The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 208

ભરૂચ ખાતે બે દિવસીય આંતરરાજ્ય કુસ્તી ટુર્નામેન્ટ નું થયું આયોજન

ભરૂચ નજીક આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે દ્વિદિવસીય કુસ્તીની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બે દિવસની આ કુસ્તી ટુર્નામેન્ટ માં 25 કરતા વધુ કોલેજના વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

કુસ્તીએ આમ જનતાની ઉત્તમ પ્રકારની બુનિયાદી લોકરમત એટલે કુસ્તી જે એક દ્વંદ્વ રમત પણ છે અને તેમાં વ્યક્તિની તાકાત, કૌશલ્ય, ચપળતા અને દમ,ખમ ની કસોટી થાય છે. કુસ્તી વિવિધ દેશોમાં લોકસંસ્કૃતિ-આધારિત શૈલી આધારિત કુસ્તી તે શોખથી રમાય છે.

પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં મલ્લયુદ્ધ પ્રચલિત હતું આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે એટલે જ ભારતભરમાં વિવિધ ગામોમાં કુસ્તી સ્પર્ધાનું પણ આયોજન કરાતું હોય જેના ભાગરૂપે આજરોજ ભરૂચ ના તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરત સાથે સંયોજિત દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે બે દિવસીય આંતરરાજ્ય કુસ્તી ટુર્નામેન્ટ નું આયોજન કરાયુ હતું જેમાં કુસ્તી ટુર્નામેન્ટમાં ૨૫ થી વધુ વિવિધ કોલેજોના ૭૦ થી ૮૦ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધા માં ભાગ લઈ પોતાનો કૌશલ બતાવ્યું હતું.

આ પ્રસંગે તપોવન સંસ્કાર કેન્દ્ર ના પ્રમુખ દિનેશ પડ્યા,બીજેપી રમત ગમત સેલના મંત્રી પ્રશાંત પટેલ,વિવિધ કોલેજો ના ટીમ ના કોચ ,મેનેજરો સહિત કોલેજ દિપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સના ફીઝીકલ ઇન્સ્ટ્રકટર કરસન નિઝામા સહિતના લોકો ઉપસ્થિત રહી કુસ્તીબાજ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.

અંકલેશ્વર : GIDCમાં કંપનીની ટાંકીમાં ડૂબી જતાં ૧ કામદારનું મોત

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એક ફૂડ પ્રોડક્ટ કંપનીમાં જ કામ કરી રહેતા એક કામદારનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વર જીઆઇડીસી માં પ્લોટ નંબર 177 માં આવેલ જય ભવાની ફૂડ પ્રોડક્ટ કંપની માં કામ કરતો મૂળ રાજસ્થાન નો અને હાલ કંપની માં રહેતો 19 વર્ષીય જેઠારામ દોલા રામ દેવાસી કંપની ના બિલ્ડીંગ ઉપર આવેલ પાણીની ટાંકીમાં વહેલી પરોઢે ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો.

રાત્રી ના 12 વાગ્યા બાદ ડૂબી ગયેલા કામદાર અંગે સવારે 8.15 વાગ્યાના નજરે ના પડતા જાણ થઇ હતી.કંપની કામદારો દ્વારા આ આગને કંપની સંચાલક તેમજ મૃતક ના સંબંધી ને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અન્ય કામદારો ની મદદ થી જેઠારામ દેવાસીના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

ભરૂચ: ચૂંટણી પહેલા જ ચાર ટર્મથી બિનહરિફ થતાં બંબુસરના સરપંચે ફાની દુનિયાને કહ્યું અલવિદા

હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી તેના આખરી પડાવમાં છે.ત્યારે પ્રચારના પડઘમ શાંત થાય એ પહેલા જ ભરૂચ તાલુકાના બંબુસર ગામ શોકમગ્ન બની હિબકે ચઢ્યું છે.

