• બે વ્યકતિઓને ગંભીર ઇજા,મહારાષ્ટ્રના પરિવારનો આબાદ બચાવ

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ પર આજે વહેલી સવારે ૫.૪૫થી ૬ના સમયગાળા દરમિયાન નિલેશ ચોકડી પાસે ભયાનક અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઇઅજાઓ થવા પામી છે.જ્યારે આ અકસ્માતમાં મહારાષ્ટ્રના પરિવારનો આબાદ બચાવ થવા પામ્યો છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વહેલી સવારે બે ટ્રેલર, બે ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં બે વ્યક્તીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી જયારે અકસ્માતમાં મહારાષ્ટ્રના પરિવારનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આ ઘટનાના પગલે આસપસના વાહનચાલકો સહિત પોલિસ પણ હાઇવે ઉપર દોડી આવી હતી અને રેશ્ક્યુ ટીમ દ્વારા અકસ્માતમાં ફસાયેલાઓને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવાની તજવીજ સાથે ટ્રેલરમાં ફસાયેલા ડ્રાઇવરોને પણ બહાર કાઢવા કવાયત હાથધરી હતી. અ અકસ્માતને પગલે ટ્રાફિકજામ થવા પામ્યો હતો જેને યથાવત કરવા પોલીસે કવાયત હાથધરી છે. હાલમાં આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે જાણી શકાયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here