The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 188

ઝઘડીયા : કપલસાડી પાટિયા નજીક ધોરીમાર્ગનું કામ કરતા કોન્ટ્રાક્ટરના જ સામાનની થઈ ચોરી

  • કુલ રૂ.૬૦,૦૦૦ જેટલી કિંમતનું મટિરીયલ ચોરાયું

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કપલસાડી પાટીયા નજીક ધોરીમાર્ગનું કામ કરતા કોન્ટ્રાક્ટરના સામાનની ચોરી થઇ હોવાની ઘટના બનવા પામી છે. મળતી વિગતો મુજબ ઉંઝા તાલુકાના કામલી ગામના  મનોજકુમાર ડાયાભાઈ બારોટ અન્ય કોન્ટ્રાક્ટરો પાસેથી  પેટા કોન્ટ્રાક્ટ લઇને કામ કરાવે છે.  હાલમાં અંકલેશ્વરથી રાજપીપલાના સ્ટેચ્યુ ઓફ યુનિટી  ધોરીમાર્ગ પર કપલસાડી પાટીયા નજીક કલવટ (નાળુ) બનાવવાની કામગીરી તેઓ કરે છે.

મનોજ બારોટના કોન્ટ્રાક્ટમાં  કામ કરતાં માણસો સાઇટ પર જ પડાવ નાખીને  રહેતા હોય છે. દરમિયાન ગત રવિવારે મજૂરોની રજા હોવાથી કામ બંધ હતું. સોમવાર  સવારે મનોજ બારોટનો  સિકંદર નામનો માણસ  સ્થળ ઉપર ગયો  ત્યારે ત્યાંથી કેટલાક સામાનની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. તપાસ કરતા નાનીમોટી પ્લેટ કુલ નંગ ૨૧, લોખંડની પાઇપના યુ-જૈક નંગ ૧૦, ટાઇરોડ ચકનટ સાથે નંગ ૧૫ તેમજ રનર પાઇપ નંગ ૧૦ ચોરાયા હોવાનું જણાયું  હતું.

આ ચોરાયેલ  સામાનની અંદાજિત કિંમત રૂપિયા ૬૦,૦૦૦ જેટલી થતી હતી. કોઈ અજાણ્યા તસ્કરો હાથફેરો કરી ગયા હોવાની ખાતરી થતા કોન્ટ્રાક્ટર  મનોજકુમાર ડાયાભાઈ બારોટે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ  લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

વિજ સમસ્યા દુર કરાતા ઝઘડીયાના રાજપારડી વીજ કચેરીના નાયબ ઇજનેરનું કરાયું સન્માન

  • નવા વીજ ટ્રાન્સફોર્મર વીજ રેષાઓનુ વિસ્તૃતીકરણ કરાતા સન્માનિત કરાયા

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ડી.જી.વી.સી.એલ.ની કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર ડેવીડ વસાવાનુ સ્થાનિક ગામલોકો તેમજ ખેડૂતો દ્વારા સન્માન કરાયું હતુ નાયબ ઇજનેર દ્વારા ખેતી વિષયક તેમજ ઘરૈલુ વપરાશ માટે વિજ પ્રવાહ રાબેતા મુજબ મળે તે માટે કરેલ વિવિધ કામગીરી બાબતે તેઓને સન્માનિત કરાયા હતા.