આ ગામમાં 20 વર્ષ પહેલા ચૂંટણી જંગ ખેલાયો હતો. પણ હાલ ચૂંટણી માટે મતદાન થાય એ પહેલા જ બે દાયકાથી બિનહરીફ રહેતા સરપંચના ઉમેદવારનું હાર્ટ એટેકથી અચાનક મોત નિપજતા બંબુસર ગામમાં ગમગીની ફેલાવા પામી છે. .

ભરૂચ તાલુકામાં 1200 લોકોની વસ્તી ધરાવતા ગામ બંબુસર ખાતે છેલ્લા 20 વર્ષથી કોઇ ચૂંટણી યોજાઈ નથી.કારણ કે બંબુસરના ગામ લોકો છેલ્લી ચાર ટર્મથી ઉસ્માનભાઈ ઈસપભાઈ પટેલને જ બિનહરીફ તરીકે ચૂંટતા હતાં અને તેઓ દ્વારા પણ ગામમાં એન્ટરન્સ ગેઇટ હોયા કે હોય પેવરાબ્લોક નાંખવાના કે રોડ રસ્તા ગટર સહિતની અનેક સુવિધાઓના વિકાસના કામો તેમણે તેમની 20 વર્ષની સરપંચની કારકિર્દી દરમિયાન કર્યા હતા.

પરંતુ આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અલગ જ સમીકરણો હતાં.બંબુસર ગામે 20 વર્ષ પછી ફરી ચૂંટણીનું વાતાવરણ ઉભુ થયુ હતું.જેમાં સરપંચના ઉમેદવાર તરીકે ઉસ્માનભાઈની સામે સઈદ સુલેમાન વલી પટેલે ઉમેદવારી નોંધાવી હતી.

વિકાસશીલ પેનલમાંથી ઉમેદવારી કરનાર ઉસ્માનભાઈ આજે જુમ્માની નમાઝ અદા કરવા મસ્જીદમાં ગયા હતા. નમાઝ પઢતી વખતે જ તેમને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ હતું.મતદાન થાય તે પહેલાં જ સરપંચ પદના ઉમેદવાર ઉસ્માનભાઈએ ફાનિ દુનિયાને અલવિદા કહેતા આખુ ગામ ઘેરા શોકમાં ડૂબ્યું છે.

હાંસોટ: રિટાયર્ડ DYSPએ પ્રાથમિક શાળાના બાળકોને ભેટ આપી ઉજવ્યો પૌત્રીનો જન્મદિન

સુરતના રહેવાસી રિટાયર્ડ ડી.વાય.એસ.પી જે.એમ.પટેલે પૌત્રીમાં સંસ્કારનું સિંચન થાય અને તે પણ તેમની જેમ સમાજ સેવા થકી નામ ઉજગર કરે એ ઉમદા હેતુસર ડી.વાય. એસ.પી. જે.એમ.પટેલ તેમના ધર્મપત્નિ, અને દીકરા ડૉ. ધવલ પટેલ તેમજ દિશા પટેલની લાડકવાયી દીકરી શ્રીવા પટેલના જન્મદિવસના દિને હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને વોટરબેગ અને ચોકલેટની ભેટ આપી એક ઉમદા સમાજસેવા કરી બાળકોનાં ચેહરા પર સ્મિત પ્રસરાવ્યું હતું.

આ પ્રસંગે સાહોલ શાળાના આચાર્ય પારસબેન પટેલ, શિક્ષકગણ નિલેશકુમાર સોલંકી, તેજસકુમાર પટેલ,નિતેશકુમાર ટંડેલ, ઈલાવ ગામના તલાટી નિકુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં અને સમાજસેવા કરનાર પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભરૂચ: પહેલી વખત વકીલ મંડળની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારો સંભળાશે સુકાન

•કોંગ્રેસના સહકાર પેનલના પદ્યુમ્ન સિંધા અને ભાજપના કોરોના યોદ્ધા પેનલના અજબખાન સિપાઈ બન્નેવને મળ્યા 271 મત જ્યારે 13 વોટ રદ્દ થયા હતા

ભરૂચ કોર્ટમાં જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના 2 પ્રમુખ પદના ઉમેદવારોને સરખા સરખા 271 મત મળતા ટાઈ પડી હતી. બન્નેવ વકીલ ઉમેદવારોએ ચિઠ્ઠી ઉછાળવાની ના પાડી એક વર્ષ સાથે રહી જિલ્લા બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે સુકાન સંભાળવા સહમતી દર્શાવી હતી.

