The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

જંબુસર:ચંદ્રિકાબેન મકવાણાને શ્રીમતી કાન્તાબેન મહેતા મેમોરીયલ એવોર્ડ દ્વારા કરાયા સન્માનિત

જંબુસર તાલુકાના ઉબેર ગામના ધરતીપુત્ર બહાદુરસિંહ ચંદ્રસિંહ જેઓને એક પુત્ર તથા પુત્રી જેમાં મોટી પુત્રી ચંદ્રિકાબેન તેમની નાની ઉંમરમાં કોલેજકાળ પૂર્ણ કર્યા પછી તરત પિતાનો સહારો બનવા અને કુટુંબનું ભરણપોષણ થાય તે માટે ચંદ્રિકાબેને  ૧૯૯૩ માં વિકાસ સંસ્થામાં સર્વેયર તરીકે નોકરી હાંસલ કરી અને સંસ્થાને વફાદાર રહી અલગ અલગ ગામોમાં ફરી જનજન સુધી પહોંચ્યા.

ત્યારબાદ ૨૦૦૯થી આતાપી સેવા ફાઉન્ડેશન માં ઝંપલાવ્યું અને હાલ પ્રોગ્રામ ડિરેક્ટર તરીકે પદવી હાંસલ કરી ચંદ્રિકાબેન અશોકભાઈ જેઓ ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં એટલા ઓતપ્રોત થયા તેમને દસ હજાર લોકો સાથે સંપર્કમાં રહી મહિલાઓના જીવનને સ્પર્શ્યુ છે. તેમની ફરજ નિષ્ઠા અને સેવાકીય કાર્યો કરી મહિલાઓ સાથે તેમના વિકાસ અને અધિકારો માટે કામ કર્યું તે બદલ  દિપક ફાઉન્ડેશન દ્વારા સામાજિક પરિવર્તનના સ્તંભોને સન્માનિત કરતા  ત્રીજા કાન્તાબેન મહેતા મેમોરિયલ એવોર્ડ બદલ પસંદગી કરી સમાજ કાર્યમાં રોલ મોડલ તરીકે સન્માનિત કરવામાં આવ્યાં હતાં જંબુસરનું નામ રોશન કરવા બદલ શુભેચ્છકો દ્વારા ચંદ્રીકાબેન અશોકભાઈને  શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન, જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!