રાજપારડીના ખેડૂત કુંતેસભાઇ પટેલના જણાવ્યા મુજબ ડી.જી.વી.સી.એલ.રાજપારડી કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર ડેવીડ વસાવા તેમજ તેઓની ટીમ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં સ્થળ નિરિક્ષણ કરી લો વોલ્ટેજ,વારંવાર ફોલ્ટ સર્જાવા,વિજળીનો પ્રવાહ ખોરવાય તેવા પ્રશ્નો બાબતે લોકોની રજુઆત સાંભળી તાકીદે નવા વિજ ટ્રાન્સફોર્મર ગોઠવી નવા વિજ વાયરો નાંખી સ્થાનિક લોકોની સમસ્યા દુર કરી હતી તદઉપરાંત નવનિર્મિત વણાકપોર સબ સ્ટેશનમાંથી જયોતિગ્રામ તથા ખેતીવાડી વિજલાઇનો અલગ કરી હતી જેનાથી ખેડૂત વર્ગને વિજ પ્રવાહ નિયમો મુજબ મળતો થયોછે નગરમાં વિવિધ સ્થળોએ નવા વિજ ટ્રાન્સફોર્મર તેમજ નવી વીજલાઇનો નંખાતા નગરજનોને પણ રાબેતા મુજબ વિજ પુરવઠો મળી રહ્યોછે.આ બાબતે નાયબ ઇજનેર ડેવીડ વસાવાએ જણાવ્યું હતુ કે તમામ લોકોની સમસ્યા દુર કરવી એ મારી ફરજમાં આવેછે લોકોને વિજ પ્રવાહ બાબતે કોઇપણ પ્રકારે મુશ્કેલીઓ હોઇતો ડી.જી.વી.સી.એલ.રાજપારડી કચેરીનો સંપર્ક કરવા જણાવ્યુ હતુ હજુ આગળના દિવસોમાં વિવિધ પ્રકારના સુધારા વધારા લોકોને પડતી મુશ્કેલીઓનુ નિરાકરણ કરવા ઘટતું કરાશે તેમ જણાવ્યુ હતુંં.

* ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

ભરૂચ : બી.પી.એલ કાર્ડ ધારકોને અનાજ ન મળતા જયભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા કરાઇ મામલતદારને રજૂઆત

ભરૂચ જીલ્લામાં બી.પી.એલ કાર્ડ ધારકોને સસ્તું અનાજ ન મળતા આજે જયભારત રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદાર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

આ લેખિતપત્રમાં જણાવ્યા અનુસાર કોરોના કાળમાં સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરી વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ કેટલાક સસ્તી અનાજના દુકાનદારો દ્વારા બી.પી.એલ કાર્ડ ધારકોને અનાજ ન આપી સક્ષમ લોકોને આ અનાજ આપતા હોય અને જરૂરિયાતમંદ પરિવારો સસ્તા અનાજથી વંચિત રહી જતાં હોય આ બાબત જયભારત રિક્ષા એસોસિએશનના ધ્યાને આવતા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. બી.પી.એલ કાર્ડ ધારકો સસ્તા અનાજથી વંચિત ન રહે તે માટે મામલતદારને અપીલ કરી હતી. આ પ્રસંગે જયભારત રિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાજ પટેલ, ઉપપ્રમુખ મિર્જા આબિદ બેગ, મંત્રી અતુલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ: પાલેજમાંથી રીક્ષામાં રૂ. 3 લાખનો ગાંજો લઈ જતા બે ઝડપાયા, ૧ ફરાર

  • જહાંગીર પાર્ક ખાતે અમદાવાદ પાર્સિંગની ઓટો રીક્ષાને આંતરતા ૩૦ કિલો ગાંજો મળી આવ્યો

ભરૂચ તાલુકાના હાઇવે ઉપર આવેલા પાલેજમાંથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે અમદાવાદ પાર્સિંગની રીક્ષામાં માદક પદાર્થ ગાંજાનો વિપુલ જથ્થો લઈ જતા બે નશાના સોદાગરોને પકડી પાડ્યા હતા. બે આરોપીની 30 કિલો ગાંજો કિંમત રૂ. 3 લાખ, બે મોબાઈલ, રીક્ષા સાથે ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરાઈ છે.