ભરૂચ જિલ્લા બાર એસોસિયેશનની વર્ષ 2021-22 ની ચૂંટણી શુક્રવારે બાર રૂમમાં યોજાઈ હતી. પ્રમુખ પદ માટે ગત ટર્મના પ્રમુખ અને કોંગ્રેસી પદ્યુમ્નસિંહ સિંધા અને ભાજપના અજબ સિપાઈ તેમની પેનલો સાથે ચૂંટણી જંગમાં ઉતર્યા હતા.મતદાન માં બપોરે 3 વાગ્યા સુધી કુલ 689 વકીલો પૈકી 573 એ મતદાન કરતા 83 ટકા જેટલું ઊંચું અને જંગી મતદાન નોંધાયું હતું. જે બાદ સાંજે 4.30 વાગ્યા પછી મતદાન પૂર્ણ થતાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. દર વખતે ભરૂચ જિલ્લા બાર એસોસિયેશનની ચૂંટણીમાં પહેલા પ્રમુખના મતોની ગણતરી કરાતી હતી.

જોકે આ વખતે વકીલ મંડળના સભ્યો પછી સેક્રેટરી બાદમાં ટ્રેઝરર, પછી ઉપ પ્રમુખ અને અંતે પ્રમુખ ઉમેદવારોને મળેલા વોટનું કાઉન્ટીગ શરૂ કરાયું હતું.પ્રમુખ પદ માટે ગત ટર્મના પ્રમુખ પદ્યુમ્નસિંહ સિંધા સહકાર પેનલ અને અજબખાન સિપાઈ કોરોના યોદ્ધા પેનલ સાથે ચૂંટણીમાં ઝપલાવતાં શરૂઆતથી જ રસાકસી જોવા મળી હતી.જ્યારે ઉપપ્રમુખ માટે 4 ઉમેદવારો, સેક્રેટરીની 2 જગ્યા માટે પણ 4 વકીલો અને ટ્રેઝર માટે 2 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝપલાવ્યું હતું. જ્યારે 11 સભ્યો માટે 21 વકીલોએ દાવેદારી નોંધાવી હતી. મતદાન પૂર્ણ થયા બાદ મોડી સાંજે મતગણતરી બાદ પરિણામો જાહેર કરાયા હતા.

ભરૂચનું નવું જિલ્લા ન્યાયાલય 2002થી નિર્માણ પામ્યું છે. છેલ્લા 20 વર્ષ કે ત્યાર અગાઉમાં વકીલ મંડળની ચૂંટણીમાં ક્યારેય ન બનેલી ઘટના આજે બનતા ઇતિહાસ સર્જાયો હતો. બન્ને પ્રમુખ પદના ઉમેદવારોના મતોની ગણતરીમાં 13 મત રદ થયા હતા. જ્યારે બન્નેને સરખા સરખા 271 મત મળતા પ્રમુખ માટે ટાઈ પડી હતી. જેના માટે નિયમ મુજબ ચિઠ્ઠી ઉછાળી વિજેતા પ્રમુખ જાહેર કરવાના હતા.

જોકે કોંગ્રેસના પદ્યુમ્ન સિંહ સિંધા અને ભાજપના અજબખાન સિપાઈએ ખેલદિલી બતાવી હતી. તેઓએ ચિઠ્ઠી ઉછાળવાની ના પાડતા જ ઇતિહાસ સર્જી દીધો હતો. બન્ને પ્રમુખોએ સહમતી દાખવી એક વર્ષની ટર્મ માટે એકબીજાના સહકારથી પ્રમુખ પદ સંભાળવાનું નક્કી કર્યું હતું. ત્યારે ભરૂચ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ તરીકે ભાજપ અને કોંગ્રેસ બન્ને સત્તારૂઢ થયા હોવાની પેહલી ઘટના આજે બની છે.

