The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ અલગ ભીલપ્રદેશ બનાવવા કરી માંગ

પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ અલગ ભીલપ્રદેશ બનાવવા કરી માંગ

0
પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ અલગ ભીલપ્રદેશ બનાવવા કરી માંગ
  • ચાર રાજ્યોના આદિવાસી આગેવાનો ને મળીને આ પુનઃ ચળવળ ચલાવશે.

ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસીઓ ના ભીલપ્રદેશના આદિવાસીઓને છુટા પાડી દેવામાં આવ્યા છે.ત્યારે આ ચાર રાજ્યોના આદિવાસીઓને ફરી એક કરી એક ભીલ પ્રદેશ બનાવવા ધારાસભ્ય ચૈતર વસાવા એ અલગ ભીલપ્રદેશ બનાવવા માંગ કરી છે. અને આ માંગને લઈને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ..પણ એક આદિવાસી હોય તેમને આ અંગે રજુઆત કરશે અને ભીલ પ્રદેશની માંગણી કરી છે આ બાબતે ચાર રાજ્યોના આદિવાસી આગેવાનો ને મળીને આ પુનઃ ચળવળ ચલાવશે.

ગુજરાત માં પણ ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં આદિવાસી નેતાગીરીમાં પણ આ ચળવળમાં ચલાવી ભીલ પ્રદેશ ની માંગણી કરવમાં આવશે.

ધારાસભ્ય ચૈતર વસાવા નું કહેવું છે કે સરકાર અત્યારસુધી બસ આધિવાસીઓના નામે મતો ઉઘરવ્યા પણ કોઈ વિકાસ કર્યો નથી જંગલ જમીન છીનવી રહ્યા છે. નથી ભણવાની સગવડ કરતા નથી નોકરીઓ આપતા જેના કરતા અમારો અલગ ભીલ પ્રદેશ હશે તો અમે આદિવાસી સમાજનો વિકાસ કરી શકીશું.જ્યારે બીજી બાજુ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે આદિવાસી સામાજનું રાષ્ટ્રીય સંઘઠન થવું જરૂરી છે.પણ આ ભીલ પ્રદેશની માંગ ખોટી છે. કોઈ નેતા સફળ થયું નથી એટલે આદિવાસી સંઘઠિટ બનો સરકાર ને કોઈ પ્રશ્ન હોય તો જાણ કરો ની વાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!