ભરૂચ SOGએ પાલેજમાંથી નશાયુકત માદક પદાર્થ ગાંજાનો વિપુલ જથ્થો 30 કિલોગ્રામથી વધારે કિંમત રૂ. 3.06 લાખ સાથે બે યુવાનોને ઝડપી પાડ્યા છે. ભરૂચ એસ.ઓ.જી. જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે, નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા વોચમાં હતી. SOG PI કે.ડી.મંડોરાઓએ પોતાની ટીમને કાર્યરત કરતા PSI પી.એમ.વાળા, એન.જે.ટાપરીયા એસ.ઓ.જી. ટીમના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇને તેમના બાતમીદારથી મળેલી બાતમી આધારે એસ.ઓ.જી ટીમ દ્વારા હોટલ સીટી પોઇન્ટની બાજુના રોડ ઉપર જહાંગીર પાર્ક સોસાયટી ખાતે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં એક ઑટો રીક્ષા નં. GJ – 01 – TB – 0396માં 2 યુવાનો આવતાં તેમને કોર્ડન કરી રોકી રીક્ષાની ઝડતી લેવાઈ હતી. તેમાં તપાસ કરતા તેમાંથી માદક પદાર્થ ગાંજાનો 30 કીલો 650 ગ્રામ જથ્થો જેની કિંમત રૂ. 3.06 લાખ તથા બંન્નેની અંગઝડતીમાં 2 મોબાઇલ, રીક્ષા મળી કુલ રૂ. 4 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

ગાંજા સાથે પકડાયેલા અસીમ ઐયુબ સિંધી અને ભરત શંકર માછીની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે નાવેદખાન નાશીરખાન પઠાણને વોન્ટેડ જાહેર કરાયો હતો. પાલેજ પોલીસ મથકે ગુનો દાખલ કરાવી વધુ તપાસ SOG પી.આઈ. ચલાવી રહ્યા છે.

જંબુસર નગરપાલિકા સામે કોંગ્રેસ દ્વારા કરાયું ઉગ્ર વિરોધ પ્રદર્શન

જંબુસર નગરપાલિકાના સફાઈ કર્મીઓ 13 દિવસથી પ્રતીક ધરણાં અને 16 દિવસથી હડતાલ પર હોઈ નગરમાં કચરા અને ગંદકીના ઢગ જામતા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા વિરોધ પ્રદર્શનના બેનરો સાથે કચેરી ખાતે આવી. જંબુસર કે ગંદુસર ના નારા લગાવી, કચેરીના મુખ્ય દરવાજા અને પ્રમુખની ચેમ્બર પાસે ગંદકી અને કચરો ઠાલવવામાં આવ્યો હતો.

જંબુસર નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર તેમજ કોઈ જવાબદાર કર્મચારી હાજર ન હોય ચીફ ઓફિસરની ચેમ્બર પાસે નારા લગાવી ધરણા યોજવામાં આવ્યા. સાશકપક્ષ અને જવાબદાર અધિકારી તરફથી કોઈ પ્રતિક્રિયાના મળતા કોંગ્રેસ યુવા પ્રમુખ દ્વારા કચેરીના મુખ્ય દરવાજા અને પ્રમુખ તેમજ ચીફ ઓફિસરની ચેમ્બરને “તાળા “લગાવી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

અંકલેશ્વર: કોન્ટ્રાક્ટમાં રાખેલી કાર જ ઓંઇયા કરી ડકાર ના મારતા થઈ ફરીયાદ

વડોદરા ઇસમે ગાડી ભાડે રાખવાનો કરાર કરી ગાડી પરત ના કરી અને ભાડું ના ચૂકવી છેતરપિંડી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટનાની પોલીસ ફરીયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવા પામી છે.જેમાં  લોનના હપ્તા બાકી પડતા ઓ.એલ.એક્સ પર ગાડી વેચવા કાઢતા ઠગ ભગત ભટકાયા હતા. ૩ વર્ષ નો ગાડીનો ભાડા કરાર કરી મહિને ૧૮૦૦૦ રૂપિયા આપવાનું કહી કરાર મુજબ ભાડું અને ગાડી પરત ના અપાતા આખરે અંકલેશ્વર શહેર પોલીસ મથકે બલેરો ગાડી માલિક છેતરપીંડી દ્વારા ફરિયાદ નોંધાવી હતી.

અંકલેશ્વર ના રામ કુંડ ખાતે આવેલ તપસ્વી નગર ખાતે રહેતા કેયુર પરમાર એ ગાડી હપ્તા બાકી રહેતા ગાડી વેચવા માટે ઓ.એલ.એક્સ પર વેચવા માટે મૂકી હતી તે દરમિયાન વડોદરા શ્રીજી ધામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિરલ પટેલ તેમનો સંપર્ક કર્યો હતો. અને ગાડી પ્રાથમિક વેચાણની વાત કર્યા બાદ તેના મિત્ર દિગ્વિરાજસિંહ ચૌહાણ કંપની કોન્ટ્રાક્ટરમાં ગાડી મૂકી આપશે. તેઓ વિશ્વાસ સંપાદન કર્યો હતો અને વડોદરા વાઘોડિયા ખાતે કરાર માટે પણ તેમને બોલાવ્યા હતા.

