The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 156

દેડીયાપાડા : ખેરના લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતા બે ઝડપાયા

દેડીયાપાડાના તીલકવડા પોલીસને મળેલ ચોક્કસ બાતમી આઇસર ટેમ્પામાં ગેરકાયદેસર રીતે ખેરના લાકડા ભરી તિલકવાડા તરફ આવે છે. જે બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો ચિત્રાખાડી-તિલકવાડા રોડ ઉપર વોચમાં હતા, તે દરમ્યાન એક આઇસર ટેમ્પો ચિત્રાખાડી તરફ થી આવતા તેને રોકી ચેક કરતા પાછળના ભાગે ખેરન લાકડનો જ્થ્થો મળી આવ્યો હતો.

જેથી પોલીસે આઇસર ડ્રાઈવર નરેન્દ્રસિંહ તખતસિંહ કોઠિયા ઉ.વ.૩૫ રહે બુજેઠા નવી નગરી તા. તિલકવાડા જી. નર્મદા અને ભયજીભાઇ જીણાભાઇ વસાવા ઉ.વ.૩૨ રહે. માથાસર તા. ડેડીયાપાડા જી.નર્મદાની અટકાયત કરી આઇસર ટેમ્પામાં ચેક કરતા તેમા પાછળ ભાગે આશરે ૧૫૦ મણ જેટલા ખેરના લાકડા હતા. જેની આશરે કી.રૂ.૬૦,૦૦૦/- ગણી જે ખેરના લાકડાના આધાર પુરાવા માંગતા તેમની પાસે નહી હોવાનુ જણાવતા, જેથી આ આઇસર ટેમ્પા GJ-7-Z-8570ની કી.રૂ.૩,૦૦,૦૦૦/- ગણી તથા ખેરના લાકડા કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૬૦,૦૦૦/- તથા ઝડપાયેલા બે ઇસમો સામે ભારતીય વન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા સારૂ રેંજ ફોરેસ્ટર અધિકારી કેવડીયાને આગળની કાર્યવાહી માટે સોંપ્યા હતા..

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ભરૂચ કૃષિ મહાવિદ્યાલય ખાતે નવા પ્રવેશ મેળવનાર છાત્રો માટે યોજાયો ઓરિએન્ટેશન કાર્યક્રમ

ભરૂચ ખાતે નવું એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ માટે  ઓરિએન્ટેશન પ્રોગ્રામ નવસારી કૃષિ યુનિવર્સિટી ના ડૉ. આર.ડી.પંડયા ના અધ્યક્ષસ્થાને એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ ખાતે યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરાઈ હતી.ત્યારબાદ કૃષિ વિદ્યાલય ના ડો.ભટ્ટ દ્વારા શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તબક્કે ભરૂચ એગ્રીકલ્ચર કોલેજના પ્રાધ્યાપક ડૉ. પાઠકે પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓ ના પાંચ લક્ષણો તેમજ ભરૂચ કૃષિ મહાવિદ્યાલય માં છાત્રો ને શૈક્ષણિક,રમત-ગમત તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે રહેલ વિવિધ તકો વિશે સવિસ્તાર છણાવટ કરી હતી.જ્યારે ડો.એ.ડી.રાજે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી માહિતી પૂરી પાડી તેઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.આ પ્રસંગે ભરૂચ કૃષિ મહાવિદ્યાલય ના પ્રિન્સિપાલ ડો.ડી.ડી.પટેલે પોતાના લાક્ષણિક અંદાઝમાં પ્રેરણાદાયક પ્રવચન થકી છાત્રો નું નૈતિકતા,ચારિત્ર્ય અને પ્રામાણિકતા દ્વારા સર્વાંગિક વિકાસ કરવા આહવાહન કરાયું હતું. સાથે જ આ કોલેજ વિદ્યાર્થીઓ નું ઘડતર કરશે ની બાંહેધરી પણ આપી હતી.કાર્યક્રમ ના અધ્યક્ષ ડો.આર.ડી.પંડયા એ પ્રેરક સંબોધન થકી છાત્રો ને વિકાસ ની નવી કેડી કંડારવા રાહ ચીંધી હતી.

