The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 143

ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી(VIDEO)

  • આ યાત્રામાં આમ આદમી પાર્ટીના અગ્રણીઓ જોડાયા હતા

પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાતના તમામ જીલ્લાઓમાં “વિજય તિરંગા યાત્રા” યોજવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા 21 માર્ચથી 30 માર્ચ સુધી ગુજરાતની તમામ વિધાનસભા મતવિસ્તારમાં “વિજય તિંરગા યાત્રા” યોજવાનો કાર્યક્રમ અંતર્ગત ભરૂચના શ્રવણ ચોકડીથી આરંભ કરાયો હતો. યાત્રામાં હાજર રહેલા કાર્યકરોએ સરકાર પર પ્રહારો કરતાં કહ્યું કે, હવે લોકો સમજી ચૂક્યા છે. પંજાબની જેમ ગુજરાતમાં પણ લોકો પરિવર્તન ઈચ્છી રહ્યાં છે.

ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જે તિરંગા યાત્રા શ્રવણ ચોકડી થી થઈ શકિતનાથ સર્કલ પાંચબત્તી સર્કલ સોનેરી મહેલ ખાતે પૂર્ણ થઈ હતી.આ તિરંગા યાત્રામાં આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો જોડાયા હતા, અને નગર ભ્રમણ દરમિયાન ભારત માતાકી જય ના નારા લગાવ્યા હતા.

ભરૂચ ફુરજારોડ,બાદશાહી મસ્જીદ પાસેથી જુગાર રમતા બે ઝડપાયા

ભરૂચજીલ્લા પોલીસ અધિક્ષક ની સુચના અને મળેલ બાતમી હકીકત આધારે ભરૂચ ફુરજારોડ ,બાદશાહી મસ્જીદ પાસેથી આંક ફરક સટ્ટાબેટિંગનો જુગાર રમી રમાડતા બે આરોપીઓને ઝડપી પાડવામાં બી ડિવિઝન પોલીસને સફળતા મળી છે.

પોલીસે જુગાર રમતા મોહમદ સલીમભાઇ ઇબ્રાહીમભાઇ મલેક રહે-મ.નં ૨૦૦૩, પારસીવાડ, વેજલપુર, ભરૂચ અને મોહમદ શોયેબ મોહમદ હનીફ કુરેશી ઉ.૧.૩૫ રહે-મ.નં-૨૫૮૬,ભઠીયારવાડ,ભરૂચ ને અંગ ઝડતી રોકડા રૂપિયા – ૨૦,૧૯૦/- તથા મોબાઈલ નંગ-૦૨ કિંમત રૂપિયા ૬૦૦૦/-મળી કુલ કિ.રૂ. ૨૬,૧૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

ભરૂચના મહાદેવનગર જ્યોતીનગર પાસેથી વિદેશી દારૂનો જથ્થા સાથે ૧ ઝડપાયો

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતી ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુંસંધાને બાતમી આધારે મોજે મહાદેવનગર જ્યોતીનગર ખાતેથી પ્રતીબંધીત વિદેશી દારૂની નાની મોટી બોટલ/ટીન કુલ્લે બોટલ નંગ ૧૬૦/-કિમત રૂપીયા ૨૬,૦૦૦/- તથા એક ફોર વ્હીલ ગાડી MH-04-DB-4264 કિમત રૂપીયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિમત રૂપીયા ૨,૨૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે રૂષભ શ્યામુભાઈ વસાવા રહેવાસી બી/૪૮ શ્રીનગર સોસાયટી તુલસીધામ પાસે ભોલાવ ભરૂચને પકડી પાડવા સાથે ધ્રુવ ઉર્ફે જીનુ નિલેશભાઈ પટેલ રહેવાસી જ્યોતીનગર ભરૂચને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ચાલુ છે.

વાલીયામા શાંતિનગર ખાતેથી વિદેશી દારૂનો જથ્થા સાથે ૧ ઝડપાયો,૧ વોન્ટેડ

ભરૂચ જીલ્લામાંથી દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવ્રુત્તિ નાબુદ કરવા સારૂ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સારૂ તથા જીલ્લામા થતી દારૂની ગેરકાયદેસર રીતે હેર-ફેર અટકાવવા સારૂ વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય

જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામા આવેલ છે દરમ્યાન ગતરોજ તા-૨૬/૦૩/ર૦૨૨ નારોજ ભરૂચ એલ.સી.બી ની ટીમ વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા પટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, વાલીયા ટાઉનમા આવેલ શાંતિનગર ખાતે રહેતા બુટલેગર ભીમાભાઇ ચંદુભાઇ વસાવા રહે- વાલીયા,શાંતિનગર, સીતારામ હોસ્પીટલની બાજુમા વાલીયાએ પોતાના ઘરે ગેરકાયદેસરનો દારૂનો જથ્થો લાવેલ છે અને ચોરી છુપીથી વેચાણ કરી રહેલ છે જે મળેલ હકીકત આધારે એલ.સી.બી ટીમે વાલીયા શાંતિનગર ખાતે આવેલ બુટલેગર ભીમાભાઇ ચંદુભાઇ વસાવા ના ઘરે દરોડા પાડી ગેરકાયદેસરના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલોના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સાથે વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૧૫૪ જેની કી.રૂ.૧૯,૬૦૦/- નો મુદ્દામાલ જ્પ્ત કરી પકડાયેલ બુટલેગર તથા દારૂનો જથ્થો મોકલનાર બુટલેગર રમેશભાઇ માધુભાઇ વસાવા રહે- મેરા ગામ તા-વાલીયા જી-ભરૂચ વિરૂધ્ધમા વાલીયા પોલીસ મથકમા ગુનો રજીસ્ટર કરાવવામા આવેલ છે.

બે વર્ષ બાદ આજથી ભારતમાંથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ

2 વર્ષ સુધી બંધ રહ્યા બાદ રવિવારથી ભારતમાંથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સંચાલન ફરી શરૂ થવા જઈ રહ્યું છે. એરપોર્ટ અને એરલાઇન્સે 2 વર્ષ પછી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવા માટે તેમની તૈયારીઓ પૂર્ણ કરી છે. ભારતીય એરલાઇન્સ ઉપરાંત, અમીરાત અને વર્જિન એટલાન્ટિક જેવી વિદેશી એરલાઇન્સ પણ નિયમિત ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

23 માર્ચ 2020થી ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન બંધ હતું. કોરોના સક્રમણના પહેલી લહેરના આગમન સાથે, આને રોકી દેવામાં આવ્યું અને સમય જતાં તે પ્રતિબંધ વધતો ગયો હતો, પરંતુ હવે આ પ્રતિબંધ ખતમ કરવાનો સમય આવી ગયો છે. આજથી ભારતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ નિયમિતપણે શરૂ થશે. જોકે કેટલાક દેશો સાથે બાયો-બબલ વ્યવસ્થા હેઠળ કોરોના સમયગાળા દરમિયાન પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કાર્યરત છે, તે મર્યાદિત વ્યવસ્થા છે.

ભરૂચમાં આર.એસ.એસ. દ્વારા વિવિધ સંગઠનો સાથે સેવા મિલન યોજાયું (VIDEO)

રાષ્ટ્ર પર આવેલ આપત્તીના સમયે સેવાકાર્યોમાં હંમેશા અગ્રિમ રહેતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ નગર તેમજ સંઘ પ્રેરિત વિવિધ સંગઠનો તથા સમાજ માં સેવારત વિવિધ સંસ્થા સાથે સૌ સંગઠિત પ્રયાસ થી એક બીજાને પૂરક બની સેવાકાર્ય વધુ અસરકારક બનાવી શકીએ તે માટેનું સામુહિક ચિંતન થાય તે હેતુથી એક સેવા મિલનનો કાર્યક્રમ ભરૂચના શકિતનાથ નજીક શંભુ ડેરી પાસે મનિષાનંદ સોસાયટી ખાતેની શાંતિ વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યું હતું.

આર.એસ.એસ.ના ટૂંકા નામથી ઓળખાતું સ્વયંસેવી સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમના રાષ્ટ્રભક્તિ યુક્ત શાખા કાર્યોથી તો ઓળખાય જ છે સાથો સાથ રાષ્ટ્ર પર જ્યારે કુદરતી કે માનવસર્જિત આપત્તી આવી પડે છે ત્યારે સેવા કાર્યોમાં સંઘના સ્વયંસેવકો સૌથી આગળ પડતા હોય છે.સંઘની શાખાઓ ભારતીયોને પોતાની માતૃભૂમિ સાથે, મૂળભૂત સંસ્કૃતિ સાથે મજબૂત રીતે સાંકળી રાખનારી એક કડીરૂપ છે. ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ એક સંસ્થા માત્ર નથી, એ સ્વદેશ સાથે સંયોજન કરનારી જીવનદોર છે! પરંપરા છે!

