- ઈનર વ્હીલ કલબ ભરૂચ દ્વારા IIID તથા નેરોલેક પેઈન્ટ્સના સહયોગથી યોજાયો કાર્યક્ર્મ
ઈનરવ્હિલ કલબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચ ખાતે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામા આવે છે. જે અંતર્ગત ઈનરવ્હિલ ઓફ ભરૂચ્ના પ્રમુખ અને પ્રોજેકટ ચેરમેન શ્રીમતી રીઝવાના તલકીન ઝમીનદારને એક વિચાર આવ્યો કે પછાત વિસ્તારને શણગારવોકે રંગરોગાન કરવાનો વિચાર કરવો અને સ્થળ પર પહોંચી તેનો અમલ કરવો એ એક ઐતીહાસીક ઘટના છે.
આ રચનાત્મક પરીવર્તનનો એટલે વિચાર આવ્યો કે ઈનરવ્હિલ ક્લબ ઓફ ભરૂચ જયારે સમાજમાં તમામ વિસ્તારોનાં અને તમામ વર્ગોને વિકાસના વિવિધ આયામો સાથે જોડતા હોય તો આ ગરીબોના ઘરનું શુશોભન કેમ ન કરી શકાય સ્લમ વિસ્તારોને સ્વચ્છ હાઈજેનીક અને ડેકોરેટીવ આપણે કેમ બનાવી ન શકીએ આ વિચાર સાથે ઈનરલિ કલબે નેરોલેક પેઈન્ટસના કેન્સાઈ (સીએસઆર) પ્રોજેકટ દ્વારા અમલ કરવા માટે તેના પ્લાન્ટ હેડ રાજેશ પટેલનો સંપર્ક કરી આ દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું આ પ્રોજેકટ માટે IIID ભરૂચના ચેરપર્સન મૈત્રી કલાપી બુચનો સહયોગ પ્રાપ્ત થયો અને IIID ના વિદ્યાર્થિઓની ડિઝાઈન અંગેની મહેનત અને આયોજનબધ્ધ કામગીરી સાથે આજે આ મેઘઘનુષિ પ્રોજેકટનો શુભારંભ થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે દુષ્યંતભાઈ પટેલ નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા અને ધારાસભ્ય ભરૂચ અને અતિથિ વિશેષ પદે તુષાર સુમેરા સાહેબ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા શુભ શરૂઆત કરાઈ.
આ અંગે શ્રી દતમંદિર પાસેનો સ્લમ વિસ્તાર , ફુરજા ચાર રસ્તા પાસેનો પસંદ કરાયો છે , અને સ્લમ વિસ્તારના શુશોભન માટે ID ના વિદ્યાર્થિઓ કામગીરી કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સહુ સયોગી સંસ્થાઓ અને સ્થાનીક નાગરીકો અને રહેવાસીઓનો વિશેષ આભાર માનવામાં આવે છે અને ભરૂચ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા અંગે પૂરતો સહકાર આપ્યો હતો.