The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચઃ દંડક દુષ્યંતભાઇ પટેલના હસ્તે આયુષ્યમાન કાર્ડ અને ઇ-શ્રમિક કાર્ડનું કરાયું વિતરણ

આજના દોડઘામભર્યા-આધુનિક ઝડપી જીવનમાં આપણી જીવનશૈલી સુદ્રઢ બને અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જળવાય તે ખુબ જ અગત્યનું છે,વ્યકિત પોતે જાગૃત બને, પરિવાર જાગૃત બને તો આરોગ્યલક્ષી અનેક ફાયદાઓ મેળવી શકાય છે, નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત સ્વસ્થ સમાજના નિર્માણ માટે રાજય સરકારના સરાહનીય પ્રયાસો છે.

ત્યારે ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનાસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ બંટી વણકરના સહયોગથી વોર્ડ નંબરઃ ૩,૫, અને ૭ના તમામ નગરસેવકોના પ્રયાસો વડે તૈયાર થયેલા ૧૨૦૧ જેટલા આયુષ્યમાન કાર્ડ અને ઇ-શ્રમિક કાર્ડનું વિતરણ ઉકત વોર્ડના નગરસેવકોને કરવામાં આવ્યું હતું. નગરસેવકો ધ્વારા જે તે લાભાર્થી સુધી પહોંચી કાર્ડનું વિતરણ કરશે.

આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે ગુજરાત રાજય સરકાર ધ્વારા જનજનના સ્વાસ્થયની ચિંતા કરીને તેઓની સુખાકારી માટે અનેક યોજનાઓ બનાવી છે.આયુષ્યમાન કાર્ડ અનેક ઘરનો દિકરો સાબિત થયો છે.રાજય સરકાર નાગરિકોના આરોગ્ય અને જનસુખાકારી માટે સતત કાર્યરત છે.તેમણે આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓની માહિતી આપી જેનો મહત્તમ લાભ લેવાની હિમાયત કરી હતી. આ વેળાએ ઉકત વોર્ડના નગરસેવકો ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!