ભરૂચ શહેરમાં કોરોના મહામારી વચ્ચે માસ્ક અને સેનેટાઇઝર સહિત કોરોનાની ગાઈડ લાઇનનો ભંગ કરનાર વેપારી સામે નગર પાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરી પગલાં લેવાશે

હાલ કોરોનાની ત્રીજી લહેરને પગલે દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે જીલ્લામાં ગતરોજ નવા કોરોના પોઝિટિવના 50 કેસ નોંધાયા છે ત્યારે ભરુચ નગર પાલિકા પણ કોરોનાની ગાઈડ લાઇનનું ઉલ્લંઘન કરતાં વેપારી સામે હરકતમાં આવી ગયું છે અને મોલ,દુકાન હોટલ અને વિવિધ સંસ્થાઓના સંચાલકો માસ્ક ,સેનેટાઇઝર તેમજ કોરોનાની ગાઈડ લાઇનનું પાલન નહીં કરતાં દેખાય તો તેઓ સામે પગલાં ભરવા ઝુંબેસ હાથ ધરશે.અને કોરોનાની ગાઈડ લાઇનનો ભંગ કરનાર વેપારી સામે દંડનીય કાર્યવાહી હાથ ધરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here