આ કાર્યક્રમમાં આર.એસ.એસના સ્વયંમ સેવકો સહિત સમાજમાં વિવિધ સેવાકિય પ્રવૃત્તિ સાથે સંકડાયેલ મહાનુભવો ઉપસ્થીત રહ્યા હતા અને સ્માજની જરૂરીયાત સાથે કદમ્થી કદમ મિલાવી કેવી રીતે સેવા કાર્યને વધુ સારી રીતે સમાજૌપયોગી બનાવાય તે અંગે વિસ્તૃત ચર્ચા અને વિચારોનું આદાન પ્રદાન કરાયું હતું.

જંબુસર હાજી કન્યા શાળા ખાતે ખુશબુ હજી કન્યાકી કાર્યક્રમ યોજાયો

૧૫૭ માં વાર્ષિકોત્સવની ઉજવણી જંબુસર હાજી કન્યાશાળાના પટાંગણમાં કરાઈ સાથે ઈનામ વિતરણ કરાયું જેમાં મોટી સંખ્યામાં બાળકો વાલીઓ હાજર રહ્યા.

હાજી કન્યા શાળા જેમાં ધોરણ એક થી આઠમાં ૩૨૬ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. શાળાના ઉત્સાહી આચાર્યા રાહુલભાઈ મોરી દ્વારા વખતોવખત બાળકો માટે શૈક્ષણિક સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરવા બાળતરુણીઓની સુષુપ્ત શક્તિને ઉજાગર કરવા આજરોજ ખુશ્બૂ હજી કન્યાકી કાર્યક્રમ ડોક્ટર રાકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

જેમાં માધવદાસજી મહારાજ શિક્ષક સોસાયટી ચેરમેન દિનેશભાઈ મકવાણા સીઆરસી બીપીનભાઈ મહિડા ઉમેશભાઈ બ્રહ્મભટ્ટ પવનભાઈ ભાટિયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને ઉપસ્થિતો ના હસ્તે દીપપ્રાગટ્ય થકી કરવામાં આવી.  પુષ્પગુચ્છ શાબ્દીક સ્વાગત શાળાના સ્ટાફ દ્વારા કરાયું હતું આ સહિત શાળાની શૈક્ષણિક સાંસ્કૃતિક તથા અન્ય પ્રવૃત્તિઓમાં ક્રમાંક મેળવી અગ્રેસર રહેલ વિદ્યાર્થીનીઓને  ઉપસ્થિત  હસ્તે ઈનામ વિતરણ પ્રમાણપત્ર ટ્રોફી એનાયત કરવામાં આવી હતી  આ નાની બાળાઓ પોતાના જીવનકાળમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવો શૈક્ષણિક સામાજિક ક્ષેત્રે આગળ આવી શાળા તથા પોતાના પરિવાર સમાજનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી ખુશ્બુ હાજી કન્યા કાર્યક્રમમાં નિવૃત્ત શિક્ષક પરષોતમભાઇ પરમાર જીવાભાઈ પઢીયાર વેડચ હાઇસ્કુલ આચાર્ય ઍક્શનથી હોદ્દેદારો પરિવાર હાજર રહયાં હતાં કાર્યક્રમનું સફળ સંચાલન જયંતીભાઈ સિંધા દ્વારા કરવામાં આવ્યું હતું.

  • સંજય પટેલ, ન્યુઝલાઇન, જંબુસર

દેડીયાપાડા : વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજા સાથે બે ઝડપાયા

એસ.ઓ.જી ટીમે ગાંજો લઈ જતા બે ની પોલીસે અટકાયત કરી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જેમાં પોલીસે ૨ કિલો ગાંજા સાથે કુલ કિંમત રૂ.૪૫,૮૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ ઘટનામાં કે.ડી.જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસ.ઑ.જી.સ્ટાફના માણસોએ બાતમી આધારે રાજેશભાઈ અભેસીગ વસાવા તથા પીન્ટાબેન તે રાજેશભાઈ અભેસીગ વસાવાની પત્ની રહે.નેત્રગ નોળિયા ફળિયા તા.નેત્રગ જી.ભરૂચને પોતાના કબજા ભોગવટાની બાઇક નંબર જીજે-૧૬ ઇ.ડી-૭૧૮૦ સાથે વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાજો ર કિલોગ્રામ કી.રૂ.૨૦,૦૦૦/- તથા મોબાઈલ નગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા મો.સા.નગ-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડા રૂપિયા.૮૦૦/- મળી કુલ કિ.રૂ.૪૫,૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી તથા ગાજો આપનાર સાનુદાદા રહે.ગ્રંથા તા.કુકરમુંડા જી.તાપી નાને વોન્ટેડ જાહેર કરી દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

જંબુસર તાલુકા કક્ષાની પીએમ પોષણ યોજના અંતર્ગત રસોઈ સ્પર્ધા યોજાઇ

પીએમ પોષણ (મધ્યાહન ભોજન) અંતર્ગત સંચાલક રસોઈયા મદદનીશની રસોઈ સ્પર્ધા રેલ્વે પ્રાથમિક મિશ્ર શાળા ખાતે યોજાઇ હતી.

