The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આંતતરાષ્ટ્રિય મહિલા દિનની કરાઇ ભવ્ય ઉજવણી

  • સ્કીલ હબનું લોકાર્પણ, મહિલા ટ્રેનરોનું સન્માન તથા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને કિટસનું વિતરણ કરાયું.

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં મધ્યસ્થ ખંડ ખાતે આજરોજ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ આયોજીત કરાયો. ભરૂચ નગરપાલીકાના ઉપપ્રમુખ શ્રીમતીનિનાબા  યાદવના મુખ્ય મહેમાન પદે આયોજીત કાર્યક્રમમાં સ્કીલ હબ કેન્દ્રનું દિપ પ્રાગટય સાથે લોકાર્પણ કરાયું.

સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝયનુલ સૈયદે જણાવ્યું કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનાં સ્વપનને સાકાર કરવા કૌશલ ભારત, કુશલ ભારત કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં ૫૫૦૦ જેટલા સ્કીલ હબ સેન્ટરો શરૂ કરવાનું આયોજન છે. સમગ્ર દેશમાં ફકત ૫૦ જન શિક્ષણ સંસ્થાનો ખાસ કિસ્સામાં પસંદગી પામેલ છે. જેમાં આપણો જિલ્લો સામેલ છે. આ સ્કીલ હબ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ૪૦ બહેનોને વિના મૂલ્યે એન.એસ.ડી.સી સીલેબસ મુજબ પધ્ધતીસરની આસીસટન્ટ બ્યુટી થેરાપીસ્ટની તાલીમ આપવામાં આવશે. લાભાર્થીઓને તાલીમને અનુરૂપ જરૂરી કિટસનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું. નાયબ કલેકટર ર્ડા.એસ.એમ.ગાંગુલીએ પોતાના વકતવ્યમાં મહિલા મતદાન જાગૃતી વિકસાવવા તથા લોકશાહીમાં મહિલાઓનું પ્રતીનીધીત્વ વધે તે દિશામાં આગળ વધવા હાકલ કરી હતી.

આમંત્રિત મહેમાનોના હસ્તે સંસ્થામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ટ્રેનર્સ / રિસોર્સ પર્સનો શ્રીમતી મીનાબેન પુરોહીત, શ્રીમતી ઇલાબેન પટેલ, કુ. રસીદાબેન ગોહીલ, શ્રીમતી છાયાબેન પાટીલ વગેરેને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા. જયારે સ્કીલ હબમાં જોડાયેલ તાલીમાર્થી બહેનોને કીટબેગ, જર્નલ, એપ્રન વગેરે અર્પણ કરાયા હતા અને ગત બેચોમાં પાસ થયેલ તાલીમાર્થીઓને મંચસ્થ મહાનુભાવો નિનાબા યાદવ મહીલા મોરચાના પ્રમુખ અંબાબેન પરીખ, નગરપાલીકા સેનેટરી સમિતિનાં ચેરમેન ચિરાગભાઇ ભટ્ટ, શહેર ભાજપના ઉપપ્રમુખ અમીતભાઇ પટેલ તથા બેન્ક ઓફ બરોડા તરફથી આવેલ સંદીપ પટેલ દ્વારા પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!