The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચ : જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો

  • ભરૂચ જિલ્લાના​​​​​​​ 6317 લાભાર્થીઓને 20 કરોડની સાધન સહાય અપાઈ

ભરૂચ જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે 6317 લાભાર્થીઓને રૂપિયા 20 કરોડની સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી.

આ વેળા મંત્રીએ 0થી 19 વર્ષની વયના બાળકો-કિશોરોની સ્વાસ્થ્ય ચકાસણી માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને 26 RBSK વાનની ફાળવણી પૈકી પ્રતિકરૂપે 4 વાનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

ભરૂચની કે.જે.પોલિટેકનીક કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, ગરીબો ગરીબી રેખાથી ઉપર આવી પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી રોજગાર મેળવી શકે અને આર્થિક રીતે પગભર બની શકે તેવાં આશયથી જરૂરતમંદ લોકોને પ્રત્યક્ષ અને હાથોહાથ સહાય આપવાના અભિગમથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ હતી. જે પરંપરાને રાજ્ય સરકારે જાળવી રાખી છે. મંત્રીએ આ સંદર્ભે કહ્યું કે, વર્ષ 2009થી ગરીબ કલ્યાણ મેળા થકી લાખો ગરીબોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકાયું છે.વચેટીયા પ્રથા નાબૂદ કરીને સ્થાનિક પ્રશાસનની મદદથી શોધી-શોધીને લાખો લાભાર્થીઓને એક જ સમયે, એક જ સ્થળે સીધો તેમના હાથમાં જ લાભ આપવામાં આવે છે. જેનાથી ગરીબોના ઘરમાં સુખ અને સમૃદ્ધિનો માહોલ સર્જાયો હોવાનું જણાવી લાભાર્થીઓને મળેલી સાધન સહાયનો યોગ્ય ઉપયોગ કરી પરિવારનું જીવનધોરણ સુધારવાનો સૌ લાભાર્થીને અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!