બીજી તરફ ઉપપ્રમુખ તરીકે 290 વોટ સાથે ભરતસિંહ ચાવડા, સેક્રેટરી તરીકે દિનેશ પટેલ જોઈન્ટ સેક્રેટરી તરીકે હિમાંશ પટેલ વિજયી થયા હતા. પદ્યુમ્નસિંહ સિંધની સહકાર પેનલના મોટા ભાગના વકીલ સભ્યોનો ચૂંટણીમાં વિજય થયો હતો.

વાલિયા : વાગલખોડ ગામે ચુંટણીની અદાવતે કરાઇ છેડતી અને ચલાવાઇ લૂંટ

• વાગલખોડ ગામનાજ 30 થી 35 નું ટોળાએ ધસી આવી ઘર પર પથ્થરમારો કરી બે બાઈક તોડી નાખી.

• 31 આરોપીઓએ 47 હજારની લૂંટ અને તોડફોડ અને બેને ઇજાઓ કરી હતી.

વાલિયા તાલુકાના વાગલખોડ ગામના વોર્ડ નંબર 1 ના ઉમેદવાર મતદાન સ્લિપો વેચવા ગયેલા ત્યાંથી પરત ઘરે ફરતા તે અરસામા ગામના અન્ય માથાભારે 30 થી 35 લોકોએ આવી ગાળા ગાળી કરી ઘર ઉપર પથ્થરમારો કરી ધારીયાથી બાઈક ઉપર તોડફોડ કરી ઉમેદવાર અને તેના પરિવાર ઉપર લાકડીના સપાટા મારી હુમલો કરી મહિલાઓની છેડતી કરી સોનાની ચેઇન અને ઘરની તીજોરીમાંથી રોકડા રૂપિયાની લૂંટ કરી મારી નાખવાની ધમકીઓ આપી ભયનું વાતાવરણ ઉભું કરી દીધું હતું.

આ બનાવની વાલિયા પોલીસને જાણ થતાં લૂંટારુઓ નાસી છૂટ્યા હતા.હાલ પોલીસે લૂંટ ,છેડતી ,મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાના ગુના હેઠળ 31 વિરૂધ્ધ નામજોગ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફરિયાદી સુરેખાબેન ચુનિલાલ વસાવા ઉ.વ. ૨૧ રહે- વાગલખોડ બસસ્ટેન્ડ ફળીયાની ફરિયાદના આધારે રાત્રીના આઠ વાગ્યે મારક હથિયારો લઈ નિલેશ ઉમેદ વસાવાએ તેની સાથે આવેલા તેના સાગરીતોને સુનિલ ચુનિલાલ વસાવાને માર મારવા કહેતા ઘરમાં હુમલો કરવાના ઈરાદે પ્રવેશ કરી સુનિલને રાજેન્દ્ર રણજીતએ લાકડાનો સપાટો જમણા હાથમા મારી ઈજા કરી સાથેના રાકેશ રમેશ, રોહિત રણજીત, રોહિત મહેન્દ્ર, તેજશ જગદીશએ ઝપાઝપી ગાળાગાળી કરી સુરેખાબેન અને મંગીબેન ચુનિલાલ વસાવાની આબરૂ લેવા છેડતી કરી ઘરમાં રાખેલ પતરાના શો-કેશની તોડફોડ કરી અંદર મુકેલ સોનાની ચેઈન અડધા તોલાની-૧ જેની કિંમત 30 હજાર અને રોકડા 17 હજાર મળી કુલ 47 હજારની લૂંટ કરી અન્યોએ ઘરની આગળ મુકેલી સુનિલની પલ્સર મોટર સાયકલ GJ 16 CA 6859 તથા સુરેખા અને જ્યોતિષ વસાવા ઘરના પતરાની તોડફોડ કરી નુકશાન કરી પીયુષ રવજી વસાવાની મોટર સાયકલને ઘરના પતરાની તોડફોડ કરી નુકશાન કર્યું હતું.

