The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 130

નર્મદા જિલ્લા રાજપૂત સમાજ સેવા સમિતિ દ્વારા યુવરાજસિંહ જાડેજાને નિર્દોષ છોડવાની કરાઇ માંગ

નર્મદા જિલ્લા શ્રી રાજપૂત સમાજ સેવા સમિતિના પ્રમુખ જયેન્દ્રસિંહ મંગરોલા, સુરેન્દ્રસિંહ રાજ, દુષ્યંતસિંહ રાવલજી, જસપાલસિંહ ગોહિલ, દિવ્યાંસિંહ સહિતનાં આગેવાનો એ રજુઆતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વિવિધ ભરતી પરીક્ષામાં થતાં ગોટાળાઓ અને સરકારી ભરતીઓ માટે લેવાતી લેખીત પરીક્ષાના પેપરો લીકના કીસ્સાઓ યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉજાગર કરાઈ રહ્યા છે.

યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવેલા અવાજનાં કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી હતી. યુવરાજસિંહ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની સરકારી ભરતીઓમાં થતાં કૌભાંડોને પ્રકાશિત કરીને એક રીતે ગુજરાત સરકારને મદદરૂપ થઈ રહ્યા છે. સરકારે તો યુવરાજસિંહ જાડેજાને સાથે રાખીને ન્યાયિક તપાસની પ્રક્રિયામાં લાખો યુવાનોના પ્રશ્નોનુ તથા તેમના ભવિષ્યનું નિરાકરણ લાવવું જોઈએ, જેઓએ ગુન્હો કર્યો છે તેમના સાથે કાયદાકીય કાર્યવાહી કરીને સજા કરવામાં મદદ કરવી જોઈએ અને હાલ યુવરાજસિંહ જાડેજાને ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુન્હામાં સંડોવી ખોટી કલમોનો ઉપયોગ કરી હેરાનગતી થઈ રહી છે.

યુવરાજસિંહ જાડેજાને નિદોર્ષ જાહેર કરવા જોઈએ તેવી સમગ્ર ગુજરાત રાજપૂત ક્ષત્રિય સમાજના સર્વ સંગઠનો તથા સેંકડો વિદ્યાર્થીઓની માંગ હાલતો માંગ ઉઠી છે. જો આવનાર સમયમાં તેઓને નિર્દોષ જાહેર કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનો થશે તેવી નર્મદા જિલ્લા રાજપૂત સમાજ સેવા સમિતિ દ્વારા ચીમકી પણ ઉચ્ચારી છે.

રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

IPL 2022 ક્રિકેટ મેચ દરમ્યાન ઓનલાઇન મોબાઇલ આઇ-ડી દ્વારા સટ્ટો રમાડતો ૧ ઝડપાયો

ઇન્ડીયન પ્રીમીયર લીગ (આઇ.પી.એલ.)-૨૦૨૨ની રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ ટીમો વચ્ચેની ૨૦-૨૦ ક્રિકેટ મેચ દરમ્યાન ઓનલાઇન મોબાઇલ આઇ-ડી દ્વારા ક્રિકેટનો સટ્ટો રમી/રમાડતા એક ઇસમને એ-ડીવીઝન પોલીસે ઝડપી પાડી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ જીલ્લામાંથી ક્રીકેટ સટ્ટા જેવી ગેરકાયદેસરની પ્રવૃતી અટકાવવા તેમજ શોધી કાઢવા તથા પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ સુચના અન્વયે ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામા આવયા હતા. તે દરમીયાન ટીમને બાતમી મળેલ કે ધોળીકુઇ શાકમાર્કેટ પાછળ આવેલ રોયલ કોમ્પલેક્ષની બહાર ખુલ્લા રોડ ઉપર એક ઇસમ ઇન્ડીયન પ્રીમીયર લીગ (આઇ.પી.એલ)-૨૦૨૨ ની ચાલતી રાજસ્થાન રોયલ્સ અને લખનવ સુપર જાયન્ટ વચ્ચેની ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર JAHUEXCH નામની એપ્લીકેશનમાં આઇ-ડી દ્વારા સટ્ટો રમી/રમાડે છે.

