સુરતની સચીન જીઆઈડીસીમાં ખાડીમાં ટેન્કર ઠાલવતા સર્જાયેલા ગેસકાંડની ઘટનામાં જીપીસીબીની તપાસમાં ઝઘડિયાની કેમી ઓર્ગેનિક્સ કેમિકલ્સ કંપની દોષી ઠરતાં ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.
સચિન જીઆઈડીસીમાં ખાડીમાં ગેરકાયદેસર ઝેરી કેમિકલ્સ વેસ્ટના નિકાલમાં 6 લોકોના મોત અને 25ને ઇજા પહોંચી હતી. ઘટનાની તપાસમાં ઝઘડિયાની કેમી ઓર્ગેનિક્સ કેમિકલ્સ કંપની દ્વારા મોતનું ટેન્કર જીજે 6 ઝેડ ઝેડ 6221 રવાના કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું.
જેમાં વડોદરાની સંગમ એનવાયરોમેન્ટ સાથે કેમી ઓર્ગેનિક્સને એક એપ્રિલે જીપીસીબીએ પર્યાવરણને નુકશાન બદલ રૂ. 50 લાખનો દંડ અને ક્લોઝર નોટિસ પણ પાઠવી હતી. ઝઘડિયાની કેમી ઓર્ગેનિક્સ કંપની દ્વારા ગેરકાયદેસર બીજા ટેન્કરનો પણ બારોબાર નિકાલ કરાયો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
અંકલેશ્વર જીપીસીબીના વૈજ્ઞાનિક શૈલેષ પટેલે જોખમી ઝેરી હેઝાડસ્ટ વેસ્ટનો જાહેરમાં નિકાલ, ગંભીર બેદરકારીથી લોકોના જીવ જોખમવા અને ગુનાહિત હાજરી અંગે ઝઘડિયા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.