The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

રાજપીપળા : ચૂનંદા ૨૬ જેટલા સંબંધિત અધિકારીઓ,કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરતા કલેકટર

નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.એ.શાહે આજે  કલેકટર કચેરીની ચેમ્બરમાં જ વિવિધ શાખાઓના કુલ-૨૬ જેટલાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ-કર્મચારીઓને વિશિષ્ટ સેવાઓ બદલ સરપ્રાઇઝ સાથે પ્રશસ્તિપત્રના રૂપમાં ગૌરભર્યુ વિશિષ્ટ સન્માન પ્રદાન કર્યુ છે. આમ, જિલ્લા કલેક્ટર શાહે અન્ય કર્મયોગીઓમાં પણ આ પ્રકારની કાર્યપ્રણાલી વિકસે તે દિશાની એક અનોખી પહેલ કરી છે.

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે આ પ્રસંગે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો એ એસ્પિરેશનલ જિલ્લો છે. ભરૂચમાંથી નર્મદા જિલ્લો ૧૯૯૮ થી અલગ થયો તેના લગભગ ૨૨ વર્ષ થવા આવ્યાં છે. ત્યારે અનેક એવા પણ કામો હતા કે જે કોઇને કોઇ કારણોસર થઇ શક્યા ન હતાં તેવા મોટાભાગના કામો રાજ્યના મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરી, જિલ્લાના પ્રભારી સચિવઓના સતત માર્ગદર્શનને લીધે આ જિલ્લાને  અનેક નવી ઉપલબ્ધિઓ  ટૂંક જ સમયમાં પ્રાપ્ત થઇ છે જેનો શ્રેય જિલ્લાના ચુંનદા અધિકારીઓ-કર્મચારીઓના ખૂબ ઉત્સાહનને લીધે આ શક્ય બન્યું છે.

આવનારા પાંચ વર્ષમાં જિલ્લાને  આનો મોટાપાયે લાભ થશે તેમ શાહે જણાવ્યું હતું. આ ૨૬ જેટલાં અધિકારીઓ-કર્મચારીઓને શાહે હ્રદયપૂર્વકના અભિનંદન આપી તેમની પીઠ થાબડી હતી.

આ વેળાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત, મદદનીશ કમીશનર આદિજાતી વિકાસના એસ.એમ.ગરાસીયા, ગરૂડેશ્વર મામલતદાર મિતેશ પારેખે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ અનેકક્ષેત્રે આ જિલ્લાએ વિકાસ સાધ્યો છે અને આવનાર સમયમાં પણ જિલ્લો વિકાસક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરશે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!