જે બાતમી હકીકત આધારે ધોળીકુઇ શાકમાર્કેટ પાછળ આવેલ રોયલ કોમ્પલેક્ષની બહાર ખુલ્લા રોડ ઉપરથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી/રમાડતા એક ઇસમ હિરેન લાલાભાઇ રાણા રહે.૩૦૧, રોયલ કોમ્પલેક્ષ, ધોળીકુઇ બજાર, ભરૂચ.ને પકડી તેની અંગ ઝડતીના રોકડા રૂપીયા-૧૦,૪૦૦/-,મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-મળી કુલ મુદ્દામાલ કિ રૂ. ૧૫,૪૦૦/- જ્પ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં આગમાં ૬ના મોત મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસે જવાબદારો સામે ગુનો નોંધવા કરી માંગ(VIDEO)

ભરૂચના દહેજમાં આવેલી ઓમ ઓર્ગેનિક કંપની પ્રાઇવેટ લીમીટેડમાં ગત મોડી રાતે થયેલ બ્લાસ્ટ અને આગના કારણે ૬ કામ્દારોનું મૃત્યુ થતાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કંપનીના જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધી પગલાં લેવા ભરૂચ ડી.એસ.પીને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરીમલસિંહ રણાએ આપેલ લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કે, આજે વહેલી સવારે દહેજ ફેસ-૩માં આવેલ API અને ઇન્ટરમિડિયેટ્સનું ઉત્પાદન કરતી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક જ બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગેલ હોય, આ આગના ઘટનામાં સ્થળ પર જ ગંભીર રીતે દાઝી જતાં 6 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. વળી આ કંપનીમાં સેફટી વિભાગની પણ પૂરતા પ્રમાણમા જોગવાઈ ન હોવાથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે કામદારોના પરિવારો પર ઓચીંતુ સંકટ આવી ગયું છે.

આથી તાત્કાલિક ધોરણે કંપનીના જવાબદારો સેફટી મેનેજર, ફેકટરી મેનેજર, પ્રેસિડન્ટ, જનરલ મેનેજર, એચ.આર પ્લાન્ટ મેનેજર તેમજ પ્લાન્ટ ઇન્ચાર્જ સમક્ષ વિવિધ ઇ.પી.કો કલમો મુજબની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

જ્યોતિરાવ ફૂલે નાં 195 મી જન્મ જયંતિ નિમિત્તે બામસેફ-ઈન્સાફ સંગઠન દ્વારા પુષ્પાંજલિ અર્પણ

ભારતરાષ્ટ્ર નાં રાષ્ટ્રપિતા સામાજિક ક્રાંતિ નાં અગ્રદૂત જ્યોતિરાવ ફૂલે નાં 195 મી જન્મ જયંતિ નિમિત્તે બામસેફ – ઈન્સાફ સંગઠન દ્વારા ભરૂચ નર્મદા ચેનલ પાસેના સ્ટેચ્યુ પાર્ક ખાતે તેમની પ્રતિમાને ફૂલહાર વિધિ કરવામાં આવી હતી.

જેમાં બહેચરભાઈ રાઠોડ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બામસેફ, ઈન્સાફ સંગઠન ભરૂચ પ્રમુખ અશોકભાઈ મકવાણા, ભારતરાષ્ટ્ર મહિલા ગૃહ ઉધોગનાં કુંવરબેન સોલંકી, મણીબેન સોલંકી, ચંપાબેન ચૌહાણ, સામાજિક કાર્યકર એમ. એ. ખુમાણ વિગેરે હાજર રહી ફૂલહાર વિધિ કરી હતી.

દહેજની ઓમ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં ધડાકો થતાં 6 કામદારોના મોત

દહેજ ઔધોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગની ઘટનામાં દાઝી જવાથી 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.દહેજ સ્થીત ઓમ ઓર્ગેનિક્સમાં મોડી રાતે ૨ વાગે પ્લાન્ટમાં અચાનક કોઇ કારણોસર બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે પ્લાન્ટમાં આસપાસ કામ કરતા કામદારો દૂર સુધી ફંગોળાઈ ગયા હતા.

