવી માંગ ઉઠી છે.જાણવા મળવા અનુસાર જર્જરીત નર્મદા એપાર્ટમેન્ટના રહિશોને નોટીસો અપાતા ગુજરાત હાઉસીંગ બોર્ડ સાથે પણ ખાલી કરવા મુદ્દે વિવાદ ઉભો થયો હતો. પરંતુ ૧૫ દિવસ અગાઉ જ ગુ.હા.બોર્ડના અધિકારીઓ સાથે થયેલ એક મીટીંગમાં તમામ નર્મદા એપાર્ટમેન્ટના રહિશો એ ખાલી કરવા સંમત થયા હોવાનું જાણવા મળી રયું છે.

અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48ને અડીને આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં ગત રાત્રીના આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. આ ગોડાઉનમાં વારંવાર લાગતી આગ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. આગની આગ અંકલેશ્વરના ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આ આગની લાગવાની જાણ થતાં જ બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ, GPCBના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

હાંસોટનાં અલવા ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : એક જ પરિવારના 5 ના મોત

ભરૂચ જિલ્લાના હાંસોટના અલવા ગામ નજીક આજરોજ ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અલવા ગામ નજીકથી પસાર થઈ રહેલ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર એક જ પરિવારના 5 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કારમાં ફસાયેલ એક બાળકને હેમખેમ બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. જ્યારે અકસ્માતમાં ચાર મહિલા તેમજ એક પુરુષનું મોત નીપજયું છે. બનાવ અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અકસ્માતગ્રસ્ત કારમાં એક કાર GJ 16 DG 8381 હિરેન્દ્રસિંહની હ્યુન્ડાઇ વેન્યુ હતી. જ્યારે બીજી કાર GJ 6 FQ 7311 ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઇક્રામ ભાઈની માલિકીની વરના હતી.મૃતકોમાં ઈમ્તિયાઝ ભાઈ પટેલ ઉ. વ. 62, તેમના પત્ની સલમા બેન પટેલ ઉ .વ. 55, ઈમ્તિયાઝ ભાઈ ની દીકરી મારિયા દિલાવર પટેલ ઉ. વ. 25, તેઓની બીજી દિકરી અફિફા સફવાન ઈલ્યાસ અફીણી ઉ.વ. 25 અને કાર  માલિક ભરૂચના વેપારી  ઇકરામભાઈની પત્ની જમિલા પટેલ ઉ .વ. 48 નો સમાવેશ થાય છે જ્યારે એક નાના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.તો વેન્યુ કારમાં સવાર લોકોનો પણ આબાદ બચાવ થયોની માહિતી હાલ સુધી સાપડી રહી છે.

બન્ને કાર વળાંક પર સામ સામે ધડાકાભેર અથડાતા 2022 ની નવી વેન્યુ કારમાં એરબેગ ખુલી જતા અંદર સવાર લોકોના જીવ બચી ગયા હતા. જ્યારે વરના 2013 નું મોડલ હોય તેનો આગળનો અડધો ભાગ કૂચડો બોલી ગયો હતો. સ્થાનિકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ ભેગા થઈ રાહત બચાવ સાથે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પોહચાડવા સહિત ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.

 

ભરૂચના દહેગામથી શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે ૧ ઝડપાયો

ભરૂચ જીલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં મિલકત સબંધી તથા વાહન ચોરીઓના ગુનાઓ બનતા અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચનાઓ આપી હતી.

જેથી મિલકત સબંધી તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા, ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી, પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

જે અનુસંધાને પો.સ.ઈ. વાળાની ટીમને, બાતમી મળેલ કે, દહેગામ, પાતાળકુવા ફળીયામાં રહેતો મોહસીન ઉમરજી પોપટ નાનો ચોરીનું ડીઝલ લાવી વેચાણ કરે છે. જે મુજબની ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. ટીમ દ્વારા દહેગામ પાતાળ કુવા ફળીયામાં બાતમીવાળી જગ્યાએ ઝડતી તપાસ કરતા શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે મોહસીન ઉમરજી પોપટ ઉ.વ. ૩૪ ધંધો, ખેતી રહેવાસી, દહેગામ પાતાળ કુવા ફળીયુ, તા.જી. ભરૂચ ઝડપાયો હતો.

ભરૂચએલ.સી.બી ટીમે ડીઝલનો જથ્થો રાખવા અંગે પાસપરમીટ, બીલો અંગે પુછતાછ કરતા મોહસીને આ અંગે ઉડાઉ જવાબ આપી કોઈ સંતોષકારક હકીકત નહિ જણાવી આધાર પુરાવા રજુ નહિ કરતાં પોલીસે તેની વિરુધ્ધ ક્રિમીનલ પ્રોસીજર કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી અટકાયત કરી ડીઝલ ભરેલ નાના-મોટા કેરબા નંગ-૧૨ માં આશરે ૪૧૫ લીટર જેની કિંમત રૂપિયા ૩૮,૧૮૦/-, તેમજ તેની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ- ૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦/- મળી કુલ કિમત રૂપિયા- ૪૩,૧૮૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.

અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સ્કોર્ડ ભરૂચ

જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સીધી સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર એન.એસ.વસાવા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સ્કોર્ડ ભરૂચની સુચના મુજબ AHTU ના પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી અપહરણ તથા પોક્સો એક્ટના ગુનાના નાસતા ફરતા આરોપીઓ શોધવા સુચના આપી હતી.

દરમિયાન AHTU પોલીસ ટીમને અંગત બાતમીદારથી બાતમી મેળવી હતી કે આમોદ પોલીસ મથકના પાર્ટ- એ ઇ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬, તથા પોકસો એક્ટ કલમ ૧૨ મુજબના ગુનાના કામનો આરોપી તથા ભોગબનનાર આમોદ તાલુકાના સરભાણ ગામમાં આવવાના છે.

જેથી AHTU ટીમે સરભાણ ગામ ખાતે વોચમાં રહી આરોપી તેમજ ભોગબનનારને સરભાણ ચોકડો ખાતેથી તેના નામ ઠામની ખાતરી કરી આ ગુનાના છેલ્લા ૨૧ માસથી નાસતા ફરતા આરોપીને ભોગબનનાર બાલીકા સાથે શોધી લાવી હાલ હસ્તગત કરી આગળની વધુ તપાસ સી.પી.આઈ. જંબુસરને સોપવામાં આવી છે.

error: Content is protected !!