અંકલેશ્વરના ખરોડ -બાકરોલ વચ્ચે આવેલ દારૂલઉલુમ માં દીપડો દેખા દીધો હોવાની ફરિયાદ સામે આવી છે. દારૂલઉલુમ ના સંચાલક ના જણાવ્યા અનુસાર દીપડા દ્વારા 5 થી 6 વાર આંટાફેરા માર્યા હતા.4 થી વધુ વખત મરઘા નો શિકાર કર્યો હતો. કાપોદ્રા, બાકરોલ, ખરોડ, ગામમાં દીપડો દેખાયો હોવાની જાણ કરી હતી.અંકલેશ્વર તાલુકાના ખરોડ અને બાકરોલ ગામ ના આંતરિક રસ્તા પર આવેલા દારુલ ઉલુમ માં ગત રાત્રી માં દીપડા એ આતો મારી 4 થી વધુ મરઘા નો શિકાર કર્યો હતો જે દીપડા ને દીવાલ પર બેસેલો દારુલ ઉલુમ ના સંચાલકોએ નિહાળતા આ અંતે અંકલેશ્વર વન વિભાગને જાણ કરતા વન વિભાગે સ્થળ તપાસ કરી હતી.

જો કે દારૂલઉલુમ ના વડા ની ફરિયાદ આધારે પાંજરું મુકવામાં આવ્યું હતું. વન વિભાગ ના વિસ્તરણ અધિકારી દિનેશ ડામોર એ જણાવ્યું હતું કે હાલ ફરિયાદ મળી છે જે આધારે અમે પાંજરા મુક્યા છે.ખેતરો માં દીપડા ની હયાતી ના નિશાન ચકાસી રહ્યા છે. જો કે નિશાન મળ્યા નથી. આ અંગે દારુલ ઉલુમ સંચાલક મંડળ દ્વારા જણાવ્યું હતું કે અગાવ 5 થી 6 વાર દીપડો આવી ગયો છે. જેમાં 4 થી વધુ વાર દીપડો અહીં આવી અત્યાર સુધી 15 થી વધુ મરઘા નો શિકાર કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here