ગત મોડી રાતે ભરૂચના દહેજમાં આવેલી API અને ઇન્ટરમિડિયેટ્સનું ઉત્પાદન કરતી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ કાટી નીકળી હતી. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન જ બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ બનાવને પગલે ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે, 6 લોકોના દાઝી જવાથી મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ  ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી છે. આગ એટલી વિકરાળ હતી કે, કંપનીમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઇ ગયો છે. ઘટનાને પગલે હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ કંપનીમાં ફાયર સેક્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતકોમાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં જોલવા ખાતે સેફરોન સીટીમાં હાલમાં રહેતા અને ઓપરેટર તરીકે ફરજ બજાવતા પારસનાથ રામ ઇકબાલ યાદવ, મૂળ જૂનાગઢના તથા કંપનીમાં લેબ ટેકનીશીયન તરીકે ફરજ બજાવતા જયદિપભાઇ પ્રભુદાસભાઇ બાંભરોલીયા (રહે. અશ્વિન સોસાયટી, ખોડીયારનગર રોડ), નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ભગવડના વતની તથા કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા રામુભાઇ ઉર્ફે પ્રકાશ મંગળદાસ વસાવા, ઝારખંડના પલામુ જિલ્લાના રોલ તાલુકાના વઘમરી ગામના વતની તથા કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા પનીત મોતી મહંતો, મધ્યપ્રદેશના જાજાગઢના વતની તથા કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા તિરથ કુંજીલાલ ગડારી તથા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના કુવા ગામના વતની તથા કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા રતન કુશવાહનો સમાવેશ થાય છે.

દેત્રાલમાં મહાઆરતી અને 101 ત્રિશૂળ દીક્ષા,મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો(VIDEO)

વાગરાના દેત્રાલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામલલ્લાની મહાઆરતી,૧૦૧ ત્રિશુલ દીક્ષા સાથે મહાપ્રસાદી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં રામભક્ત ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

વાગરા તાલુકાના દેત્રાલના પૌરાણિક શ્રી રામજી મંદિર ખાતે પણ સૌના પ્રેરણાસ્ત્રોત અને પ્રત્યેક સનાતની હિન્દુ નું ગૌરવ એવા મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રીરામની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે રામોત્સવ પ્રસંગ યોજાયો જેમાં સવારથી રામભક્તો રામમય બની ગયાં હતાં. બપોરે બાર કલાકે પ્રભુ શ્રીરામ જન્મ પ્રસંગે મહાઆરતી યોજાઇ હતી. જેમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સંદિપ દેસાઇ સહિત બજરંગદળના અગ્રણીઓએ ગ્રામજનો સાથે મહાઆરતીનો લાભ લીધો હતો.આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો સહિત બજરંગદળના કાર્યકરો અને દેત્રાલના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

જેમાં મહાઆરતી બાદ મહાપ્રસાદીનો લ્હાવો પણ હાજર સૌએ લઇ જય શ્રી રામનો જયઘોષ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સંદિપ દેસાઇ દ્વારા ગ્રામજનોને આવકારવા સાથે  હિન્દુ સમાજને હિન્દૂ વિશે માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યું હતું.