પીએમ પોષણ યોજના હેઠળ ફરજ બજાવતા માનદ વેતન ધારકો જેવાકે સંચાલક રસોઈયા મદદનીશ ની રસોઈ સ્પર્ધાનું  તાલુકા કક્ષાનું ઈન્ચાર્જ નાયબ કલેકટરની સુચના અને મામલતદાર જંબુસર એ કે વસાવાના માર્ગદર્શન હેઠળ મધ્યાહન ભોજન સુપરવાઇઝર એ વી રાવળની રાહબરી હેઠળ રેલવે વિસ્તાર પ્રાથમિક મિશ્ર શાળા ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં તાલુકા શાળા ,જુમ્મા મસ્જિદ, હાજી કન્યા, હસ્તી ફળીયા, ઉર્દુ કન્યા, કપાસીયા પૂરાં, રેલ્વે પ્રાથમિક મિશ્રશાળા,  મગણાદ ,ગજેરા, સરદારનગર શાળા ,નગર પાલિકા શાળા મળી કુલ ૧૧ શાળાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

નિર્ણાયક તરીકે મામલતદાર જંબુસર એ કે વસાવા ,બીઆરસી મહેન્દ્રભાઈ, મધ્યાહન ભોજન સુપરવાઈઝર અજયભાઈ, આઇસીડીએસ સુપરવાઇઝર મીનાબેન પરમાર હેમલત્તાબેન મહેશ્વરીયા સહિત હાજર રહ્યાં હતાંદરેક સ્પર્ધકે અલગ અલગ વિવિધ વાનગી બનાવી હતી સ્પર્ધાના અંતે નિર્ણાયકો દ્વારા આખરી નિર્ણય અપાતા  ૧૧ પૈકી ૩ સ્પર્ધકો  રસોઈ સ્પર્ધામાં ઉત્તિર્ણ થયા જેમાં રેલ્વે વિસ્તાર પ્રાથમિક શાળા સંગીતાબેન મલેટે પ્રથમ  કપાસિયા પુરા પ્રાથમિક શાળા રેખાબેન સોની દ્વિતિય અને હસ્તી ફળિયા કન્યાશાળા કામિનીબેન પટેલ તૃતિય ક્રમાંકે ઉત્તીર્ણ થતા  તેઓને ઉપસ્થિતોના હસ્તે ઈનામ રૂપે ચેક વિતરણ કરાયુ હતું.

આ સ્પર્ધાનો મુખ્ય હેતુ માનદ વેતન ધારક જે પીએમ પોષણ યોજનામાં કામ કરે છે   તેમનો ઉત્સાહ વધે અનેશાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્વાદિષ્ટ અને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે  આયોજન કરવામાં આવ્યું હતું તેમ ઉપસ્થિતો દ્વારા જણાવાયું હતું.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન, જંબુસર

વાગરાના વછનાદમાં ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો

વાગરા તાલુકાના વછનાદ ખાતે ગુજરાત માનવ સેવા સમાજના સહયોગમાં ગ્રામ પંચાયત ઘ્વારા ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો હતો.

વછનાદ ગ્રામ પંચાયતના સરપંચ વર્ષાબેન પ્રવિણસિંહ ચૌહાણ, ડેપ્યુટી સરપંચ ગીતાબેન પરમાર, ગામના આગેવાન પ્રવિણસિંહ  ચૌહાણ, પરાક્રમસિંહ ચૌહાણ, રઘુવીરસિંહ ચૌહાણ, ધનજીભાઈ પરમાર, સત્યમસિંહ ચૌહાણ, હરવિંનસિંહ ચૌહાણ તથા ગુજરાત માનવ સેવા સમાજના પ્રમુખ તારક પરમારની હાજરીમાં ચક્ષુ નિદાન કેમ્પનો શુભારંભ થયો હતો. વછનાદ ગામના 63 જેટલા ગ્રામજનોએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં જરૂરિયાત મંદોને માત્ર 60 :00 રૂપિયામાં નંબરના ચશ્મા આપવામાં આવ્યા હતા.

error: Content is protected !!