પોલીસે આ ઘટનામાં (૧) નિલેશ ઉમેદ વસાવા (૨) સુનિલ અરવિંદ વસાવા (૩) અરવિંદ દિવાસીયા વસાવા (૪) રાજેન્દ્ર રણજીત વસાવા (૫) મથુર માનીયા વસાવા (૬) રોહિત રણજીત વસાવા (૭) નિતીન કાલીદાશ વસાવા (૮) અમિત રમેશ વસાવા (૯) સતિષ પ્રતાપ વસાવા (૧૦) પ્રકાશ ગોકુળ વસાવા (૧૧) વિજય ગોકુળ વસાવા (૧૨) જશવંત અર્જુન વસાવા (૧૩) તેજશ જગદીશ વસાવા (૧૪) કમલેશ ભયો (૧૫) હરિલાલ મધુભાઇ વસાવા (૧૬) સંજયભાઇ રવિયાભાઇ વસાવા (૧૭) સતિષભાઇ બરશનભાઇ વસાવા (૧૮) વસંત (૧૯) જયેન્દ્રભાઇ શનાભાઇ વસાવા (૨૦) રોહિતભાઇ મહેન્દ્રભાઇ વસાવા (૨૧) પિંકેશભાઇ મહેન્દ્રભાઇ વસાવા (૨૨) રાકેશભાઇ રમેશભાઇ વસાવા (૨૩) અમિતભાઇ રમેશભાઇ વસાવા (૨૪) મુકેશભાઇ શુકલાલ વસાવા (૨૫) રતીલાલ બાબુભાઇ વસાવા (૨૬) નિતેશભાઇ ભયજીભાઇ વસાવા (૨૭) કિરીટભાઇ બકુલભાઇ વસાવા (૨૮) સમીરભાઇ મનાભાઇ વસાવા (૨૯) હરેન્દ્ર ભયો જેના બાપનું નામ ખબર નથી (૩૦) સરમુખ રહેવાસી- માલજીપરા (૩૧) મહેન્દ્રભાઇ રેવલાભાઇ વસાવા તમામ રહેવાસી- વાગલખોડ નાઓ ઉપર IPC કલમ- ૩૯૫, ૪૫૨, ૩૫૪, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨) તથા GPAct કલમ- ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

આ સમગ્ર મામલે ભોગબનનાર સુરેખા વસાવાએ જણાવ્યું કે 1 લા વોર્ડમાં મતદારની સ્લીપ વેચવા ગયા હતા ત્યાંથી સ્લીપ વેંચી ઘરે પરત આવતા તરત જ 30 થી 35 નું ટોળું ધારિયા, ભાલા અને લાકડીના સપાટા લઈ દોડી આવ્યા હતા. અમારા પરિવારના સભ્યોને ગાળાગાળી કરતા ઘર ઉપર પથ્થરમારો કરી ગાડી ઉપર ધારીયા મારી નુકસાન કરી અને અમારી બહેન દીકરીઓની ઈજ્જત લુંટવાના પ્રયાસ કરતા ખેંચતાણ કરી ધકામારી પાડી દીધી હતી હાહાકાર મચાવી દીધો હતો.

તો ઘટના પર પ્રકાશ પાડતા એસ .કે.ગામીત પીઆઈ વાલિયાએ જણાવ્યું કે, વાલીયા તાલુકાના વાગલખોડ ગામે રાત્રે ચૂંટણી બાબતે મારામારી થઈ હતી જેમાં કુલ ૩૧ આરોપીઓ છે આરોપીઓએ ૪૭ હજારની સોનાની ચેન અને રોકડાની લૂંટ કરી હતી બે મોટર સાયકલ બે ઘરને તોડફોડ કરી અને મહિલાઓની છેડતી કરી લૂંટ અને ધાડની ફરિયાદ થયેલ છે. આ ફરિયાદની સામે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી.