જંબુસર રામજી મંદિર ખાતે રામજન્મોત્સવ પ્રસંગે ઉજવણી કરાઇ

જંબુસરના પૌરાણિક શ્રી રામજી મંદિર ખાતે પણ સૌના પ્રેરણાસ્ત્રોત અને પ્રત્યેક સનાતની હિન્દુ નું ગૌરવ એવા  મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રીરામની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે રામોત્સવ પ્રસંગ યોજાયો જેમાં સવારથી રામભક્તો રામમય બની ગયાં હતાં. રામજી મંદિર ખાતેથી સવારે પ્રભાતફેરી નીકળી નગરના માર્ગો પર ફરી હતી. બપોરે બાર કલાકે પ્રભુ શ્રીરામ જન્મ પ્રસંગે મહાઆરતી યોજાઇ હતી. જેમાં માજી મંત્રી છત્રસિંહ મોરી માજી ધારાસભ્ય કિરણભાઇ મકવાણા પાલિકા સદસ્યો અગ્રણીઓએ મહાઆરતીનો લાભ લીધો હતો અને રાત્રે ભજન કિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ જંબુસર દ્વારા પણ રામોત્સવ પ્રસંગે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.સવારે પિશાચેશ્વર મહાદેવ મંદિરથી બાઈક રેલીનું હોદ્દેદારો દ્વારા કેસરિયો લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું અને નગરના ટંકારી ભાગોળ કાવાભાગોળ પઠાણી ભાગોળ ઉપલીવાટ કોર્ટે બારણાં સહિતના માર્ગો પર ફરી પારસ કબીર મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું અને બપોરે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી નગરના રાજમાર્ગો પર ફરી હતી.

શોભાયાત્રામાં વ્યાયામશાળા, વક્રતુન્ડ પુનેરી ઢોલ, તાશા, ડીજે ,ઉભુ ભજન મંડળ , આદિવાસી નૃત્ય કલા વેશભૂષા સહિત ટ્રેકટરો પણ શણગારી હિન્દુ સંસ્કૃતિના દર્શન કરાવી વિશેષતા જોવા મળી હતી. આ શોભાયાત્રાનું ઠેરઠેર ગલીએ મોહલ્લામાં રામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું  અને રામ નવમીની શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

શોભાયાત્રામાં દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અજયભાઈ વ્યાસ જિલ્લા ઉપાધ્યક્ષ બિપીનભાઈ પટેલ સાધુ સંતો રાજકીય અગ્રણીઓ છત્રસિંહ મોરી કિરણભાઇ મકવાણા પિન્ટુભાઇ પઢીયાર બાલુભાઈ ગોહિલ નીતિનભાઈ પટેલ સહિત હોદ્દેદારો સહિત  વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જંબુસર પ્રખંડ તથા નગર સમિતિના કાર્યકરો ભાઈઓ બહેનો મોટીસંખ્યામાં જોડાયા હતા.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

ભરૂચ ફાટાતળાવ વૈરાગીવાડના રહીશોએ પાલિકા પાસે કરી સફાઇની માંગ

ભરૂચના પશ્ચિમ વિસ્તાર વોર્ડ નંબર ૮ ના ફાટાતળાવ વૈરાગી વાડ વિસ્તારના આંબેડકર નગરમાં અનેકોવાર રજૂઆત છતાં સિવિધા અને સફાઇના નામે મીંડુ વળતા સ્થાનીકોએ પાલિકા પ્રમુખને જાતમુલાકાત માટે નિમંત્ર સાથે સત્વરે સફાઇ કરાવવા માંગ કરી છે.

સ્થાનીકોએ પાલિકા પ્રમુખને લખેલ પત્રમાં જણાવાયું છે કે તેમના  આંબેડકર નગરમાં પાલિકા દ્વારા આપવામાં આવતી કોઇ પણ પ્રાથમિક સુવિધાઓ પણ આજ્સુધી અપાઇ નથી સાથે આ જ વિસ્તારમાં સફાઇ પણ ના કરાવાતા ગંદકી અને દુરગંધના કારણે બાળોકે ને રમવું તો દુર પણ ઘરમાં રહેવું પણ મુસ્કેલ બન્યું છે.આ માટે પાલિકા સત્તાધિશોને જવાબદાર ઠેરવી પાલિકા પ્રમુખને એક વાર આ વિસ્તારની જાત મુલાકાત લઈ સત્વરે સફાઇ સહિતની સુવિધાઓ અપાય તેવી માંગ સ્થાનિકોએ કરી છે.

અંક્લેશ્વર ગોકુલધામ સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરેલ પીકઅપ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગઇકાલ રાત્રે ભરૂચ લોકલ કાઇમ બ્રાંચની ટીમ અકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે અંકલેશ્વરના બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો પરીખે વિદેશી દારૂનો જથ્થો મંગાવી અંકલેશ્વર G.I.D.C વિસ્તારમાં ખ્વાઝા ચોકડી નજીક ગોકુલધામ કો.હા.સોસાયટીના પાર્કિંગમાં વિદેશી દારૂ ભરેલ બંધ બોડીની પીકઅપ ગાડી નં GJ – 05 B2-3707 સંતાડી રાખેલ છે.

