The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ઝઘડીયામાં બીજા માળના ધાબા પરથી નીચે પડતા શ્રમજીવીનું મોત

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે એક નવા બની રહેલ કોમ્પ્લેક્સના બીજા માળના ધાબા પરથી નીચે પટકાયેલ શ્રમજીવીનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ઝઘડીયાના વાલિયા રોડ પર રાધે એન્કલેવ નામના કોમ્પ્લેક્સનુ હાલ બાંધકામ ચાલુ છે. આ કોમ્પ્લેક્સના બાંધકામમાં કામ કરતા શ્રમજીવી મજુરો પૈકી કેટલાક કોમ્પલેક્સના ધાબા પર સુઇ રહેતા હતા.

દરમિયાન મુળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનો ટીમકભાઇ ગલિયાભાઇ કટારા નામનો ૩૨ વર્ષીય ઇસમ રાતના કોમ્પ્લેક્સના બીજા માળના ધાબા પર સુતો હતો. આ ઇસમ રાતના લધુશંકા કરવા જઇ રહ્યો હતો. તે દરમિયાન ધાબા ઉપરથી નીચે પટકાતા તેને કપાળ તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ આ શ્રમજીવી ઇસમને નાકમાંથી તેમજ કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ધાબા પરથી નીચે પડી જવાની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ટીમકભાઇ કટારાને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળેજ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

આ ઘટના અંગે કોમ્પ્લેક્ષના બાંધકામમાં કામ કરનાર અન્ય ઇસમ  દિનેશભાઇ મગનભાઇ ખાડિયા મુળ રહે.ગેરયાભાત્રા,જિ.બાંસવાડા, રાજસ્થાનનાએ ઝઘડીયા પોલીસમાં જાણ કરી હતી. પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!