•અતુલ પટેલ,ન્યુઝલાઇન, વાલિયા

વાગરા તાલુકામાં માત્ર 11 જ ગામોને નુકશાનીનું વળતર નક્કી થતા ખેડૂતોમાં આક્રોશ

વાગરા તાલુકામાં રાજ્ય સરકાર દ્ધારા એસ.ડી.આર.એફ. ની જોગવાઈ મુજબ માત્ર ૧૧ ગામોને પાક નુકશાની વળતર ચૂકવવાનું નક્કી થતા ખેડૂત આલમ માં રોષ વ્યાપી જવા પામ્યો હતો.વાગરા મામલતદાર ને આવેદનપત્ર પાઠવી અન્ય ગામોને વળતર મળે એ માટે રજુઆત કરવામાં આવી હતી.

વાગરા તાલુકામાં ઔધીયોગિક પ્રદુષણ ને કારણે ખેડૂતો ને ભારે નુકશાન થયા ના સમાચારો પ્રકાશિત થતા તંત્ર હરકત માં આવ્યુ હતુ. તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના પ્રદુષણ થી અસરગ્રસ્ત તાલુકાઓનું સર્વે કરવામાં આવ્યુ હતું જેનું કોઈજ વળતર ખેડૂતો ને આજદિન સુધી મળ્યુ નથી. ત્યાતો કુદરત ના પ્રકોપના પગલે વાગરા તાલુકામાં ભારે વરસાદ થતા ખેડૂતો ની દશા બેસી ગઈ હતી.ખેતી ના પાક ને મબલખ નુકશાન થી જગત તાત વિચલિત થઈ ગયો હતો.

ગુજરાત માં રાજ્ય સરકારે અતિવૃષ્ટિ ને ધ્યાને રાખી રાજ્યભરમાં નુકશાની માટે ગામો નકકી કરવામાં આવ્યા હતા.જેમાં વાગરા તાલુકા ના માત્ર ૧૧ ગામો નો સમાવેશ થતા ખેડૂતો માં ભારે રોષ વ્યાપી ગયો હતો. ૧૫ થી વધુ ગામના ખેડૂતો તાલુકા ના અસરગ્રસ્ત અન્ય ગામોને વળતર આપવામાં આવે તે માટે ભારતીય કિસાન સંઘ ના નેજા હેઠળ વાગરા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યુ હતું.

જો અન્ય અસરગ્રસ્ત ગામોનો વળતર મામલે રાજ્ય સરકાર સમાવેશ નહિ કરે તો અંતે ના છુટકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એમ ભારતીય કિસાન સંઘ ના જિલ્લા પ્રમુખ અજીતસિંહ રાજે જણાવ્યુ હતું. આ આવેદન પાઠવવા અનેક ગામના ખેડૂતો જોડાયા હતા.

ભરૂચ: ગડખોલ પાટીયા નજીક એસ.ટીની અડફેટે બાઇક ચાલક સહિત ૨ ઘાયલ

ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર ગડખોલ પાટીયા અને આર.એમ.પી સ્કુલ વચ્ચે આજે સવારે અંકલેશ્વર તરફ જતી બાઇકને પુરઝડપે આવતી એસ.ટી. બસના ચાલકે પાછળથી ટક્કર મારતા બાઇક પર નોકરીએ જતા ૨ ઇસમો ઘાયલ થયા હતા.

આજે સવારે 9.30 ની આસપાસ ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર આર.એમ.પી સ્કૂલ અને ગડખોલ પાટીયા વચ્ચે એક એસ.ટી. બસના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક સવાર અશ્વિન હરિશંકર શ્રીગૌડ ઉ.43 રહે.એકતા નગર મામલતદાર કચેરી પાસે,ભરૂચ અને સંજય દીલીપભાઇ રાણા ઉ.35 રહે. શ્રીરામ નગર,ભરૂચ.ને ગંભીર ઇજાઓ થતા તેમને ખીલખીલાટ એમ્બ્યુલન્સમાં સિવિલ લવાયા હતા.અક્સ્માત સર્જી એસ.ટી. બસ ચાલક બસ લઈ ભાગી છુટ્યો હતો. આ અંગે ભરૂચ સિવિલ હોસ્પીટલમાંથી વર્ધી જતા અંકલેશ્વર શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજપીપળા: ઈનામી ડ્રોની લાલચે ત્રણ છેતરાયા