જે હકિકત આધારે ગોકુલધામ કો.હા.સોસાયટીના પાર્કિંગમાં વિદેશી દારૂની સફળ રેઇડ કરતા પોલીસને બંધ બોડીની પીકઅપમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસ ટીમે બંધ બોડીની પીકઅપ સહીત વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી બોટલ મળી કુલ બોટલ નંગ -૧૪૭૨ કિં.રૂ. ૩,૧,૪૭,૨૦૦,બંધ બોડીની પીકઅપ ગાડી નં GJ – 05 – Bz – 3707 કિંમત રૂપીયા .૫,૦૦,000 મળી કુલ મુદામાલ કિં .૬,૪૩,૨૦૦/= કબ્જે લઈ આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો કીરીટભાઇ પરીખ રહેવાસી અંકલેશ્વર જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે આગળની કાર્યવાહી માટે અંકલેશ્વર GIDC પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.

ગુજરાતમાં કમળ સામે ઝાડું ફેરવવા ગઠબંધન જ વિકલ્પ : MLA મહેશ વસાવા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ધીમે ધીમે નજીક આવી રહી છે તેમ BJP સહિત તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. પંજાબમાં આપે તમામ રાજકીય પક્ષોનો ખેલ બગાડ્યા બાદ સત્તા હાસિલ કરતા હવે અરવિંદ કેજરીવાલની નજર ગુજરાત તરફ કેન્દ્રિત થઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આપ-BTPનું ગઠબંધન હવે મુલાકાતોનો દોર વધારી બેઠકો કરી તેને આખરી ઓપ આપવા તરફ વધી રહ્યું છે.આપ-BTP 2.0 ગઠબંધન જોકે હજી સુધી ફાઇનલ થઈ શક્યું નથી. બિટીપીની રીક્ષામાં સવાર થઈ આપને ગુજરાતમાં કમળ સામે ઝાડું ફેરવવા ગઠબંધન જ વિકલ્પ હોવાનું MLA મહેશ વસાવાએ નિર્દેશ કર્યો છે.

કેજરીવાલ ઈચ્છે છે કે, BTP આપમાં જોડાઈ ચૂંટણી લડે જ્યારે છોટુભાઈ વસાવાની ઈચ્છા BTP અને AAP ના ગઠબંધનની છે. આ અંગેનું કારણ જણાવતા MLA મહેશ વસાવા એ કહ્યું હતું કે, કેજરીવાલનો વિષય છે, આપ માંથી લડો. જ્યારે અમારો ગઠબંધન.કોંગ્રેસ-ભાજપ સામે MLA છોટુ વસાવા અને અમે 55 વરસથી સંઘર્ષ કરીએ છીએ. અમારા મુદ્દા સંવિધાન, તમામનો સર્વાંગી વિકાસ, મૂળભૂત અધિકારો, ST, SC, OBC, માઈનોરિટી તમામને સાથે લઈને ચાલવાનો અને તેમને તેમના બંધારણીય અધિકારો સાથે પ્રાથમિક સવલતો આપવાનો છે.

દિલ્હીમાં અમે જ્યારે જતા ત્યારે પાનનો ગલ્લો, રક્ષાવાળો, લારીવાળો કે બસવાળાને પૂછયે તો એ જ કહે, કેજરીવાલ જ ચાલે અહીં તો. એવી જ રીતે છોટુભાઈ કોંગ્રેસ-ભાજપ સામે 55 વરસથી ચાલતા હોય આપ ના બેનર હેઠળ કઈ રીતે ચૂંટણી લડાઈ. ગઠબંધન ઉપર સહમતી સંધાશે તો ગુજરાતની ચૂંટણી માટે BTP આપ જોડે આગળ વધશે.જો BTP અને AAP નું ગઠબંધન થયું તો આ વખતે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહેશે તેમ પણ મહેશ વસાવાએ કહ્યું હતું.

error: Content is protected !!