આ ક્ષણે કોલેજના સ્ટુડન્ટ હાર્દિક જીંજાલાએ પોતાનો કોલેજ અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અત્રે ની કોલેજમાં જ્ઞાન અને સહકાર ની ભાવના ધરાવતા પ્રાધ્યાપકો હોવા સાથે હોસ્ટેલમાં પણ રહેવા તથા જમવાની સુચારુ વ્યવસ્થા પ્રાપ્ત થાય છે.આ તબક્કે ભરૂચ કૃષિ મહાવિદ્યાલયમાં સેમ ૧ માં અભ્યાસ કરતી કુ.સવદહ સૈયદે પોતાની અનોખી શૈલી માં કોલેજ પ્રત્યે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા સર્વે હાજર લોકો ને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. તેણી એ કોલેજમાં પર્યાપ્ત માત્રામાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ હોવાની માહિતી પૂરી પાડી હતી.વધુમાં ગર્લ્સ હોસ્ટેલ ખાતે સેનેટરી પેડ ડિસ્ટ્રોયર મશીન નો ઉલ્લેખ કરી વિદ્યાર્થીનિઓ ની શારીરિક અને માનસિક કાળજી લેવામાં આવતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.ઉક્ત કાર્યક્રમ માં કુલ ૧૫૦ જેટલા છાત્રો તેમજ કોલેજ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ડો.એસ.જી.પટેલે કર્યું હતું.

  • અમઝદ સૈયદ,ન્યુઝલાઇન,વાગરા

ભરૂચ પાલિકાએ વેરાના ભરતા બાકીદારો સામે આખરે શરૂ કર્યુ સિલિંગ

  • 8 દુકાન અને એક ફ્લેટ સીલ કરાયો

ભરૂચ નગર પાલિકા દ્વારા 20 હજાર જેટલા બાકીદારો પાસેથી રૂ. 7 કરોડના બાકી વેરાની વસુલાત સામે હવે મિલકતો સીલ મારવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. ભરૂચ નગર પાલિકાની વેરા વસુલાતની ટીમોએ આજે શનિવારે શહેરમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી બાકી મિલકત વેરા સામે સિલિંગનું શસ્ત્ર ઉગામ્યું હતું.

જેમાં શહેરના ડ્રિમ લેન્ડ પ્લાઝામાં 221થી 227 નંબરની 7 દુકાનો પાસેથી બાકી રૂ. 66 હજાર ઉપરાંતની વસુલાતમાં મિલ્કતોને સીલ મારી દેવાયું હતું. અપ્સરા એપાર્ટમેન્ટની એક દુકાનના રૂ. 58 હજાર અને ફ્લેટનો 75 હજાર વેરો બાકી હોઈ બંન્ને મિલકતને પણ સીલ કરી દેવાઈ હતી.

નોંધવું રહ્યું છે કે સિલિંગમાં કોમર્શિયલ મિલકતો સાથે રહેણાંક મિલકતનું પહેલા પાણી જોડાણ અને તે નહિ હોય તો મિલકત સીલ કરવાની કામગીરી કરાશે. આ સિલિંગથી બચવા મિલકત ધારકોએ તેમનો બાકી વેરો ભરપાઈ કરી દેવા પાલિકા દ્વારા તાકીદ કરાઈ છે.

અંકલેશ્વર: લગ્નની લાલચે 13 વર્ષીય સગીરાને ભગાડી જનાર ઝડપાયો

અંકલેશ્વરના એક ગામની સોસાયટીમાં રહેતી 13 વર્ષીય સગીરાને અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ લાલ કોલોની ખાતે રહેતો સુમિત વસાવા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે અપહરણ અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે આરોપી સુમિત વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે ઝડપાયેલા આ આરોપી સુમિત વસાવવાનો મિત્ર દિપક યુવરાજ તડવી પણ આ અગાઉ સગીરાઓને ભગાડી જવાનું કાવતરું રચતો હતો.આ ઘટનામાં પણ બંનેવ ઈસમોએ પ્લાન બનાવીને સગીરાને રીક્ષામાં ભગાડી જવાનું કૃત્ય કર્યું હતું, જે અંગે પર્દાફાશ થતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ સબ જેલ નજીકથી મારક હથીયાર સાથે હાંસોટના ૨ ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા આગામી હોળી-ધુળેટીના તહેવારને ધ્યાને રાખી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા જીલ્લા મેજીસ્ટ્રેટના હથીયાર બંધી અંગેના જાહેરનામાંનો કડક અમલ થાય તે હેતુથી શહેરમાં ગે.કા.મારક હથીયાર લઇ ફરતા અસામાજીક તત્વોને ઝડપી પાડવા આપેલ સુચના આધારે.

