ભરૂચના લાલબજાર વાલ્મિકી સમાજ અને મૂળ નીવાસી સંઘના સંયુક્ત ઉપક્રમે સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના લાલબજાર વાલ્મિકી સમાજ અને મૂળ નીવાસી સંઘના સંયુક્ત ઉપક્રમે સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું . ભરૂચ શહેરની કાળી તલાવડી વિસ્તારમાં આવેલ પોલીસ હેડ ક્વાર્ટરના હરિયાળા ગ્રાઉન્ડ ખાતે લાલબજાર વાલ્મિકી સમાજ અને મૂળ નીવાસી સંઘના સંયુક્ત ઉપક્રમે સમાજના યુવાનો માટે સ્વ . ડાયાભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 4 અલગ અલગ ઝોનની સમાજના યુવાનોની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.