The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

જંબુસર પોસ્ટમાં એન.ઓ.સી. માટે પણ ખાવા પડે છે ડાભાના પરિવારને ધરમધક્કા!

જંબુસર તાલુકાના ડાભા ગામના હંસાબેન પરમારે પોસ્ટમાં ભરપાઈ કરવાના દસ લાખ ઉપરાંતની રકમ  જમા કરાવવા છતાય એનઓસી લેટર માટે પોસ્ટ અધિકારીઓ ધક્કા ખવડાવે છે.

જંબુસર તાલુકાના ડાભા ગામે બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે પરસોતમ ડાયાભાઇ પરમાર  ફરજ બજાવતાં હતા જેઓ  ૨૦૦૮ માં અવસાન પામ્યા ત્યાર બાદ એક માસ બાદ  પોસ્ટ ખાતા દ્વારા ઓડિટ કરાયું જેમાં ખાતાધારકોની પાસબુકમાંથી રકમ ઉપડી ગઇ હોય  તેઓ પોસ્ટ ખાતા દ્વારા આરોપ લગાવાયો  અને  સાડા આઠ લાખ રૂપિયાની પત્ની હંસાબેન પરસોતમભાઈ પરમારને પોસ્ટ ખાતા દ્વારા નોટિસ આપી રકમ ભરપાઈ કરવા જણાવેલ  અને આ લેણી રકમ ખેતરના મહેસૂલ પર ચઢાવવામાં આવેલ  સાડાઆઠ લાખ વત્તા વ્યાજની રકમ મળી  હંસાબેન પરમારે દસ લાખ ઉપરાંતની રકમ પોસ્ટ ખાતામાં  ૯/૨૦૨૧ માં જમા કરાવેલી હોય

ત્યારબાદ હંસાબેન પરમારે એનઓસી માટે વખતોવખત  પરિવાર સાથે પોસ્ટ ઓફિસમાં આવતા હોય  અધિકારીઓ દ્વારા બહાના કાઢી ભરૂચ અમદાવાદ જવા કહે છે  પરિવાર ભરૂચ જાય તો અમદાવાદનું કહે છે કોઈ સંતોષકારક જવાબ મળતો નથી કે નથી એનઓસી મળતી  આટલો સમય વીતવા છતાં પરિવારને એનઓસી નહીં મળતાં પરિવાર હેરાન પરેશાન થવા પામ્યો છે અને મીડિયાનો સહારો લઈ પોતાની આપવીતી જણાવી  વહેલી તકે પોસ્ટ ખાતા દ્વારા એનઓસી મળે તેમ પરિવાર ઈચ્છી રહ્યું છે.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!