શહેરમાં મારક હથીયાર સાથે ફરતા અસમાજીક તથા આવારા તત્વોને ઝડપી પાડવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. આજરોજ ભરૂચ એલ.સી.બી.ની એક ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ સબ જેલ નજીકથી હાંસોટના બે ઇસમો અમન શફી ઉર્ફે પપ્પુ ખોખર હાલ રહેવાસી. ઝકરીયાપાર્ક કાપોદ્રા તાલુકો અંકલેશ્વર જી ભરૂચ,મુળ રહેવાસી.સોનીફળીયુ હાંસોટ તા હાંસોટ જી ભરૂચ, તલહા ઉફે બાબુ મુજમીલ ઉર્ફે મુન્ના શેખ હાલ રહેવાસી ફતેહનગર સ્ટાર એવન્યુ પાછળ એશીયાડ નગર અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહેવાસી. હાંસોટ કાઝીફળીયુ તા હાંસોટ જી ભરૂચને સફેદ કલરની સ્વીફ્ટ ફોરવ્હીલ ગાડી નંબર GJ-06-PG-9277 તથા ગેરકાયદેસર મારક હથીયાર સાથે સાથે કુલ મુદ્દામાલ કિ રૂ ૫,૩૮,૩૦૦/- ઝડપી પાડવામાં આવેલ.

પકડાયેલ બંનેવ આરોપીની ઉડાણપુર્વકની પુછપરછમાં આરોપી તલહા ઉર્ફે બાબુ શેખનો ભરૂચ શહેર “બી” ડીવીઝન પો.સ્ટે.ના ગાળાગાળી તથા ધમકીના ગુનામાં છેલ્લા બે માસથી વોન્ટેડ હોવાની હકિકત જણાઇ આવેલ. જે પકડાયેલ બંને આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ સારૂ ભરૂચ શહેર “બી” ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવેલ છે.

નેત્રંગ દુષ્કર્મ કેસમાં આરોપીના ભાઇની પણ સંડોવણી બહાર આવતા ઘરપકડ

નેત્રંગ ખાતેના ચકચારી બનાવમાં 14 વર્ષની સગીરા ઉપર 4 દીકરીના પિતાએ વિશ્વ મહિલા દિવસની આગલી રાત્રે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટનામાં દીકરી સાથે બળજબરી કરતા પિતા જોઈ જતા બેશરમ થઈ બળાત્કારી અને તેના ભાઈ સહિત પરીવારની મહિલાઓ ભોગ બનનાર દીકરીના પિતા ઉપર ટૂટી પડ્યા હતા અને માર માર્યો હતો અને ધમકીઓ આપી હતી.

આ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા તેની કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્વરના ડીવાયએસપીએ જાતે તપાસ સંભાળી પ્રથમ મુખ્ય બળાત્કારી મુકેશ ભરવાડને પકડી ત્યારબાદ બીજા દિવસે ભરત ભરવાડને ઝબ્બે કરી ભરૂચ પોકસો કોર્ટ અને ભરૂચ જેલમાં રીમાન્ડ માટે તજવીજ કરતા કોર્ટે બન્ને ઇસમોના રીમાન્ડ ના મંજુર કર્યા હતા.

તા. 7 માર્ચના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામા મુકેશ રાજા ભરવાડે એક સગીરવયની છોકરીને સોશીયલ મીડીયાના માધ્યમથી મેસેજ કરી દબાણ કરી બોલાવી અને સગીરા ઉપર જબરદસ્તી કરી, બળજબરી પુર્વક તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર કરતા શોધખોળ કરતા ભોગ બનનારના પિતાએ દીકરીને દુષ્કર્મીના સકંજામાંથી છોડાવતા સગીરાના પિતાને પછાડી માર માર્યો હતો. આ બનાવની નેત્રંગ પો.સ્ટેશનમાં બળાત્કાર તથા મારામારી તથા એટ્રોસીટી એકટ મુજબની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલીક અલગ અલગ પોલીસ માણસોની ટીમો બનાવી મુકેશ ભરવાડને અરેસ્ટ કરી બીજા દિવસે તેના ભાઈ ભરત ભરવાડને પકડી જેલભેગા કરી ગુનાનો ભેદ ઉકેલવા પુરાવા એકત્રીત કરવા એફ.એસ.એલ.ની મદદ લઈ વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવી હતી. ટુંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે પ્રયત્ન હાથ ધરવામાં આવશે તેવું ચિરાગ દેસાઈ ડીવાયએસપી અંકલેશ્વરએ જણાવ્યું હતું.

