ભરૂચમાં જય ભીમના નારા સાથે બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતિ ઉજવાઇ

0
60

ભરૂચમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મ જ્યંતિની દીપોત્સવ, રેલી,ફુલહાર સહિતના વિવિધ કાર્યકમો થકી ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.

ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મ જ્યંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા દીપોત્સવ, ફુલહાર સહિતના વિવિધ કાર્યકમો યોજાયા હતા. સાંસદ સભ્ય મનસુખ વસાવા, નાયબ મુખ્ય દંડક ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા અધ્યક્ષ મારૂતિસિંહ અટોદરિયા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, મહાનુભાવો, ચૂંટાયેલા સભ્યો અનુ.જાતિ મોરચા રાજેન્દ્ર સુતરિયા, ચંદ્રકાંત જંબુસરીઆ, કિરણ સોલંકી સહિત તમામ મોરચાઓ તથા સફાઈ કામદાર સેલ સહિતના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો જોડાયા હતા.

રેલવે સ્ટેશન સર્કલ પાસે બુધવારે સાંજે ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાની સાફ સફાઈ બાદ જન્મ જયંતિ નિમિત્તે 131 દિવડા પ્રગટાવી દિપોત્સવ મનાવાયો હતો. ગુરુવારે મહાનુભવોએ સ્ટેશન સ્થિત આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ અનુ. જાતિની બાળાઓ દ્વારા કેક કાપવામાં આવી હતી. 131 જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન, શિશુગૃહના બાળકોને ફ્રૂટ વિતરણ, વાલ્મિકી વાસ આલી વિસ્તારમાં સાંજે ફુલહાર અર્પણ, ગોષ્ઠી અને સેવાકાર્યોનાં કાર્યક્રમો યોજાયા હતા.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજ્યો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મ જ્યંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા સહિતનાએ ડો. આંબેડકરની પ્રતિમાને અપર્ણ કરી બંધારણના ઘડવૈયાના કાર્યો અને દેશ માટેના યોગદાનને વાગોળીયા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here