•અંકલેશ્વર, ભરૂચ અને આણંદના ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

રાજપીપલા ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા પ્રવીણ રતનભાઈ પટેલે ફરિયાદ નોંધાવી કે આણંદ કોહિનૂર સોસાયટી માં રહેતા અબ્દુલ રહીમ ગુલામનબી દીવાન, ભરૂચ વેજલપુર પરસીવાડ માં રહેતા અફઝલ યાકુબ મેમણ અને અંકલેશ્વર સુરતી ભાગોળ રહેતા ઇકોકાર લઈને આવેલ મીનહાજ યુનુસ મન્સૂરી આ તમામ સોસાયટીના લોકોને LED TV આપવા ડ્રો કરવાના બહાને મુલાકાત કરતો અને લોભામણી સ્કીમ બતાવતો એડવાન્સ માં 3000 લઇ જઇ ટેમ્પમાં વસ્તુ લઈને આવું કહી ને રફુચક્કર થઈ ગયા હતા.

જયારે બીજી ઘટનામાં માંગરોળ ગામના મલાસર ફળીયામાં આ ત્રણ ઈસમો પહોચીને એજ પદ્ધતિથી આકર્ષક ઇનામો બતાવી લોભામણી જાહેરાતો બતાવી ઘરઘંટી લેવાનું જણાવતા બેકમાં ભરી બેક પાસેજ ટેમ્પો લઈને ઉભા હોવાનું જણાવી રૂપિયા લઈને ભાગી છુટ્યા હતા.

ત્રીજા બનાવમાં રાજપીપળા જિન કમ્પાઉન્ડ પાસે શિવનગર સોસાયટીમાં રહેતા ભારતીબેન દેવેન્દ્રભાઈ વસાવાની ફરિયાદ મુજબ ત્રણ ઈસમો ઇકો ગાડી લઈ સોસાયટીના નાકે આવ્યા હતા. અને તેમના ઘરે આવી ઈનામી ડ્રો ની લાલચ આપી રૂ.100/- ના ભાવની ટીકીટ ખરીદવા જણાવ્યું અને સ્ક્રેચ કરતા ઇનામ નીકળે તો ઇનામ પેટે 3000 ચૂકવી લેવા જણાવ્યું હતું.

નેત્રંગ ખાતે સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું

આગામી ગ્રામપંચાયત વર્ષ ૨૦૨૧-૨૨ની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર શ્રી નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ. એમ.ભક્ત હાઇસ્કૂલ દ્વારા ૧૬મી ના રોજ SVEEP- મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીને નેત્રંગ તાલુકા મામલતદાર જી.આર.હરદાસાણી દ્વારા લીલીઝંડી બતાવી ગામમાં પ્રસ્થાન કરાવવામાં આવી હતી. રેલીમાં નેત્રંગ તાલુકા પી.એસ.આઇ. એન.જી.પાંચાણી, શાળાના આચાર્ય પી.વી.ગોહેલ તેમનો શાળા પરિવાર તેમજ શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. મતદાન અંગે જનજાગૃતિ કેળવવાના હેતુસર રેલીમાં નેત્રંગ ગામના વિવિધ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. રેલી દરમ્યાન વિધાર્થીઓએ “મારી તાકાત મારો મત્ત”, “લોકશાહી આપણાથી, વોટ કરો ગર્વ થી”, “જન – જન કી હે પુકાર વોટ ડાલો અબ કી બાર” જેવા સૂત્રોચ્ચાર દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પોતાના મત અને મહત્વ સમજાવવા શાળાના કુલ 1055 વિધાર્થીઓ દ્વારા યથાર્થ પ્રયત્ન કર્યો હતો. શાળાના આચાર્ય પી વી ગોહેલના માર્ગદર્શન હેઠળ SVEEP- મતદાન જાગૃતિ રેલીનું સફળ સંચાલન કરવા માટે શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

•અતુલ પટેલ,ન્યુઝલાઇન,નેત્રંગ

error: Content is protected !!