*નેત્રંગ – અંકલેશ્વર રોડ ઉપર પઠાર ગામના રોડ ઉપર અજાણ્યા વાહનની ટકકરે દીપડાનું થયું હતું મોત

*નેત્રંગ ના મોરિયાણા ખાતે નર્સરી માં કરાયા અંતિમસંસ્કાર

ગત તા.11/1/2022ના રોજ રાતના 10.45 કલાકની આસપાસ નેત્રંગ-અંકલેશ્વર રોડ ઉપર પઠાર નજીક કોઈ અજાણ્યા વાહનની અડફેટે માથામાં અને કમરના ભાગે ગંભીર ઇજાઓના પગલે એક દીપડાનું મોત નિપજવાની ઘટના બની હતી.

જેની જાણ વન વિભાગને થતાં વનવિભાગના આર.એફ.ઓએ મૃત દીપડોકે જેનું વજન 76.600 ગ્રામ,લંબાઈ 1.40 સી.એમ.,ઉંચાઈ 0.85 સેમી. હતી તેમજ તેના નખ મૂછના વાળ પણ સહીસલામત હતા. વનવિભાગે તેને મોરિયાણા ખાતે લાવી વેટરનીટી ડોકટર પાસે પી.એમ કરાવી મોરિયાણા નર્સરી ખાતે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here