જે બાદ તેઓ સ્ટેમ્પ ના મળતા પરત આવી ગયા હતા. બીજા દિવસે વિરલ પટેલ અને દિગ્વિરાજસિંહ ચૌહાણ અંકલેશ્વર આવી કરાર કરી ગયા હતા. અને કરાર માં માસિક ૧૮૦૦૦ હજાર રૂપિયા ભાડું નક્કી કર્યું હતું અને ૨ મહિના સુધી રૂપિયા ના આપે તો ગાડી પરત આપવાની નક્કી કરાયું હતું જે મુજબ ઓક્ટોબર ૨૦૨૧ સુધીનું તૂટક તૂટક ભાડું આપ્યા બાદ બંધ કરી દીધું હતું નવેમ્બર સુધી ભાડું ના આપતા કેયુરભાઈ પરમાર એ ફોન કરી ભાડું માંગતા તેને પ્રાથમિક આપવાનું કહી વાયદા બતાવ્યા કર્યા હતાં.

ત્યાર બાદ અંતે ભાડું કે ગાડી પણ પરત ના કરતા અંતે શહેર પોલીસ મથકે કેયુરભાઈ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે વિરલ પટેલ અને દિગ્વિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ આરંભી હતી. અત્રે ઉલેખનીય છે, કે વિરલ પટેલ અને દિગ્વિરાજસિંહ ચૌહાણ અગાવ પણ 3 થી વધુ ઈસમો જોડે આ પ્રમાણે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ પોલીસ થઇ ચુકી છે. ત્યારે બંને ઠગ ભગત ને ઝડપી પાડવાની પોલીસ દ્વારા કવાયત આરંભી છે.

અંકલેશ્વર : નવા દિવા ખાતે નજીવી તકરારમાં બે જૂથ વચ્ચે સર્જાયું હિંસક ઢિંગાણું

અંકલેશ્વરમાં નજીવી તકરારમાં બે જૂથ આમને સામને થતા હિંસક ઢિંગાણું થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં આંબાવાડીમાં લઘુશંકા કરતા યુવકને ઠપકો આપતા મહિલા અને તેમના સસરા પર હુમલો હતો. હુમલાખોરે મહિલા માથામાં ઈંટ મારી તો તેણીના સસરાને સળિયા વડે માર મારતાં ઇજા પહોંચી હતી. અંકલેશ્વર આંબાવાડી ખાતે બનેલી ઘટના બને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી.

અંકલેશ્વરના નવા દિવા ગામ ખાતે રહેતા પુષ્પા વસાવા ઘરના પાછળ કચરો નાખવા ગયા હતા દરમ્યાન અક્ષય નામનો યુવક નજીકમાં લઘુશંકા કરતો હતો, જેને આ બાબતે પુષ્પાબેને ઠપકો આપ્યો હતો. જે વાતની રીસ રાખી અક્ષયે તેના સાથીદારો શહેનશાહ, લક્ષ્મણ અને સંતોષને બોલાવી ઝગડો કર્યો હતો. વાત વધુ વણસતા અક્ષયે પુષ્પાને માથામાં ઈંટ મારી ઇજા પહોંચાડી હતી, જ્યારે ઝગડામાં વચ્ચે પડેલા પુષ્પાના સસરા કાંતીને જમણા હાથ પર સળીયો મારીને ઈજાઓ પહોંચાડીને તમામ ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે પુષ્પાબેન ને શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અક્ષય, શહેનશાહ, લક્ષ્મણ અને સંતોષ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

બીજી બાજુ સામે પક્ષે લક્ષ્મણ ભાઈ તડવી એ પણ પુષ્પા વસાવા, પંકજ વસાવા, ગોમાન વસાવા, પ્રિન્સ વસાવા અને કિશન વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી જેમાં લક્ષ્મણ તડવીના પુત્રનો જન્મદિવસ હતો એટલે તેઓ ઘરે હતા દરમ્યાન પુષ્પા, પંકજ, ગોમાન, પ્રિન્સ અને કિશન મારક હથિયાર સાથે ઘસી આવી અક્ષય વસાવાને લઘુશંકા બાબતે બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ અક્ષયને મારમાર્યો હતો. બાદ લક્ષ્મણને પણ ધારિયા વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી.

