નમામી દેવી નર્મદે ભારત દેશમાં નર્મદા નદીની જ પરિક્રમા કરવામાં આવી હોવાથી દેશ-વિદેશીના ભક્તો નર્મદા પરિક્રમા કરતા હોય છે ત્યારે મધ્ય પ્રદેશમાં રહેતા અને જન્મ જાત અંધ એવા નીલેશ ધંગર એમ.એ. રાજનીતિ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે જેઓ ટચિંગ સોફટવેરના આધારે પોતાનો મોબાઈલ ફોન પણ ઓપરેટ કરે છે.

નીલેશ ધંગરે ૨જી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ મધ્ય પ્રદેશના બુધાની ઘાટથી નર્મદા પરિક્રમા શરૂ કરી છે. જેઓએ એકલા જ નર્મદા પરિક્રમા માટે નીકળ્યા છે. તેઓ દિવસમાં ૨૦થી ૨૫ કિમી સુધી પદયાત્રા ખેડે છે. જો કએ તેમને થોડા દિવસથી સામાજિક સહયોગ મળ્યો છે.મધ્ય પ્રદેશથી નર્મદા પરિક્રમા કરી રહેલ અંધ પરિક્રમાવાસી ભરૂચ જીલ્લામાં પ્રવેશ કર્યો છે. જેઓ અંકલેશ્વરની વાલિયા ચોકડી થઇ શહેરમાંથી પસાર કરતા સામાન્ય નાગરિકો આ અનોખા પરિક્રમા કરતા પરિક્રમાવાસીને જોઈ વિસ્મયમાં મુકાઇ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here