SOU પાસે ન્યુટ્રિશિયન પાર્કની એકતા ફૂડ કોર્ટ શુક્રવારે અચાનક બંધ કરાતા હાલાકી

  • SOU પાસે ફૂડકોર્ટ શુક્રવારે અચાનક બંધ કરી દેવાતાં પ્રવાસીઓ લારી ગલ્લાના નાસ્તાના ભરોસે

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હોળીની રજામાં પ્રવાસીઓની સંખ્યામાં વધે તેવી આશા સેવાઈ છે. અત્યારથી 31 માર્ચ સુધી વ્યુઇંગ ગેલેરીની ટિકિટો ઓનલાઈન બુક થઈ ગઈ છે.પ્રવાસીઓની સંખ્યામાં વધારાના સમયે જ ફૂડ કોર્ટમાં રૂપિયા 40ની ચા અને 60માં કોફી તથા 50ના બે સમોસા વેચવા છતાં કોન્ટ્રાક્ટરોને ભાડૂં પોસાતું ન હોવાથી ન્યુટ્રિશિયન પાર્કની એકતા ફૂડ કોર્ટ શુક્રવારે અચાનક બંધ કરી દેવાઈ છે.

હવે પ્રવાસીઓએ નાસ્તો કે જમવાનો પ્રશ્ન ઉભો થયો ગરુડેશ્વર કે રાજપીપલા જમવા જવું પડે છે. સ્ટેચ્યુ પરિસરમાં પાણી સિવાય કાંઈ મળતું નથી. બહાર નીકળતા સ્થાનિકોની દુકાનોમાં નાસ્તો મળી રહેતાં પ્રવાસીઓને રાહત થઈ હતી.એટલે કેવડિયા માં જમવા માટે સારા રેસ્ટોરન્ટ પણ બને એવી બધા પ્રવાસીઓની માંગ છે.

નેત્રંગમાં સદંતર બંધ પાળી:બળાત્કારીને ફાંસીની માંગ કરતાં આદિવાસીઓ

  • તાલુકા સેવાસદનમાં ઘસી આવી ભારે સુત્રોચ્ચારો સાથે આવેદનપત્ર આપ્યું

નેત્રંગમાં સગીર ઉપર બળાત્કારની ઘટના વિરોધમાં બજાર સદંતર બંધ રહ્યું હતું.બળાત્કારીને ફાંસીની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

નેત્રંગમાં તાલુકાના મથકના ટેમ્પોના ડ્રાઇવર મુકેશ રાજા ભરવાડ નામના નરાધમે ૧૪ વષીઁય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું.જ્યારે ભોગ બનનાર દિકરીના પિતાને બીજા ત્રણ ઈસમોએ ભેગા મળી ઢોરમાર મારી માથાના ભાગે ગંભીર ઇજાઓ પોહચાડી હતી.આ ઘટના બાદ ત્રણ ઈસમો વિરુદ્ધ નેત્રંગ પોલિસે પોસ્કો એક્ટ,એટ્રોસિટી અને મારામારીને લગતી કલમ ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુન્હાની ગંભીરતાની જાણ થતાં અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ચિરાગ દેસાઈએ આગળની તપાસ હાથ ધરતાં ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી મુકેશ ભરવાડ અને ત્યારબાદ વધુ એક આરોપી ભરત ભરવાડની પકડી જેલના હવાલે કરતાં ચકચાર મચી જવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે,નેત્રંગમાં આદિવાસી દીકરી ઉપર બનેલ બળાત્કારની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યો છે.જેમાં બીટીપી-બીટીએસ અને સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો ભારે સુત્રોચારો કરીને નેત્રંગ તાલુકા સેવાસદને ઘસી આવી બળાત્કાર કરનાર નરાધમને ફાંસીની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.પોલીસતંત્ર તટસ્થ તપાસ કરે અને ફાસ્ટટ્રેક કૉટમાં કેસ ચલાવે તેવી માંગ કરી હતી.બળાત્કારનો ભોગ બનેલ સગીરને પોલીસ દબાવે છે તેવા ગંભીર આક્ષેપો આગેવાનોએ કયૉ હતો.નેત્રંગ બંધનું એલાન આપતા પાનના ગલ્લાઓ,શાકભાજીની લાળીઓ સહિત જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ દુકાનો અને બજારો સંદતર બંધ રહ્યા હતા.