આ બનાવની જાણ અંકલેશ્વર શહેર પોલીસ ને થતા પોલીસ કાફલો દોડી આવી મામલો શાંત પડ્યો હતો અને પોલીસે બન્નેંવ પક્ષોની ફરિયાદ નોંધી તેઓ ને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આંબાવાડી ખાતે બનેલી આ ઘટનામાં સામ સામે છૂટા હાથની મારામારી ઉપરાંત લાકડી અને પથ્થરો વડે થયેલ હુમલાના દ્રશ્યો સામે આવ્યા હતા.

ભરૂચ : જીલ્લા પંચાયતના પ્રાંગણની સાંકડી ગટરમાં માતા શ્વાન ગલુડિયા સાથે ફસાઇ

  • મહિલા રેસ્ક્યુઅરે બન્નેંવ બહાર કાઢી બચાવ્યાં

મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના મહિલા રેસ્ક્યુઅર શીલાબહેને સાંકડી ગટરના પાઇપમાં ફસાયેલ ગલુડિયાને બચાવવા જાતે ગટરમાં ઉતરી બહાર કાઢ્યાં હતાં. આ ઘટનામાં તા. ૩૧મી જાન્યુઆરીએ સવારે જીલ્લા પંચાયતમાંથી વિપુલ ભાઈ નામે જીવદયા પ્રેમી સેવાકર્મીનો જીલ્લા પંચાયતના પ્રાંગણમાં સાંકડી ગટર માં પડી ગયેલા ગલુડિયાને બચાવવામાં મદદ માંગતો ફોન સંસ્થાની હેલ્પ લાઈન ઉપર મળતા પ્રમુખ જાસમીન બહેન દલાલ સાથે રેસ્ક્યુર શીલા બહેન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ઘટના સ્થળે જોતા સાંકડી ગટરમાં નાના પાઈપમાં વચ્ચે ફસાયેલું ગલુડિયું કેવી રીતે બચાવી શકાય તેની તપાસ આદરી શીલા બહેને ગલુડિયા ને રેસ્ક્યુ કરવા મહામુશ્કેલી થી ગટર માં ઉતરવા પ્રયત્ન કર્યા હતા. ગલુડિયા ની માં પણ પોતાના બચ્ચા ને સહી સલામત પાછું મેળવવા આકળવિકલ બની ઊંચીનીચી થવા ઉપરાંત સાથે વેદનામય ચિત્કાર કરતી હતી. છેવટે કોઈ માર્ગ ના મળતાં ભરૂચ ફાયર બ્રિગેડની મદદ માંગવા માં આવી અને લાશકરો એ જહેમત ઉઠાવી ગલુડિયા ને સહી સલામત બાહર કાઢી મૂક્યું ત્યારે ગલુડિયાની માં ઉપરાંત સંસ્થા ના પ્રતિનિધિઓ તેમજ અન્ય ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી શાંતિ નો શ્વાસ લીધો હતો.

અંકલેશ્વરમાંથી બિનવારસી હાલતમાં મળ્યું કન્ટેનર : રૂ. 10.13 લાખના મુદ્દામાલની ચોરી

  • કન્ટેનરમાં રહેલા ટાયર, ટ્યુબ સહિત રૂપિયા 13 લાખના મુદ્દામાલની ચોરી

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલી સિલ્વર સેવન હોટલના કમ્પાઉન્ડમાંથી એક કન્ટેનર બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જે ટાયર, ટ્યુબ સહિત 10.13 લાખનો મુદ્દામાલ કન્ટેનરમાં ભરેલ મુદ્દામાલની ચોરી થઈ ગઈ હતી. ત્યારે ટ્રક ચાલક અને ક્લીનરે તમામ જથ્થો સગેવગે કર્યો હોવાની અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

