The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

સચિન ગેસકાંડ મામલે ઝઘડિયાની કેમી ઓર્ગેનિક્સ કેમિકલ્સ સામે નોંધાયો ગુનો

સુરતની સચીન જીઆઈડીસીમાં ખાડીમાં ટેન્કર ઠાલવતા સર્જાયેલા ગેસકાંડની ઘટનામાં જીપીસીબીની તપાસમાં ઝઘડિયાની કેમી ઓર્ગેનિક્સ કેમિકલ્સ કંપની દોષી ઠરતાં ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

સચિન જીઆઈડીસીમાં ખાડીમાં ગેરકાયદેસર ઝેરી કેમિકલ્સ વેસ્ટના નિકાલમાં 6 લોકોના મોત અને 25ને ઇજા પહોંચી હતી. ઘટનાની તપાસમાં ઝઘડિયાની કેમી ઓર્ગેનિક્સ કેમિકલ્સ કંપની દ્વારા મોતનું ટેન્કર જીજે 6 ઝેડ ઝેડ 6221 રવાના કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું.

જેમાં વડોદરાની સંગમ એનવાયરોમેન્ટ સાથે કેમી ઓર્ગેનિક્સને એક એપ્રિલે જીપીસીબીએ પર્યાવરણને નુકશાન બદલ રૂ. 50 લાખનો દંડ અને ક્લોઝર નોટિસ પણ પાઠવી હતી. ઝઘડિયાની કેમી ઓર્ગેનિક્સ કંપની દ્વારા ગેરકાયદેસર બીજા ટેન્કરનો પણ બારોબાર નિકાલ કરાયો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

અંકલેશ્વર જીપીસીબીના વૈજ્ઞાનિક શૈલેષ પટેલે જોખમી ઝેરી હેઝાડસ્ટ વેસ્ટનો જાહેરમાં નિકાલ, ગંભીર બેદરકારીથી લોકોના જીવ જોખમવા અને ગુનાહિત હાજરી અંગે ઝઘડિયા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!