* ઇકરામ શેખ, ન્યુઝલાઇન, નેત્રંગ

આમોદ મામલતદારે સરભાણ – માતર વચ્ચેથી રેતી ભરેલું ઓવરલોડ ડમ્પર કર્યું જપ્ત

  • ભરૂચ ખાણ ખનીજ વિભાગને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું.

આમોદ મામલતદારે ગતરોજ રાતના સમયે રેતી ભરેલું ઓવરલોડ ડમ્પર જપ્ત કરી આમોદ મામલતદાર કચેરીમાં મૂકી દીધું હતું.ત્યારે ઓવરલોડ ડમ્પરો ચલાવીને સરકારની રોયલ્ટીને નુકશાન પહોંચાડતા તત્વોમાં મામલતદારના કડક વલણથી ફફડાટ ફેલાઈ ગયો હતો.

આમોદ તાલુકાના સરભાણ અને માતર ગામની વચ્ચે ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર પસાર થતું હતું જે બાબતે આમોદ મામલતદાર ડૉ.જે.ડી. પટેલને જાણ થતાં તેમણે ૪૬ ટન રેતી ભરેલું ડમ્પર નંબર GJ 05 BX 6078 જપ્ત કરી ભરૂચ ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.ત્યારે આમોદ મામલતદારની કડક કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એક તરફ ભરૂચના સાસંદ મનસુખભાઇ વસાવાએ ભૂમિ માફિયાઓ સામે બાયો ચઢાવી છે ત્યારે હવે વહીવટી તંત્રએ પણ રેતી માફિયાઓ સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.ત્યારે હવે જોવું રહ્યું કે ભરૂચનું ખાણ ખનીજ વિભાગ કેટલો દંડ ફટકારે છે?

  • વિનોદ પરમાર, ન્યુઝલાઇન,આમોદ

સાગબારાથી લકઝરી બસમાં ચોર ખાના માંથી રૂ. ૩૧,૮૧,૯૧૦/- નો દારૂ ઝડપાયો

  • લકઝરી બસમાં પેસેન્જર સીટ નીચે ચોર ખાના માંથી ૪૪૮ પેટી દારૂ ની મળી આવી;

એલ.સી.બી.ને મળેલ ચોક્કસ બાતમી આધારે સાગબારાની ધનશેરા ચેકપોસ્ટ ઉપર એલ.સી.બી. સ્ટાફના માણસો વોચ તપાસમાં રહેતા એક અશોક લેલન કંપનીની સ્લીપર કોચ બસ નં.RJ-46-PA 1683 માં તપાસ કરતા તમામ પેસેન્જર સીટની નીચે પ્લાયવુડ ની પાટીયા ખોલી જોતા જે માંથી ઇંગ્લીશ દારૂ અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ તથા બિયર ટીન બોટલ નંગ-૯૫૬૪ કુલ કિંમત ૩.૧૬,૭૪,૦૦૦/- નો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે લકઝરી બસ કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૩૧,૮૧,૯૧૦/- નો મુદ્દામાલ જ્પ્ત કરી ઉદયલાલ ભેરૂલાલજી મેનારીયા રહે.૧૦૭, નવ બાવડી પાસે, પાનેરીચોકી માંદળી, તા.જી. ઉદેયપુર રાજસ્થાન તથા રઘુવિરસિંહ શંકરસિંહ યુન્ડાવત રહે. ઓઝાગર ગામ પોસ્ટ- રામપુરીયા તા.જી.ભીલવાડા રાજસ્થાન તથા ભુપેન્દ્રસિંહ જસવંતસિંહ રાજપુત રહે.૧૭૫ પાન્નય સર્કલ નજીક,આઝાદ નગર તા.જી.ભીલવાડા રાજસ્થાન વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા
error: Content is protected !!