તારીખ-25મી જાન્યુઆરીના રોજ યુપીના મોઉઆજમાં રહેતો ટ્રક ચાલક રમેશલાલ રમલાલ યાદવ અને કંડકટર બોમ્બે હરિયાણા રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટની ટ્રક નંબર-એમ.એચ.43.બી.જી.2278 લઈ તમિલનાડુના પેરામ્બૂરમાં આવેલા એમ.આર.એફ કંપનીના ત્રિચી પ્લાન્ટ પરથી ટાયર, ટ્યુબ અને લંગોટ મળી 10.13 લાખનો મુદ્દામાલ કન્ટેનરમાં ભરી તમિલનાડુથી અમદાવાદ જવા નીકળ્યા હતા.

દરમિયાન ગત તારીખ-31મી જાન્યુઆરીના રોજ ટ્રકની જી.પી.એસ ટ્રેક કરતાં તે બલેશ્વર ખાતે આવેલી સહયોગ હોટલમાં હોવા સાથે ચાલકનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. જેની તપાસ કરતાં કામરેજ ટોલનાકા પાસે ગત તારીખ-30મી જાન્યુઆરીએ ટ્રક પસાર થઈ હતી. જે ટ્રક અંકલેશ્વર હાઇવે પસાર નહીં કર્યો હોવાનું જણાતા ટ્રાન્સપોર્ટના કર્મચારીને ટ્રક અંકલેશ્વરની સિલ્વર સેવન હોટલના કમ્પાઉન્ડમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી અને તેમાં રહેલા ટાયર, ટ્યુબ અને લંગોટ મળી 10.13 લાખથી વધુનો મુદ્દામાલનો તમામ સામાન સગેવગે થયો હોવાનું માલૂમ પડ્યું હતું. જેને લઈ ચોરી અંગે શહેર પોલીસે ટ્રક ચાલક અને ક્લીનર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત આઇસસ્ટોક ફેડરેશનના પ્રમુખપદે મહેશભાઇ વસાવાની વરણીથી ખુશહાલી

  • થવા ગામના રંજનબેન વસાવાની મહામંત્રી નિમણુંક

ગુજરાત આઇસસ્ટોક ફેડરેશનના પ્રમુખપદે મહેશભાઇ વસાવાની વરણી થતાં આદિવાસી વિસ્તારમાં આનંદ વ્યાપી જવા માંડયો હતો.

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના થવા બેડાકંપની ગામના નાનાલાલ વસાવા અને રંજનબેન વસાવાની દીકરી દ્રષ્ટીએ આઇસ સ્ટોક સ્પૉર્ટસ ચેમ્પિયનશીપમાં ભાગ લઇ ઉત્કૃષ્ઠ દેખાવ કરી બ્રોન્ઝ મેડલ મેળવી દેશભરમાં ભરૂચ જીલ્લા-નેત્રંગ તાલુકા અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું હતું. દ્રષ્ટી વસાવાનું ઠેર-ઠેર સન્માન કરાઇ રહ્યું છે.જેમાં ગુજરાત સરકારના આદિજાતી વિકાસમંત્રી નરેશભાઇ પટેલ,ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી,મંત્રી મુકેશભાઇ પટેલે સન્માન કરીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

જેમાં ગુજરાત રાજ્યમાં આઇસસ્ટોક નામની રમત લાવનાર અને તે રમતની જનમાણસમાં પ્રચલીત કરનાર નેત્રંગ તાલુકાના થવા ગામના મુળ વતની મહેશભાઇ વસાવાને ગુજરાત આઇસસ્ટોક ફેડરેશનના પ્રમુખ અને રંજનબેન વસાવાને મહામંત્રી તરીકા વરણી થતાં આદિવાસી વિસ્તારમાં આનંદ લાગણી પ્રસરી જવા માંડી હતી.

  • ઇકરામ ,દિવ્યાંગ મિસ્ત્રી,ન્યુઝલાઇન.નેત્રંગ
error: Content is protected !!